Health Tips :વધતી ઉંમર સાથે શરીરમાં ઘણા આંતરિક અને બાહ્ય ફેરફારો થાય છે. જો આપણી ઉંમર પ્રમાણે હેલ્ધી ડાયટ ન લેવામાં આવે તો શરીર નબળું પડવા લાગે છે અને શરીર રોગોનું ઘર બની જાય છે. મહિલાઓમાં 30 વર્ષની ઉંમર પછી શરીરમાં હોર્મોનલ બદલાવ આવે છે અને શરીરમાં નબળાઈ પણ વધવા લાગે છે. આવી સ્થિતિમાં જો કેટલાક ખાસ હેલ્ધી ડ્રિંકનું સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલી નબળાઈ દૂર કરી શકાય છે અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
કેસર અને કિસમિસના સેવનથી મહિલાઓના સ્વાસ્થ્ય પર અમૃતની જેમ અસર થાય છે. 30 પછીની મહિલાઓ કેસર અને કિસમિસનું સેવન કરે તો શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે. આવો જાણીએ કેસર અને કિસમિસનું પીણું પીવાથી મહિલાઓના સ્વાસ્થ્ય માટે શું ફાયદા થાય છે.
આ પણ વાંચો: Blood Circulation : શરીરમાં ખરાબ બ્લડ સર્ક્યુલેશનના 5 લક્ષણો, જો અવગણશો તો ગંભીર બીમારીના ભોગ બનશો
પોષક તત્વોનો ભંડાર છે
કેસર-કિસમિસ પીણું એ વિટામિન સી, વિટામિન બી-કોમ્પ્લેક્સ, આયર્ન અને પોટેશિયમ જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજોનું પાવરહાઉસ છે. કિશમિશમાં રહેલી પ્રાકૃતિક ખાંડ શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે અને એનર્જી સુધારે છે. તમે વર્કઆઉટ પહેલા અથવા બપોરે આ પીણું પી શકો છો.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
આ પીણું રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. આ પીણામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ઈન્ફેક્શન થતું અટકે છે અને બીમાર થવાનું જોખમ ઓછું થાય છે. કેસરમાં ક્રોસેટિન જેવા સંયોજનો હોય છે જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે.
પાચનને સ્વસ્થ રાખે છે
આ પીણું પાચન સુધારવામાં મદદ કરે છે. કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. જ્યારે કિસમિસને કેસર સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે મળને નરમ બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે. કિસમિસમાં હાજર ફાઇબર આંતરડાના માઇક્રોબાયોમને પણ વેગ આપે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ
આ પીણું હૃદયને સ્વસ્થ રાખે છે. કેસર અને કિસમિસ પીણાંમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. કેસર કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. આ ડ્રિંકનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
આ પીણું વજનને નિયંત્રિત કરે છે
વધતા વજનથી પરેશાન મહિલાઓએ કિસમિસ અને કેસરથી બનેલા પીણાનું સેવન કરવું જોઈએ. આ કુદરતી સ્વીટનરમાં ઓછી કેલરી હોય છે જે વજનને નિયંત્રિત કરે છે. આ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને શરીર સ્વસ્થ રહે છે.





