Yoga darshan pawanmuktasana benefits: યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘પવન મુક્તાસન’ આસન (pawanmuktasana yoga Steps) વિશે જાણકારી મેળવીશું. ‘પવન મુક્તાસન’ (vajrasana pose yoga)નો અભ્યાસ કરવાથી પેટની માંસપેશીઓ અને કરોડરજ્જુ મજબૂત અને સ્થિતિ સ્થાપક બને છે. પાચન ક્રિયા સુદ્રઢ બનવાની સાથે ગેસ સહિત પેટના વિકારોની સમસ્યા દૂર થાય છે. તો ચાલો જાણીયે ‘પવન મુક્તાસન’ કરવાની રીત (vajrasana yoga tips) અને તેના ફાયદાઓ (vajrasana yoga benefits) વિશે…
આસન પરિયય – ‘પવન મુક્તાસન’
‘પવન મુક્તાસન’ કરવાની રીતઃ-
સર્વ પ્રથમ જમીન પર સુઇ જાવ. બંને પગને ઢીંચણમાંથી પેટ તરફ લઇ જવા. ત્યારબાદ બંને હાથ ભેગા કરીને ઘુંટણ ઉપર લોક કરવા. ત્યારબાદ દાઢીનો ભાગ ઘુંટણ તરફ લઇ જવો. ત્યાર પછી થોડાક સેકન્ડ રોકાઇને પહેલા માથુ જમીન પર મુકવું. ત્યારબાદ હાથ મૂળ સ્થિતિમાં કમર પાસે જમીન પર મુકવા. છેલ્લે બંને પગ સીધા કરીને જમીન તરફ મૂળ સ્થિતિમાં લઇ જવા.
‘પવન મુક્તાસન’ ક્યારે અને કેટલી વખત કરવું?
‘પવન મુક્તાસન’નો ખાલી પેટ સવારે કે સાંજે (પેટ સાફ થયા બાદ) બેથી ત્રણ વાર અભ્યાસ કરવો. એક આસનમાં 10 થી 12 સેકન્ડ સુધી રોકાવવુ.
શ્વસન ક્રિયાઃ-
- ‘પવન મુક્તાસન’માં શ્વાસ લેતી વખતે આસનની સ્થિતિ બનાવવી. શ્વાસ બહાર છોડતી વખતે મૂળ સ્થિતિમાં પાછું આવવું.
‘પવન મુક્તાસન’ આસન કરવાના ફાયદાઃ-
- આ આસન નિયમિત કરવાથી પેટની માંસપેશીઓ મજબૂત બને છે.
- કરોડરજ્જુ સ્થિતિ સ્થાપક અને મજબૂત બને છે.
- પાચનઅંગોને માલીશ મળે છે.
- શરીરનો વાયુ વિકાર દૂર કરીને આંતરડાની કબજીયાત દૂર કરે છે.
- સ્ત્રીઓમાં માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓમાં સહાયક છે.
આ પણ વાંચોઃ ‘ત્રિકોણાસન’થી હાથ-ખભાની માંસપેશીઓ મજબૂત બને છે, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ
આ આસનની મર્યાદાઓઃ-
- જેમને સર્વાઇકલનો દુખાવો હોય તેમણે આ આસન ન કરવું
- પેટની નાની-મોટી સર્જરી કરાવી હોય તો તેમણે આ આસન ન કરવું
- ઘુંટણમા વધારે પડતો દુખાવો હોય તેવી વ્યક્તિએ આ આસનનો અભ્યાસ કરવો
- ઉચ્ચ રક્તચાપ (હાઇ બ્લડ પ્રેશર) હોય તેમણે આ આસન કરવું નહીં
- સાઇટીકાનો દુખાવો હોય તેવી વ્યક્તિઓએ પણ આ આસન કરવું નહીં