હડકવા અંગે WHO ની માર્ગદર્શિકા, કૂતરૂં કરડ્યા પછી તરત જ આ કામ કરો; ચેપ લાગશે નહીં

Rabies Sympotms In Human: રખડતા પ્રાણીને હડકવા થયો હોય તો તમને 2 થી 10 દિવસમાં લક્ષણો દેખાવા લાગશે. તેના લક્ષણોમાં હાથ-પગ સુન્ન થઈ જવા, દુખાવો અને ધ્રુજારીનો સમાવેશ થાય છે.

Written by Rakesh Parmar
July 21, 2025 16:15 IST
હડકવા અંગે WHO ની માર્ગદર્શિકા, કૂતરૂં કરડ્યા પછી તરત જ આ કામ કરો; ચેપ લાગશે નહીં
જાણો કુતરૂં કરડયાના કેટલા દિવસ પછી હડકવાના લક્ષણો દેખાય છે. (તસવીર: Freepik)

આજકાલ લોકોને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ ક્યારેક પ્રાણીઓ એટલા ખતરનાક બની જાય છે કે તેઓ માનવ જીવનને નુક્સાન પણ પહોંચાડે છે. ભૂતકાળમાં લોકો કૂતરાના હુમલાથી પરેશાન હતા પરંતુ હવે લોકો કૂતરાના કરડવાથી થતા હડકવાના રોગથી ડરે છે. તાજેતરમાં રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી બ્રિજેશ સોલંકીનું પણ હડકવાને કારણે મૃત્યુ થયું. તેણે એક શેરી કૂતરાને બચાવ્યો હતો, જેણે તેને બચકું ભર્યું હતું. આ કિસ્સો દર્શાવે છે કે બેદરકારીને કારણે તમે તમારા જીવનને કેવી રીતે જોખમમાં મૂકી શકો છો. તેમણે રસી લીધી ન હતી, જેના કારણે આવું બન્યું. ચાલો આ અંગે WHO માર્ગદર્શિકા અને ડૉક્ટરનો અભિપ્રાય જાણીએ.

છેલ્લા કેટલાક દિવસોમાં સતત કેસ જોવા મળ્યા

એક અહેવાલ મુજબ, છેલ્લા 6 મહિનામાં કર્ણાટકમાં હડકવાને કારણે 2.5 લાખ કૂતરા કરડવાના કેસ અને 19 મૃત્યુ થયા છે. આ અઠવાડિયે હુબલી જંકશનમાં એક છોકરીને પણ કૂતરૂં કરડ્યું હતું. ગાઝીપુરમાં પણ એક યુવાનને કૂતરાએ બચકું ભર્યું હતું, ત્યારબાદ ડૉક્ટર પાસેથી સારવાર લેવાને બદલે તેણે ભુવાની મદદ લીધી, જેણે તેનો જીવ લીધો. કેટલાક અહેવાલો અનુસાર, ભારતમાં દર વર્ષે હડકવાના 22 લાખથી વધુ કેસ જોવા મળે છે, જે ચિંતાનો વિષય છે. જોકે, ઘણી વખત આવા કેસ પણ જોવા મળ્યા છે જે પાલતુ પ્રાણીઓના હોય છે.

Death By Rabies, rabies symptoms in dogs
ડોકટરોના મતે જો કોઈ રખડતા પ્રાણીને કોઈ ઈજા થાય અને તે તમને કરડે તો પણ સારવારમાં વિલંબ કરવાનું ટાળવું જોઈએ. (તસવીર: Freepik)

પાલતુ કૂતરા અને બિલાડીઓના હડકવાના રસીકરણનું સમયપત્રક શું હોવું જોઈએ?

પ્રથમ હડકવાની રસી ત્રણ મહિનાની ઉંમરે કુરકુરિયું અથવા બિલાડીના બચ્ચાને આપવી જોઈએ. આ પછી તેમને 1 વર્ષની અંદર બૂસ્ટર ડોઝ આપવો જરૂરી છે. WHO અને વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (VCI) ની માર્ગદર્શિકા અનુસાર, હડકવાની રસીની માન્યતા ફક્ત એક વર્ષ માટે માનવામાં આવે છે. આ પછી પાલતુ જાનવરને નવો ડોઝ આપવો જરૂરી છે. જો તમે આ બાબતોનું ધ્યાન રાખો છો, તો તમે પાલતુ પ્રાણીને સુરક્ષિત રાખી શકો છો.

આ પણ વાંચો: વરસાદની સીઝનમાં ડેન્ગ્યુથી બાળકોને બચાવવા માતા-પિતાએ આ સાવચેતીઓ રાખવી

જાહેર આરોગ્ય ક્ષેત્રના ડૉક્ટર અનુસાર, જો કોઈ વ્યક્તિને પાલતું પ્રાણી કરડે છે, તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે. જો તમને કોઈ અસ્વસ્થતા ન લાગે તો ઓછામાં ઓછા 10 દિવસ સુધી પ્રાણીને નિરીક્ષણ હેઠળ રાખો. જો આ સમય દરમિયાન પ્રાણી સામાન્ય રહે છે, તો હડકવાના સંક્રમણની શક્યતા ખૂબ ઓછી છે. જોકે જો પ્રાણી મૃત્યુ પામે છે લક્ષણો દર્શાવે છે અથવા ગુમ થઈ જાય છે, તો વ્યક્તિએ સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ.

જો તમને કોઈ રખડતા પ્રાણી કરડે તો શું કરવું?

રસ્તા પર કૂતરો કે બિલાડી કરડ્યા પછી તમારે પહેલા નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ. જો પ્રાણીનો મળ કે લાળ તમારી ત્વચા પર હોય તો તરત જ પાણી અને સાબુની મદદથી તે જગ્યા સાફ કરો. જો રખડતા પ્રાણીને હડકવા થયો હોય તો તમને 2 થી 10 દિવસમાં લક્ષણો દેખાવા લાગશે. તેના લક્ષણોમાં હાથ-પગ સુન્ન થઈ જવા, દુખાવો અને ધ્રુજારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાવ અથવા વર્તનમાં ફેરફાર જોવા મળે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

એકવાર હડકવો થયા પછી બચવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. પરંતુ સમયસર રસી અને સારવાર તેને અટકાવી શકે છે. ખાસ ધ્યાન રાખો કે જો તમે કોઈ શેરીનો કૂતરો કે પ્રાણી જુઓ જેની ક્રિયાઓ અન્ય કૂતરાઓ કરતા અલગ હોય તો તે પણ હડકવાથી પીડિત હોઈ શકે છે. ડોકટરોના મતે જો કોઈ રખડતા પ્રાણીને કોઈ ઈજા થાય અને તે તમને કરડે તો પણ સારવારમાં વિલંબ કરવાનું ટાળવું જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ