scorecardresearch

વિશ્વ ગ્લુકોમા વીક: PGIMER પ્રારંભિક તપાસની જરૂરિયાત પર કરે છે કાર્યક્રમોનું આયોજન

World Galucoma Week : ગ્લુકોમા (Galucoma) ની દવાઓ ઓપ્ટિક ચેતાને નુકસાન અટકાવવા એલિવેટેડ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર (IOP) ઘટાડીને ગ્લુકોમાની પ્રગતિને ધીમું કરે છે. જેની સર્જિકલ સારવાર પણ ઉપલબ્ધ છે.

World Glaucoma Week. (File Photo)
વિશ્વ ગ્લુકોમા સપ્તાહ. (ફાઇલ ફોટો)

ચંદીગઢમાં પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) ખાતેનું એડવાન્સ્ડ આઇ સેન્ટરએ , 12 થી 18 માર્ચ દરમિયાન વિશ્વ ગ્લુકોમા સપ્તાહની ઉજવણી કરવા માટે ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લુકોમા પર જાગૃતિ ફેલાવાનોછે, જે તમામ પ્રકારની વસ્તીને અસર કરે છે.

પ્રોફેસર એસ એસ પાંડવે, ઓપ્થેલ્મોલોજી અને એડવાન્સ આઇ સેન્ટર વિભાગના વડા – PGIMER, જણાવ્યું હતું કે ગ્લુકોમા ઘણા જોખમી પરિબળો સાથે સંકળાયેલું છે જેમાં ફેરફાર કરી શકાય તેવું પરિબળ આંખના દબાણમાં વધારો છે અને તે બદલી ન શકાય તેવી અંધત્વ તરફ દોરી જાય છે.

તેમણે કહ્યું હતું કે, “મોટાભાગે ગ્લુકોમા દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બને છે કારણ કે દર્દી છેલ્લા તબક્કા સુધી લક્ષણો ધરાવતા નથી. ગ્લુકોમાને વધતો રોકવા માટે વહેલી રોગની ઓળખ અને સારવાર સૌથી મહત્વપૂર્ણ છે. ગ્લુકોમા સામાન્ય રીતે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને અસર કરે છે. હાઈ મ્યોપિયા, ડાયાબિટીસ અને કૌટુંબિક ઈતિહાસ ધરાવતા લોકોમાં ગ્લુકોમા થવાનું જોખમ વધારે હોય છે.”

આ પણ વાંચો: ભારતમાં 10 મિલિયનથી વધુ વયસ્કોને ડિમેન્શિયા થવાની સંભાવના : AI અભ્યાસ

હાલમાં, ગ્લુકોમા સમગ્ર વિશ્વમાં આશરે 80 મિલિયન લોકોને અસર કરે છે, જેમાંથી લગભગ અડધા લોકો અજાણ છે કે તેઓને આ રોગ છે અને તેઓને શું કાળજી રાખવી એ ખ્યાલ નથી. ગ્લુકોમા ધરાવતા દર્દીઓના પરિવારના સભ્યોની તપાસ ફરજિયાત છે, કારણ કે આ રોગ 10 ટકાથી 15 ટકા કેસમાં દર્દીઓના ભાઈ-બહેન અને બાળકોને અસર કરી શકે છે.

એડવાન્સ્ડ આઇ સેન્ટર, એક તૃતીય કેન્દ્ર હોવાને કારણે, દેશના ઉત્તરના નેત્રરોગ ચિકિત્સકો માટે સતત તબીબી શિક્ષણ (CME) નું આયોજન કરે છે.પ્રોફેસર પાંડવે જણાવ્યું હતું કે, “અમને જાણવા મળ્યું કે આ શૈક્ષણિક પ્રવૃત્તિઓએ રોગના પ્રારંભિક તબક્કે જ પ્રારંભિક નિદાન અને સમયસર સારા કેન્દ્રમાં રેફરલ કરવામાં મદદ કરી હતી. છેલ્લા સાત વર્ષથી આપણા પોતાના દર્દીઓની ઝડપથી વધી રહેલી સંખ્યા પરથી આ સ્પષ્ટ થાય છે. એડવાન્સ આઈ સેન્ટર, PGI એ એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં 3,965 નવા નોંધાયેલા અને 24,850 ફોલો-અપ દર્દીઓને સેવાઓ પૂરી પાડી છે. અમે ભારતમાં ઉપલબ્ધ તમામ પ્રકારની આધુનિક સર્જીકલ સારવાર પૂરી પાડીએ છીએ.”

ગ્લુકોમા શું છે?

ગ્લુકોમા એ આંખનો રોગ છે જે ઓપ્ટિક નર્વને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. આંખ એક કેમેરા જેવી છે જે ઇમેજ કેપ્ચર કરીને મગજને મોકલે છે. તે મગજ છે જે છબી જુએ છે. જ્યારે ઓપ્ટિક નર્વને નુકસાન થાય છે ત્યારે મગજ છબી જોઈ શકતું નથી. જો સારવાર ન કરવામાં આવે તો, ગ્લુકોમાના મોટાભાગના પ્રકારો ધીમે ધીમે દ્રષ્ટિને નુકસાન અને અંધત્વ તરફ આગળ વધે છે.

ગ્લુકોમાએ વિશ્વભરમાં બદલી ન શકાય તેવા અંધત્વનું મુખ્ય કારણ છે, છતાં 90% અટકાવી શકાય તેવું છે. રોગની ધીમી પ્રગતિને કારણે મોટાભાગના દર્દીઓને ગ્લુકોમા હોવાની જાણ હોતી નથી અને તેઓ કોઈ સારવાર લેતા નથી અને તેમની દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ રહેલું છે. ગ્લુકોમાના ઘણા પ્રકારો છે. કેટલાક અન્ય વિઝ્યુઅલ ડિસઓર્ડરની ગૂંચવણ તરીકે થઈ શકે છે, પરંતુ મોટા ભાગના ‘પ્રાથમિક’ છે.

એક સમયે એવું માનવામાં આવતું હતું કે મોટાભાગના અથવા તમામ ગ્લુકોમાનું કારણ આંખની અંદરનું હાઈ પ્રેશર હતું (જેને ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર – IOP તરીકે ઓળખવામાં આવે છે). અસાધારણ રીતે ઊંચા IOP વગરના લોકો પણ ગ્લુકોમાથી પીડાઈ શકે છે. ઉંમર, વંશીયતા, કૌટુંબિક ઈતિહાસ, હાઈ મ્યોપિયા અને આંખની કોઈ ઈજાઓ જેવા અન્ય પરિબળો સાથે હાઈ આંખનું દબાણ એ ગ્લુકોમા માટે જોખમી પરિબળ છે. દ્રષ્ટિની ખોટ બદલીન શકાય તેવી હોવા છતાં, દવાઓ અથવા શસ્ત્રક્રિયા વધુ દ્રષ્ટિની ખોટને અટકાવી અથવા ધીમી કરી શકે છે. તેથી, પ્રારંભિક તપાસ જરૂરી છે.

ગ્લુકોમાને રોકવા માટે તમે શું કરી શકો?

હાલમાં, આંખની નિયમિત ટેસ્ટ એ નોંધપાત્ર ગ્લુકોમા નુકસાન સામે નિવારણનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. પ્રારંભિક તપાસ અને સાવચેતીપૂર્વક, આજીવન સારવાર મોટાભાગના લોકોમાં દ્રષ્ટિ જાળવી શકે છે. સામાન્ય રીતે, ગ્લુકોમાની તપાસ નીચેના તબક્કામાં થવી જોઈએ:

આ પણ વાંચો: મહારાષ્ટ્ર, ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ, તે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે કરી શકે અસર?

  • 40 વર્ષની ઉંમર પહેલા, દર બે થી ચાર વર્ષે તપાસ કરાવી જરૂરી છે.
  • 40 થી 54 વર્ષની ઉંમર સુધી, દર એકથી ત્રણ વર્ષના અંતરમાં
  • 55 થી 64 વર્ષની ઉંમર સુધી, દર એકથી બે વર્ષે
  • 65 વર્ષ પછી, દર છ થી 12 મહિને
  • વધારે જોખમી ધરાવતા કોઈપણ વ્યક્તિની 40 વર્ષની ઉંમર પછી દર કે બે વર્ષે ટેસ્ટ કરાવવું જોઈએ. વધુ જોખમ ધરાવતા લોકોમાં ગ્લુકોમાનો પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકો, મ્યોપિયા ધરાવતા લોકો અને ડાયાબિટીસ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. જો તમારા માતા-પિતા અથવા ભાઈ અથવા બહેન ગ્લુકોમાથી પીડિત હોય તો તમને જોખમ વધારે છે.

સમયસર નિદાન અને યોગ્ય સારવાર મહત્વપૂર્ણ છે

જ્યારે ગ્લુકોમાને રોકવાની કોઈ જાણીતી સારવાર નથી, તો ગ્લુકોમાથી અંધત્વ અથવા નોંધપાત્ર દ્રષ્ટિની ખોટને અટકાવી શકાય છે જો રોગ પ્રારંભિક તબક્કામાં શોધી કાઢવામાં આવે તો. પ્રાથમિક ઓપન એંગલ ગ્લુકોમામાં, દ્રષ્ટિની ખોટ, ધીમી અને પ્રગતિશીલ છે. તે સામાન્ય રીતે પહેલા બાજુની દ્રષ્ટિ (પેરિફેરલ વિઝન) ને અસર કરે છે અને જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ અંતમાં કેન્દ્રીય દ્રષ્ટિ વ્યક્તિ ગુમાવે દે છે જે સંપૂર્ણ અંધત્વ તરફ દોરી જાય છે.

ગ્લુકોમા દવાઓ ઓપ્ટિક ચેતાને નુકસાન અટકાવવા એલિવેટેડ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર (IOP) ઘટાડીને ગ્લુકોમાની પ્રગતિને ધીમું કરે છે. સર્જિકલ સારવાર પણ ઉપલબ્ધ છે.

આંખોનું રક્ષણ કરવું

રમતગમત પ્રવૃત્તિઓ અથવા કોઈ પ્રોજેક્ટ્સમાં રોકાયેલા હોય ત્યારે રક્ષણાત્મક ચશ્મા પહેરવાનું મહત્વપૂર્ણ છે. આંખની ઇજાઓ આઘાતજનક ગ્લુકોમા અથવા ગૌણ ગ્લુકોમામાં પરિણમી શકે છે.

દવાઓ ટાળો

સ્ટેરોઇડ્સ જેવી દવાઓ અમુક વ્યક્તિઓમાં આંખનું દબાણ વધારી શકે છે. આંખના ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓનો ઉપયોગ કરવામાં સાવચેત રહેવું જોઈએ.

Web Title: World galucoma week chandigarh health news tips awareness ayurvedic life style

Best of Express