Mental Health : ટેંશન અને ડિપ્રેશનને દૂર કરે છે આ જાપાનીઝ ધ્યાનની ટેકનિક, જાણો ફાયદા

Mental Health : મેન્ટલ હેલ્થની આપણા ફિઝિકલ હેલ્થ જેટલુંજ મહત્વનું છે. મેન્ટલ હેલ્થ સુધારવા મટે અનેક ટેક્નિક અવેલેબલ છે. પરંતુ આ ટેંશન અને ડિપ્રેશનને સરળતાથી દૂર કરવા આ જાપાનીઝ મેડિટેશનની ટેકનિક ઘણી અસરકારક સાબિત થાય છે. આ રીતે કરો પ્રેકટીસ.

Written by shivani chauhan
Updated : October 06, 2023 13:35 IST
Mental Health : ટેંશન અને ડિપ્રેશનને દૂર કરે છે આ જાપાનીઝ ધ્યાનની ટેકનિક, જાણો ફાયદા
આ જાપાનીઝ ધ્યાન તકનીક તણાવ અને હતાશા થી રાહત આપે છે.(અનસ્પ્લેશ)

જ્યારે બુદ્ધ શાંત બેઠા અને ધ્યાન કરતા હતા ત્યારે તેઓને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. 2,500 વર્ષ પહેલાંના તેમના ઉપદેશોમાંથી ઉદ્ભવતા, ઝાઝેનએ બેસીને કરવામાં આવતી ધ્યાનની પ્રેક્ટિસ છે જે તમારા માનસિક સ્વાસ્થ્ય(Mental Health)ને સુધારવામાં મદદગાર સાબિત થયા છે.અત્યારની બીઝી લાઈફ સ્ટાઇલમાં લોકોને સમય મળતો નથી. પરંતુ કામનું ટેંશન, વર્ક લાઈફ બેલેન્સ અનેક સમસ્યામાં આ મેડિટેશન જાદુઈ અસર કરે છે, અહીં વાંચો

જાપાન દેશના સાધુ ઇશો ફુજીતા, ઝેન કે જેમણે થોડા સમય માટે બાળ મનોવિજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો હતો તેના અનુસાર, ધ્યાનની પ્રેક્ટિસ કરતાં વધુ, ઝાઝેન એ એક માત્ર મેડિટેશન ટેક્નિક છે જે અસરકારક સાબિત થાય છે.જાપાનીઓ પાસે ઘણી ફિલસૂફી છે, જે મુજબ તેઓ તેમનું જીવન જીવે છે, અને ઝાઝેન તેમાની એક છે,

ઝાઝેન : ઝાઝેન એ ધ્યાન કરવાની પ્રેક્ટિસ છે જે સામાન્ય રીતે ઝેન બૌદ્ધ પરંપરાની પ્રાથમિક પ્રથા છે.

આ પણ વાંચો: Mental Health :માનસિક સ્વાસ્થ્ય માટે ‘મેટરિંગ’ કેમ આટલું મહત્વનું છે? શું છે ‘મેટરિંગ’? અહીં જાણો

માનસિક સ્વાસ્થ્ય લાભો માટે ઝાઝેનને તમારા જીવનમાં લાગુ કરવા માટે , એક્સપર્ટના જણાવ્યા અનુસાર, રોજ થોડો સમય મેડિટેશન માટે નીકાળો, ધીમે ધીમે સમયગાળો વધારવાનો વિચાર કરો.

ઝાઝેન મેડિટેશન કેવી રીતે કરવું?

  • મેડિટેશન કરવા માટે શાંત, આરામદાયક જગ્યા શોધો, હળવા છતાં સાવધાન મુદ્રામાં બેસો, આરામથી શ્વાસ લો, શ્વાસને નિયંત્રિત ન કરો, એટલે કે, સૌથી સરળ લાગે તે રીતે શ્વાસ લો. ઝાઝેન દરમિયાન, તમારા નાક દ્વારા શ્વાસ લો અને તમારા મોંને નરમાશથી બંધ થવા દો. (જો તમને શરદી હોય, અથવા નાક બંધ હોય, તો તમારે ઘણાને મોં દ્વારા શ્વાસ લેવાની જરૂર પડી શકે છે.)

  • ઝાઝેન શરીર-મન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. મોઢું બંધ રાખવાનું હોય છે. મન બુદ્ધ બનવાની કોશિશ કરતું નથી, પરંતુ તેના બદલે વિચાર, ઈચ્છા અને ચેતનાની માનસિક પ્રવૃત્તિઓને અટકાવે છે.

  • મૂળભૂત રીતે, ઝાઝેન મેડિટેશનમાં તમારે કોઈ વિચારો વિના બેસવાનું હોય છે, ઝેઝેન માનસિક સુખાકારી માટે અસર કરે છે કારણ કે તે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જોડાણ વિના તમારા વિચારોનું નિરીક્ષણ કરે છે.

આ પણ વાંચો: Sadhguru Health Tips : ડાયટમાં કેટલા ફળનો સમાવેશ કરવો, સિઝનલ ફળના સેવનથી શરીરને શું ફાયદો થશે? જાણો સદગુરુ જગ્ગી વાસુદેવ પાસેથી હેલ્થ ટીપ્સ

ઝાઝેન મેડિટેશનના ફાયદા

  • તણાવ ઓછો કરવમાં મદદ કરે છે.
  • માઇન્ડફુલનેસમાં વધારો થાય
  • ઈમોશન પર કંટ્રોલ કરવામાં મદદ કરે
  • તે સ્વ-જાગૃતિ અને આંતરિક શાંતિની ભાવનાને પ્રોત્સાહન આપી શકે છે, જે ચિંતા અને ડિપ્રેશનને ઘટાડી શકે છે.
  • ઝાઝેનના સંપૂર્ણ લાભ લેવા માટે જો જરૂરી હોય તો, માર્ગદર્શન માટે યોગ્ય મેડિટેશન ગાઈડની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ