યામિની નાયર : બિંદુ અમ્મિની (Bindu Ammini) હોવાનું સરળ નથી. દલિત કાર્યકર અને શિક્ષિકા સપ્ટેમ્બર 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે કેરળના સબરીમાલા પહાડી મંદિરમાં પ્રવેશ કરનાર પ્રથમ બે મહિલાઓમાંની એક હતી, જેણે પ્રથમ વખત માસિક ધર્મની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપાવી હતી.
ચાર વર્ષ પછી પણ સામાજિક બહિસ્કાર અમ્મિની માટે સૌથી મોટી અડચણ છે. તેણીની કહે છે કે, “કેરળના 3.5 કરોડ લોકોમાંથી 50 લોકોએ પણ અંગત રીતે મારો વિરોધ કર્યો નથી. પરંતુ જે કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો છે, અને તેઓ બહુમતીમાં હોવાનો ડોળ કરે છે. હું તેમના પ્રભાવને કારણે આ બહિષ્કારનો સામનો કરી રહી છું.”
અમ્મિની કિશોરાવસ્થાથી જ રાષ્ટ્રીય સેવા યોજનાના ભાગ રૂપે સામાજિક કાર્યો માટે કામ કરી રહી છે. તે કહે છે કે, “કોલેજમાં, હું CPI-ML (ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશન)ની મહિલા પાંખની પ્રમુખ હતી અને બાદમાં કેન્દ્રીય સમિતિની સભ્ય હતી. 2010 સુધીમાં, મેં મારી જાતને રાજકીય સંસ્થાઓથી અલગ કરી દીધી અને મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું”.
કાયદામાં તે માસ્ટર્સ થઈ, જે તેણીએ 2013 માં પૂર્ણ કર્યું, તેણે કોઝિકોડની સરકારી લો કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. તેણી કહે છે કે તેને બંધારણમાં વિશ્વાસ છે, અને જેથી તે અવિરત નફરત અભિયાનનો સામનો કરવામાં તેની મદદ કરી છે. “આજે હું બંધારણ શીખવી રહી છું. સ્વાભિમાનવાળો કોઈ કેસ બેસીને કેવી રીતે જોઈ શકે છે, જ્યારે જ્યારે મહિલાઓને (સબરીમાલા) મુદ્દા પર નિશાન બનાવવામાં આવી રહી છે.
2 જાન્યુઆરી, 2019 ના રોજ, અમ્મિની અને 43 વર્ષીય કનકદુર્ગા, જે તે સમયે પડોશી મલપ્પુરમ જિલ્લામાં કેરળ રાજ્ય નાગરિક પુરવઠા નિગમના આઉટલેટના મેનેજર તરીકે કાર્યરત હતા, ભારે પોલીસ સુરક્ષા હેઠળ સબરીમાલા મંદિરમાં પ્રવેશ્યા હતા.
“મને વારંવાર પૂછવામાં આવે છે કે શું હું ભક્ત છું. સબરીમાલાની મુલાકાત લેવાના મારા નિર્ણય પર સવાલ ઉઠાવવાની આ તેમની રીત છે. તમે કોઈની ભક્તિનો નિર્ણય કેવી રીતે કરો છો? શું આ પ્રશ્ન ક્યારેય કોઈ પુરુષને પૂછવામાં આવ્યો છે? ધાર્મિક બહિષ્કાર પરિવર્તન માટે લડનારા સમાજ સુધારકો હતા. ક્યારેય ધર્મનિષ્ઠ કે ધાર્મિક નથી,” એમિની કહે છે, તેમણે અનેક શારીરિક હુમલાઓનો શિકાર થવું પડ્યું છે.
ગયા વર્ષે 5 જાન્યુઆરીએ, કોઝિકોડના મુખ્ય માર્ગ પર એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો ત્યારે અમ્મિનીને માથામાં ઈજા થઈ હતી. “હું દરેક હુમલા સાથે મજબૂત બની. અમારે માનસિક રીતે મજબૂત બનવાની જરૂર છે,” એક અડગ અમ્મીની કહે છે. “મને હંમેશા ધમકીઓનો સામનો કરવો પડે છે, પરંતુ મને મારા નિર્ણય પર ક્યારેય પસ્તાવો થયો નથી, કે હું કોઈથી ડરતી નથી.” પરંતુ આવી ક્ષણો ત્યારે આવે છે જ્યારે તે પોતાને શક્તિહીન અનુભવે છે, “ખાસ કરીને ત્યારે જ્યારે મારા વિદ્યાર્થીઓને પણ મને ટેકો આપવા બદલ ધમકાવવામાં આવે છે.”
તે એક દિવસ યાદ કરે છે જ્યારે તેની પુત્રીની શાળામાં હતી. બાળકોએ તેને સબરીમાલા તીર્થયાત્રીઓના મંત્રોચ્ચાર “સ્વામી શરણમયપ્પા” સાથે ટોણો માર્યો. શું તે વાતથી ચિંતિત હતી કે બાળકોને કેટલી અસર થઈ? “ના, નાની ઉંમરે બાળકોનું બ્રેઈનવોશ કરી તેમને ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે, પરંતુ જ્યારે તેઓ મોટા થશે, ત્યારે તેઓ બહાદુર બની ઉભરી આવશે અને સાચો અભિપ્રાય રચશે. ઘણા યુવાનો છે જે અલગ રીતે વિચારે છે. તેથી તેમના વિશે ચિંતા કરવાની જરૂર નથી,” તેણી કહે છે.
તેણી જણાવે છે કે, કેટલાક મિત્રો પણ તેની સાથે જાહેરમાં આવવા માટે અનિચ્છા ધરાવે છે. “મને તેની આદત થઈ ગઈ છે. મને કોઈ અફસોસ નથી. તે મારી સમસ્યા નથી.”
આ લડાઈ ઘરની નજીક ત્યારે થઈ જ્યારે અમ્મિનીના ભાગીદાર હરિહરન કેવી અને પુત્રી ઓલ્ગા બીએચને પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ તરત જ ઘરમાંથી દૂર રહેવું પડ્યું. ધોરણ 11 ની વિદ્યાર્થીની, ઓલ્ગાએ તેનું નામ ઓલ્ગા બેનારીયો પ્રેસ્ટેસ પરથી મેળવ્યું છે, જે એક જર્મન-બ્રાઝિલિયન સામ્યવાદી છે જેને નાઝી જર્મની દ્વારા ફાંસી આપવામાં આવી હતી. અમ્મીની માતા, જેમણે ધમકીઓનો સામનો કરવો પડ્યો, તેમને હૃદયરોગનો હુમલો થયો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
જ્યારે તેણી તેના પરના હુમલાઓ માટે “દક્ષિણીપંથી તાકાતો”ને જવાબદાર માને છે, અમ્મીની કેરળમાં CPI(M)ના નેતૃત્વ હેઠળની ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારના પ્રતિભાવથી નિરાશ છે. તેણી કહે છે કે સરકારની “મૂર્ખતા”ના કારણે તેણીને કેરળમાંથી બહાર નીકળવા અથવા અન્યત્ર આશ્રય મેળવવા માટે વિચારતા કરી છે.
તેણી કહે છે કે, “સુપ્રીમ કોર્ટના આદેશ પછી, મુખ્ય પ્રધાન (પિનરાઈ વિજયન) એ ખાતરી આપી હતી કે, મંદિરની મુલાકાત લેનારી મહિલાઓ સુરક્ષિત રહેશે. મારા પર હુમલો કરનારાઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. ઓછામાં ઓછું તેઓ મારું રક્ષણ તો કરી શકે છે”.
એમિની કહે છે, “જો હું બહાર નીકળુ છુ, તો એવું નહીં થાય કારણ કે હું સંઘ પરિવારથી ડરુ છુ. આ કેરળમાં સરકારના વિરોધના નિશાનના રૂપમાં હશે જ્યાં આદિવાસી અને દલિતો સુરક્ષિત નથી. હું એવી જગ્યાએ શિફ્ટ થઈશ જ્યાં હું મારું કામ અને સક્રિયતા ચાલુ રાખી શકું. અહીં, હું કંઈ કરી શકતી નથી”. સરકારના સ્ટેન્ડના કારણે તેણે કેટલાક કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું તેનાથી દૂર રહેવું પડ્યું હતું. તેણી કહે છે, “ડાબેરી સરકારનું વલણ સંઘ પરિવાર જેવું છે.”
ગયા વર્ષે 8 માર્ચે, અમ્મિનીએ વાયનાડ જિલ્લાના કનિયમબેટા ખાતે “શી પોઈન્ટ” શરૂ કર્યું, જ્યાં તેણે તેના બજેટ હિશાબે જમીન ખરીદી. અહીં કામ કરતી મહિલાઓ જેમની પાસે ક્યાંય જવા માટે કશુ નથી તેઓ અસ્થાયી રૂપે અહીં રહી શકે છે. હાલમાં તેની પાસે પુસ્તકાલય છે અને અન્ય કામ પ્રગતિ પર છે.