Ayodhya Ram Mandir Pran Pratishtha Highlights: અયોધ્યા રામ મંદિરમાં આજે 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. લગભગ 500 વર્ષ બાદ રામ લલ્લા તંબુમાંથી હવે મંદિરમાં બિરાજમાન થયા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ઉત્સવે જેવો માહોલ છે. ભારતના દરેક રાજ્ય, જિલ્લા, શહેર અને ગામ પ્રભુ રામના આગમન માટે સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. દરેકને એ જ ક્ષણનો ઇતેંજાર છે ‘રામ આયેંગે’. અહીંયા તમને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પળે પળના લેટેસ્ટ લાઇવ ન્યૂ અપડેટ મળશે
