Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલ સમન્સ પર હાજર ન થતા ઈડીની કોર્ટમાં ફરિયાદ, બુધવારે સુનાવણી

ED Summons Arvind Kejriwal Delhi Liquor Scam : અરવિંદ કેજરીવાલના ઇડીએ એક પછી એક સમન્સ મોકલ્યા છે પરંતુ એક પણ વખત તેઓ હાજર થયા નથી. આ મામલે ઇડી દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

Written by Ajay Saroya
February 03, 2024 22:05 IST
Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલ સમન્સ પર હાજર ન થતા ઈડીની કોર્ટમાં ફરિયાદ, બુધવારે સુનાવણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (તસવીર - વીડિયો સ્ક્રીનગ્રેબ) અરવિંદ કેજરીવાલ)

ED Summons Arvind Kejriwal Delhi Liquor Scam : અરવિંદ કેજરીવાલની સમસ્યા સતત વધી રહી છે. દિલ્હી લિકર કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ED કોર્ટ પહોંચી છે. મળતી માહિતી મુજબ, સીએમ કેજરીવાલ વિરુદ્ધ ED દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે.

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઇડીની કોર્ટમાં ફરિયાદ

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે, લોક સેવક હોવા છતાં સીએમ કેજરીવાલ EDના સમન્સનું પાલન નથી કરી રહ્યા. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલના આદેશનું પાલન ન કરવાના કારણે આઈપીસીની કલમ 174 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કલમ 50 હેઠળ પુછપરછ માટે તપાસ એજન્સી સમક્ષ એક વ્યક્તિએ હાજર થવું જરૂરી છે.

Arvind Kejriwal | ED | Today News
અરવિંદ કેજરીવાલ એક્સપ્રેસ ફોટો

તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલ વિરુદ્ધ એક પછી એક પાંચ સમન્સ જારી કર્યા છે, પરંતુ કેજરીવાલ ED સમક્ષ હાજર નથી થઈ રહ્યા. દિલ્હીના મુખ્યમંત્રીએ આ તમામ સમન્સને ગેરકાયદે ગણાવીને ED સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે આ બેવડો ફટકો છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને ED બંનેએ બે અલગ-અલગ કેસમાં આપ પાર્ટીના વડા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ED પાછલા વર્ષથી લિકર કેસમાં કેજરીવાલને સમન્સ મોકલી રહ્યું છે, પરંતુ કેજરીવાલે ED દ્વારા મોકલવામાં આવેલા પાંચેય સમન્સને ગેરકાયદે ગણાવીને હાજર થવાનો ઇનકાર કરી દીધો છે. કેજરીવાલે 2 નવેમ્બર, 21 ડિસેમ્બર, 3 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ ED સમન્સ સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો છે.

‘તમને બધી ખબર છે? તો પછી આ નાટક કેમ?

શનિવારે સવારે દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા પહોંચી હતી. જે બાદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર પોસ્ટમાં લખ્યું કે, ‘મને ક્રાઈમ બ્રાન્ચના આ પોલીસ અધિકારી પ્રત્યે સહાનુભૂતિ છે. તેમનો શું વાંક છે? તેમનું કામ દિલ્હીમાં ગુનાખોરી રોકવાનું છે. પરંતુ ગુનાખોરી રોકવાને બદલે આ પ્રકારનું નાટક કરવામાં આવી રહ્યું છે. એટલા માટે દિલ્હીમાં ગુનાખોરી ખૂબ વધી રહી છે.

આ પણ વાંચો | અરવિંદ કેજરીવાલનો BJP પર આરોપ : AAPના 7 નેતાઓએ પાર્ટી છોડવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી

કેજરીવાલે આગળ લખ્યું કે તેમના રાજકીય આકાઓ મને પૂછે છે કે “AAP” ના કયા ધારાસભ્યને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો? પણ તમે મારા કરતાં વધુ જાણો છો? તમે બધું જાણો છો? માત્ર દિલ્હી જ શા માટે, આખા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં, અન્ય પક્ષોના કયા ધારાસભ્યોને બરતરફ કરવામાં આવ્યા અને સરકારો પડી ગઈ? શું તમે બધું જાણો છો? તો પછી આ નાટક શા માટે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ