Anant Singh : અનંત સિંહ જંગી સંપત્તિના માલિક છે, જાણો તેમના વિરુદ્ધ કેટલા કેસ નોંધાયા છે?

Anant Singh Net Worth : બિહારના જેડીયુ નેતા અનંત સિંહની દુલારચંદ યાદવ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાજકારણની સાથે સાથે અપરાધની દુનિયામાં પણ મોટું નામ છે.

Written by Ajay Saroya
November 02, 2025 14:51 IST
Anant Singh : અનંત સિંહ જંગી સંપત્તિના માલિક છે, જાણો તેમના વિરુદ્ધ કેટલા કેસ નોંધાયા છે?
Bihar JDU Candidate Anant Singh Arrested : અનંદ સિંહ બિહાર વિધાનસભા ચૂંટણીના મોકામા બેઠક પર જેડીયુના ઉમેદવાર છે. (Photo: @MLA_AnantSingh)

Bihar Election 2025 News : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. શનિવારે મોડી રાત્રે પટના પોલીસે તેમની ધરપકડ કરી હતી. દુલારચંદ યાદવની હત્યા પછી અનંત સિંહનું નામ સતત ચર્ચામાં હતું અને તેના પર મોટાભાગના પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. હવે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

બિહારના રાજકારણમાં અનંત સિંહને એક અનુભવી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ લાંબા સમયથી બિહારના રાજકારણમાં સક્રિય રહ્યા છે. રાજકીય સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા, પરંતુ અનંત સિંહનું મહત્વ, મહત્વાકાંક્ષા અને તાકાત હજુ પણ છે, બધુ તેમના નામની જેમ જ ‘અનંત’ છે.

અનંત સિંહ વિરુદ્ધ કેટલા ફોજદારી કેસ છે?

અનંત સિંહે દાખલ કરેલા નામાંકન પત્ર મુજબ, તેની સામે 28 ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, ગુનાહિત ષડયંત્ર, ત્રાસ, અપહરણ અને હુમલો જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. આ સિવાય ચોરી, ગુનેગારોને પ્રોત્સાહન આપવું અને હથિયારો સંબંધિત અન્ય ઘણા કેસ પણ નોંધવામાં આવ્યા છે.

અનંત સિંહ પાસે કેટલી સંપત્તિ છે?

અનંત સિંહના ચૂંટણી સોગંદનામામાં જણાવાયું છે કે, હાલમાં તેમની પાસે 13 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેમની પાસે ટોયોટા લેન્ડ ક્રુઝર, ટોયોટા ફોર્ચ્યુનર એસયુવી જેવા લક્ઝરી વાહનો છે. તેમની પાસે 2 કરોડ રૂપિયા સુધીના વાહનો છે. આ સિવાય તેમની પાસે હાથી, ઘોડો અને ગાય પણ છે.

જો અનંત સિંહની જંગમ અને સ્થાવર સંપત્તિ ઉમેરવામાં આવે તો કુલ સંપત્તિનો આંકડો 37.88 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. તેમની પત્ની નીલમ દેવી પણ મોકામાથી ધારાસભ્ય છે, તેમની પણ 62.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

અનંત સિંહની ધરપકડની Inside Story

અનંત સિંહની ધરપકડ કરવા માટે બિહાર પોલીસ શનિવારે મોડી રાત્રે પટનાથી મોકામા જવા રવાના થઈ હતી. ત્યાં પોલીસે અનંત સિંહના સમર્થકોનો સામનો કર્યો હતો. લાંબી વાટાઘાટો થઈ, ઘણા મુદ્દાઓ પર મંથન થયું અને છેવટે અનંત સિંહની ધરપકડ કરવામાં આવી. મોડી રાત્રે બીજી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તે પ્રેસ કોન્ફરન્સમાં, એસએસપીએ સત્તાવાર રીતે ધરપકડની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પટનાના એસએસપીએ જણાવ્યું હતું કે 30 ઓક્ટોબરના રોજ મોકામાના તારતાર વિસ્તારમાં બે ઉમેદવારોના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં દુલારચંદ યાદવનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘટના સમયે અનંત સિંહ ઘટના સ્થળે હાજર હતો અને તેણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ