/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/two-kiwis-a-day-relieves-constipation.jpg)
કબજિયાતથી પરેશાન છો? માત્ર 2 કીવી ખાઓ
કબજિયાત (Constipation) એ એક સામાન્ય પાચન સમસ્યા છે જે ઘણા લોકોને પરેશાન કરે છે. ઘણા પરિબળો કબજિયાતનું કારણ બની શકે છે, જેમ કે ઓછા ફાઇબરવાળો ખોરાક, વધુ ચરબીવાળો ખોરાક, તણાવ અથવા હાઇડ્રેશનનો અભાવ. જો તમને કબજિયાતની સમસ્યા હોય, તો કીવી (kiwi) ખાવાથી રાહત મળી શકે છે. ન્યુટ્રિશનિસ્ટ ડોમિનિક લુડવિગે એક ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં જણાવ્યું હતું કે દિવસમાં બે કીવી ખાવાથી કબજિયાત દૂર થાય (two kiwis a day relieves constipation) છે.
કીવી ખાવું એ કબજિયાત માટે એક કુદરતી ઉપાય છે. અભ્યાસો દર્શાવે છે કે કીવી મળને નરમ બનાવવામાં, તેમની કઠિનતા ઘટાડવામાં, પાચનમાં સુધારો કરવામાં અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરે છે. 2022 ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ બે કીવી ખાવાથી કબજિયાત દૂર થાય છે અને આંતરડાની ગતિ સરળ બને છે. 2019 માં હાથ ધરાયેલા અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કીવી ફળ મળને નરમ બનાવવામાં અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: કમરના દુખાવાથી પરેશાન છો? આ ઘરેલુ ઉપચાર આપશે તરત રાહત
કીવીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર હોય છે. આ આંતરડાના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. કીવીમાં જોવા મળતું દ્રાવ્ય ફાઇબર આંતરડાના સુક્ષ્મસજીવોના વિકાસમાં મદદ કરે છે અને આંતરડાની ગતિને સરળ બનાવે છે. કિવિને છાલ સાથે ખાવું શ્રેષ્ઠ છે. કિવીની છાલમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે, જે આંતરડાની ગતિવિધિઓને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. કિવી હંમેશા છાલ સાથે સારી રીતે ધોયા પછી જ ખાવી જોઈએ.
કિવીમાં એક્ટિનિડિન હોય છે. આ એક કુદરતી પાચન ઉત્સેચક છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે, પાચનમાં સુધારો કરે છે અને આંતરડાના કાર્યને ઉત્તેજિત કરે છે. આ એન્ઝાઇમ આંતરડાના કાર્યને વધારે છે અને એકંદર પાચન સ્વાસ્થ્યને ટેકો આપે છે. તમારા રોજિંદા આહારમાં કીવીનો સમાવેશ કરવાથી આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે અને કુદરતી રીતે કબજિયાતમાં રાહત મળે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us