Cardio | કાર્ડિયો કસરત કરવાનો શ્રેષ્ઠ સમય કયો? સવાર, બપોર કે સાંજે ક્યારે કરવાથી થાય મહત્તમ ફાયદા?

Cardio | કાર્ડિયો' એટલે કે કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ, તેનું નામ ગ્રીક શબ્દ 'કાર્ડિયા' પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે હૃદય. સરળ શબ્દોમાં કહીએ તો, કોઈપણ કસરત જે લાંબા સમય સુધી તમારા હૃદયના ધબકારા વધારે છે તેને કાર્ડિયો કહેવામાં આવે છે.

Written by shivani chauhan
November 11, 2024 07:00 IST
Cardio | કાર્ડિયો કસરત કરવાનો શ્રેષ્ઠ સમય કયો? સવાર, બપોર કે સાંજે ક્યારે કરવાથી થાય મહત્તમ ફાયદા?
કાર્ડિયો કસરત કરવાનો શ્રેષ્ઠ સમય કયો? સવાર, બપોર કે સાંજે ક્યારે કરવાથી થાય મહત્તમ ફાયદા?

Cardio | આજની ફાસ્ટ લાઈફમાં આપણે સતત કામમાં વ્યસ્ત રહેતા હોઈએ છીએ. એવામાં હેલ્ધી લાઇફસ્ટાઇલ જાળવવા માટે નિયમિત કસરત (exercise) ને અવગણી જોઈએ નહિ. કસરત કરવાથી સ્ટેમિના રહે છે અને શરીર તંદુરસ્ત રહે છે. પરંતુ શું તમે જાણો છો કે કાર્ડિયો (cardio) કરવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે? અહીં જાણો કાર્ડિયો એક્સરસાઇઝ શું છે, તેના ફાયદા અને તે ક્યારે કરવાથી તમને મહત્તમ ફાયદા થઇ શકે છે.

કાર્ડિયો કસરત શું છે? (What is Cardio Exercise)

‘કાર્ડિયો’ એટલે કે કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ, તેનું નામ ગ્રીક શબ્દ ‘કાર્ડિયા’ પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે હૃદય. સરળ શબ્દોમાં કહીએ તો, કોઈપણ કસરત જે લાંબા સમય સુધી તમારા હૃદયના ધબકારા વધારે છે તેને કાર્ડિયો કહેવામાં આવે છે. કાર્ડિયો કસરત આપણા હૃદય અને ફેફસાંને મજબૂત બનાવે છે અને શરીરને સતત વધુ ઓક્સિજનની જરૂર પડે છે, જેનાથી તમારા શ્વાસની ગતિ પણ વધે છે.

આ પણ વાંચો: જમતી વખતે 90 ટકા લોકો કરે છે મોટી ભૂલ, આ 4 ખરાબ આદત સુધારી લો, શરીરને પુરું પોષણ મળશે

કાર્ડિયોના ફાયદા (Benefits of Cardio)

  • આયુષ્યમાં વધારો : નિયમિત કાર્ડિયો એક્સરસાઇઝ તમારી ફિટનેસ અને કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થમાં વધારો કરે છે, જેનાથી હૃદયના ધબકારા પ્રતિ મિનિટ (BPM) દરમાં ઘટાડો થાય છે. આનાથી શરીર તણાવને સારી રીતે હેન્ડલ કરી શકે છે અને લાંબુ જીવન જીવવાની શક્યતા વધી જાય છે.
  • હાર્ટ હેલ્થ: કાર્ડિયો કરવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે. તે હૃદયની ક્ષમતામાં વધારો કરે છે, જેના કારણે તે શરીરમાં લોહીનો પ્રવાહ સુચારૂ રાખે છે.
  • વજન ઘટાડવું: લાંબા સમય સુધી નિયમિત રીતે કાર્ડિયો કરવાથી પણ વજન ઘટી શકે છે, કારણ કે કસરત દરમિયાન શરીરમાં જમા થયેલી ચરબી ઉર્જા સ્વરૂપે ખર્ચાય છે.
  • મેન્ટલ હેલ્થ : કાર્ડિયો માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. વ્યાયામ લોહીના પ્રવાહમાં સુધારો કરે છે, જે મગજને ઓક્સિજન પૂરો પાડે છે અને તમારો મૂડ સુધારે છે.

આ પણ વાંચો: આ છે ઊંઘમાં હાર્ટ એટેક આવવાના 5 સંકેત, જો ખબર પડે તો અવગણવાની ભૂલ ના કરતા

કાર્ડિયો કસરત કરવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે? (When is the best time to do cardio exercise)

કાર્ડિયો માટે યોગ્ય સમય તમારી લાઇફસ્ટાઇલ, એનર્જી લેવલ અને સ્વાસ્થ્ય લક્ષ્યો પર આધાર રાખે છે. વહેલી સવારે કાર્ડિયો તમારા મૂડ અને ઊર્જાને વધારી શકે છે અને તમને દિવસભર તાજગી અનુભવી શકે છે. બપોરે કાર્ડિયો કરવાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. તે જ સમયે, સાંજે કાર્ડિયો કરવાથી સ્નાયુઓની શક્તિ અને સહનશક્તિ વધે છે. સ્પોર્ટ્સ મેડિસિનમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ દર્શાવે છે કે સવારમાં કાર્ડિયો અને દિવસ દરમિયાન સ્ટ્રેન્થ ટ્રેઇનિંગનું સંયોજન ફિટનેસ વધારવામાં સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે છે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ