Sikkim Trip | સિક્કિમ પ્રવાસ : એમ જ ભારતનું સ્વિત્ઝર્લેન્ડ નથી કહેવાતુ, પહોંચતા જ સ્વર્ગ જેવો થશે અહેસાસ

Sikkim Trip Best Tourist Places : સિક્કિમને ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવામાં આવે છે, અહીં તમે કુંદરતી સૌંદર્યતા, બરફથી ઢંકાયેલા પહાડો, બોદ્ધ સંસ્કૃતિ, સુંદર ચાના બગીચાઓ સહિત સુંદર, સ્વચ્છ તળાવો જોઈ શકો છો.

Written by Kiran Mehta
Updated : May 16, 2024 18:25 IST
Sikkim Trip | સિક્કિમ પ્રવાસ : એમ જ ભારતનું સ્વિત્ઝર્લેન્ડ નથી કહેવાતુ, પહોંચતા જ સ્વર્ગ જેવો થશે અહેસાસ
સિક્કિમ પ્રવાસ (ફોટો - સિક્કિમ ટુરિઝમ)

Sikkim Tourism : ઉનાળાની રજાઓ (સમર વેકેશન 2024) ચાલી રહી છે અને જો તમે હજી સુધી ક્યાંય જવાનું આયોજન નથી કર્યું, તો તમે આ સુંદર સિક્કિમ રાજ્યની સફર પર જઈ શકો છો. આ રાજ્ય પર્વતો અને સુંદર ચાના બગીચાઓથી ભરેલું છે. આ સિવાય અહીંની સંસ્કૃતિ જોઈને તમને તિબેટની યાદ આવી જશે. અહીં તમને દરેક જગ્યાએ લામા અને બૌદ્ધ સાધુઓ ફરતા જોવા મળશે. અહીંની સવાર સાંજ કરતાં વધુ સુંદર છે. તો, અમે તમને જણાવીએ કે સિક્કિમ પ્રવાસ તમે કેટલા દિવસમાં કરી શકો છો, કયા કયા જોવાલાયક સ્થળો છે, તથા કેવી રીતે જઈ શકાય.

સિક્કિમ એ ભારતનું સ્વિત્ઝર્લેન્ડ છે

સિક્કિમને ભારતનું સ્વિત્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. આ એક એવું રાજ્ય છે, જે કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ સુંદર, શાંતિપૂર્ણ અને ખૂબ જ મનોહર છે. સિક્કિમનું આકર્ષણ અન્ય પહાડીઓથી અસાધારણ છે. અહીં તમને બરફથી ઢંકાયેલી ટેકરીઓની ભવ્યતા અને સુંદર નજારો જોવા મળશે. ગંગટોકથી લાચુંગની યાત્રા તમારા મનને ખુશ કરી દેશે.

કેટલા દિવસમાં કોઈ સિક્કિમની મુલાકાત લઈ શકે છે?

તમે 5 થી 6 દિવસની રજામાં સિક્કિમની સંપૂર્ણ મુલાકાત લઈ શકો છો. આ સિવાય જો તમે દાર્જિલિંગ, મિરિક, કાલિમપોંગ, ગંગટોક અને પેલિંગ જેવા સ્થળોની મુલાકાત લેવા માંગતા હોવ તો, તેમાં 12 દિવસનો સમય લાગી શકે છે. જો કે અહીં ફરવા માટે 5 દિવસ પણ ઓછા નથી.

સિક્કિમમાં જોવાલાયક મુખ્ય સ્થળો

બુદ્ધ પાર્ક (Buddha Park)

Buddha Park
બુદ્ધ પાર્ક – (ફોટો – સિક્કિમ ટુરિઝમ)

ગુરુડોંગમાર તળાવ (Gurudongmar Lake)

Gurudongmar Lake
ગુરુડોન્ગમાર લેક – (ફોટો – સિક્કિમ ટુરિઝમ)

એમજી માર્ગ (MG Marg)

MG Marg
એમજી માર્ગ – (ફોટો – સિક્કિમ ટુરિઝમ)

ત્સોમગો છો લેક (Tsomgo Chho)

Tsomgo Chho
ત્સોમગો છો – (ફોટો – સિક્કિમ ટુરિઝમ)

રાબડેન્ટ્સે (Rabdantse)

Rabdantse
રબદાન્તસે – (ફોટો – સિક્કિમ ટુરિઝમ)

સિદ્ધેશ્વર ધામ (Siddheswara Dham)

Siddheswara Dham
સિદ્ધેશ્વરા ધામ – (ફોટો – સિક્કિમ ટુરિઝમ)

ઝુલુક (zuluk)

zuluk
ઝુલુક – (ફોટો – સિક્કિમ ટુરિઝમ)

અમદાવાદથી સિક્કિમ કેવી રીતે પહોંચવું?

અમદાવાદથી સિક્કિમ પહોંચવાનો પહેલો રસ્તો છે સિલિગુડી માટે ફ્લાઈટ લેવી અને પછી રોડ માર્ગે ગંગટોક જવું. બીજો રસ્તો એ છે કે પહેલા ટ્રેન દ્વારા સિલીગુડી જવું અને ત્યાંથી ગંગટોક પહોંચવું. આ ઉપરાંત, તમે એક વસ્તુ પણ કરી શકો છો કે ન્યૂ જલપાઈગુડી રેલ્વે સ્ટેશન સુધી ટ્રેન પકડો અને પછી સિલીગુડી થઈને ગંગટોક જાઓ. આ માટે નવી અમદાવાદથી શુક્રવાર અને શનિવારે નવી જલપાઈગુડી માટે ટ્રેન છે, જે અઠવાડિયામાં 2 દિવસ જ ચાલે છે. પરંતુ જ્યારે તમે ફ્લાઇટ દ્વારા 5 કલાકમાં સિલીગુડી પહોંચી જશો, ત્યારે તમને ટ્રેન દ્વારા બે દિવસનો સમય લાગી શકે છે. આ સિવાય તમે અમદાવાદથી ગુવાહાટી અને ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી પણ ટ્રેનથી પહોંચી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ