Cheetah Deaths: ચિંતાના મોત – કુનો નેશનલ પાર્કમાં તૈયાર માંસ, બેફામ શિકાર, રેડિયો કોલરની ઇજા, મોનેટરિંગમાં ખામીથી ચિંતા પ્રોજેક્ટ નિષ્ફળતાના આરે

Cheetah Action Plan 2022: કુનો નેશનલ પાર્કમાં એક પછી એક ચિંતાના મોતથી સરકાર ચિંતિત. કુનો પાર્કના ફોરેસ્ટ સ્ટાફ, ચિત્તા પ્રોજેક્ટના જીવવિજ્ઞાનીકો અને પશુચિકિત્સકો, પ્રોજેક્ટ માટે નિમણુક ટેકનિકલ અને સહાયક સ્ટાફ અને સ્થાનિક ગ્રામજનો સાથે કેટલીક સાઇટની મુલાકાતોથી ઘણી સ્ફોટક માહિતી જાણવા મળી

August 06, 2023 15:25 IST
Cheetah Deaths: ચિંતાના મોત – કુનો નેશનલ પાર્કમાં તૈયાર માંસ, બેફામ શિકાર, રેડિયો કોલરની ઇજા, મોનેટરિંગમાં ખામીથી ચિંતા પ્રોજેક્ટ નિષ્ફળતાના આરે
કુનો નેશનલ પાર્કમાં ચિંતાના મોતઃ ગોપનિયતા, નિષ્ણાંતોનો અભાવ અને ગેરવહીવટી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચિંતાની સફળતાના માર્ગમાં અવરોધરૂપ બન્યા. (એક્સપ્રેસ આર્કાઇવ)

(જય મજૂમદાર) Cheetah Deaths in Kuno National Park: ભારતના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લવાયેલા ચિત્તાની એક પછી એક મોતની ઘટનાના ઉંડા પડઘા પડ્યા છે. જુલાઇના મધ્યમાં વધુ બે ચિતાન મોત થયા બાદ કુલ મુત્યુઆંક 8 થયો છે. આ ઘટના અંગે દક્ષિણ આફ્રિકન અને નામિબિયાના નિષ્ણાતોએ ચિત્તા પ્રોજેક્ટનું સંચાલન કરવાની રીત પર “ગંભીર ચિંતા” વ્યક્ત કરતા જણાવ્યું કે, આમાંના કેટલાક મૃત્યુને ટાળી શકાયા હોત. પરંતુ ગોપનિયતા, નિપુણતાનો અભાવ અને ગેરવહીવટીતંત્ર ચિત્તાને બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.

રેડિયો-કોલરથી ચિત્તાને ઇજા, સારવારમાં ખામી

ધ ઇન્ડિયન એક્સપ્રેસની તપાસ અનુસાર અયોગ્ય દેખરેખથી લઈને પ્રોટોકોલ વિરુદ્ધ જંગલમાં છોડવામાં આવેલા ચિત્તાઓને નિયમિત ભોજન આપવા માટે રેડિયો-કોલર ચેપ શોધી ન શકાય તે ઘણી ખામીઓ તરફ ઇશારો કરે છે. કુનોમાં શિકારની સંખ્યામાં ઝડપી ઘટાડો અને ગંભીર ક્ષતિઓએ ચિત્તા પ્રોજેક્ટ પર પ્રશ્નાર્થ ચિહ્નો મૂક્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસે કુનો ફોરેસ્ટ સ્ટાફ, ચિત્તા પ્રોજેક્ટના જીવવિજ્ઞાનીઓ અને પશુચિકિત્સકો, પ્રોજેક્ટ માટે નિયુક્ત કરાયેલા ટેકનિકલ અને સહાયક સ્ટાફ અને સ્થાનિક ગ્રામજનો સાથે કેટલીક સાઇટની મુલાકાતો અને મુલાકાતો વિગતો જણાવે છે.

ચિત્તાઓને જંગલમાં છોડ્યા બાદ પણ ભોજન આપવામાં આવ્યું

આ પ્રોટોકોલ છે : એકવાર તેઓ ભારતમાં લાવ્યા બાદ ચિત્તાઓને થોડા અઠવાડિયા સંસર્ગનિષેધમાં ગાળ્યા પછી વિશાળ શિકાર બોમાસ (બિડાણો)માં ખસેડવામાં આવે છે. ચિત્તા નિયમિતપણે શિકાર કરવાનું શરૂ કરે પછી, તેને જંગલમાં છોડાય છે.

કુનોના સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ટીમે ચિત્તાઓને જંગલમાં છોડ્યા પછી પણ તેમને ખવડાવવાનું ચાલુ રાખ્યું હતું.

“અમે દર ચોથા દિવસે ઓછામાં ઓછું દોઢ ક્વિન્ટલ (150 કિલો) મિશ્રિત માંસ માટે – ચિકન, બકરા અને વાછરડા ખરીદીએ છીએ. આ પ્રક્રિયામાં સામેલ પ્રોજેક્ટ ટીમના સભ્યએ જણાવ્યું હતું કે, ચિત્તાઓને તમામ સ્થળોએ ભોજન પહોંચાડવામાં આવે અને દરેક માટે લગભગ 5 કિલોગ્રામના મીટના ટુકડા બનાવાય છે.

બે પ્રત્યક્ષદર્શીઓએ એક ઘટના યાદ કરતા કહ્યુ કે, એક ઘટનામાં માદા ચિત્તાએ પાર્કની સીમાની નજીક એક વાછરડાને મારી નાખ્યો. માતા ચિત્તાએ ખાવાનું શરૂ કર્યું પરંતુ ત્યારબાદ ફીડ (માંસ)ને જેવું જ વાહન આવ્યું તો તેણે કરેલા શિકારને ત્યજી દીધું.

નિષ્ણાંતો કહે છે કે, ચિત્તાઓને લાંબા સમય સુધી તૈયાર માંસ ખવડાવવાથી પ્રાણીઓ શિકારની વૃ્ત્તિ ભૂલી જાય છે અને જંગલમાં છોડ્યા પછી તેમને ખવડાવવાથી શિકાર કરવાની વૃત્તિ નબળી પડે છે.

વન્યજીવન જીવવિજ્ઞાની ડૉ. રવિ ચેલમએ જણાવ્યું કે, “હંટિંગ બોમાસ હેતુ ચિત્તાઓને સ્થાનિક પર્યાવરણ અને શિકારની પ્રજાતિઓ સાથે અનુરૂપ બનાવવા માટે છે કારણ કે તેનો ઉદ્દેશ્ય મુક્ત જંગલી વસ્તી સ્થાપિત કરવાનો છે. એકવાર જંગલમાં મુક્ત કરાયા બાદ જો બહુ જરૂરી ન હોય ત્યા સુધી કોઈ પૂરક ખોરાક ન હોવો જોઈએ,કારણ કે તૈયાર માંસ આપવાથી તે સંભવિતપણે ચિત્તાઓની શિકાર કરવાની વર્તણૂક પર નકારાત્મક અસર કરી શકે છે,”

ચિત્તા સંચાલન સમિતિના વડા ડૉ. રાજેશ ગોપાલે કહ્યું: “જંગલમાં પ્રાણીઓને તૈયાર ભોજન આપવું એ સ્વીકૃત પ્રથા નથી. સમિતિ ફિલ્ડ ટીમ સાથે તેના વિશે તપાસ કરશે.

મધ્યપ્રદેશના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અસીમ શ્રીવાસ્તવે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

અદ્રશ્ય શિકાર, સક્રિય શિકારીઓ

જંગલમાં ચિત્તાઓને ખવડાવવાનું કારણ જણાવતા અધિકારીઓએ કહે છે કે, તેમનો કુદરતી રીતે શિકારની સંખ્યા ઘટી રહી છે, જે ેક નવો પડકાર બનાવે છે.

વાસ્તવિક આંકડા દર્શાવે છે કે, એક્શન પ્લાન મુજબ – વર્ષ 2022માં 38.48 ચિત્તલ (સ્પોટેડ ડીયર) પ્રતિ ચોરસ કિમી – તંદુરસ્ત શિકાર આધારના મૂલ્યાંકનના આધારે ચિત્તોને કુનોમાં લાવવામાં આવ્યા હતા. જે 2013માં આકારણી કરાયેલા 69 ચિતલ પ્રતિ ચોરસ કિમીની તુલનાએ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આ વર્ષે ચિત્તાનું ક્ષેત્રફળ ઘટીને 20 પ્રતિ ચોરસ કિમીથી નીચે આવી ગયુ છે.

આ વાસ્તવિકતાને નજર અંદાજ કરીને આમ છતાં ગત વર્ષથી રાજ્યના અન્ય જંગલોમાંથી કુનોમાં 700 જેટલી ચિત્તા છોડવામાં આવ્યા હતા.

ઘણા બધા ચિત્તા મોનિટરિંગ ટીમોના સભ્યોના જણાવ્યા અનુસાર, ઓછા ચિત્તા ચિત્તલ, હરણ અને નીલગાયના બચ્ચા જેવા મોટા શિકારને નિયમિત રીતે મારી નાખે છે. તે સંજોગોમાં, કુનોમાં શિકારના આધારની વધતી જતી “તંગી”નું કારણ શું છે, તેઓ કહે છે કે શિકારમાં વધારો થયો છે.

મધ્ય પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથે સંકળાયેલા સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને કુનો અને તેની આસપાસ સક્રિય શિકાર નેટવર્ક વિશે જણાવ્યું છે. આ શિકારી નેટવર્ક જંગલમાં લાગેલા કેમેરા સાથે છેડખાની કરે છે અને કોઈ પુરાવા છોડતા નથી.

બે દરોડામાં ભાગ લેનાર વન કર્મચારીઓએ જણાવ્યું હતું કે, “કુનો અભ્યારણ શિકારીઓ માટે પરંપરાગત હબ રહ્યું છે. તેઓ અમારા કેમેરા ટ્રેપમાં પકડાઈ જાય છે અને અમે તેમનાથી કૅમેરા ટ્રેપ પણ ગુમાવીએ છીએ. લગભગ દરેક ગામમાં ઘણી બધી બંદૂકો, ફાંસો અને ફાંદાઓ ઉપલબ્ધ હોવાથી કુનોમાં શિકાર સામાન્ય છે.”

હકીકતમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસે કુનોની નજીકના ગામોમાં ચિત્તાની ખાલ અને અન્ય ગેરકાયદેસર વન્ય પ્રાણીઓના શરીરના અંગો મળવાની વાત કહી હતી. એક સ્થાનિક રહેવાસીએ પણ “નવો માલ” હોવાનો દાવો કર્યો અને તેના ફોટા પણ દેખાડ્યા હતા.

ચિત્તલની ઘટતી સંખ્યાને શું સમજાવે છે તે અંગે પૂછવામાં આવતા, એક સ્ટીયરિંગ કમિટીના સભ્યએ ભૂતકાળમાં શિકારના પાયાના સંભવિત અતિ-મૂલ્યાંકનનો સંકેત આપતાં પહેલાં, ચિત્તાની વધતી જતી ઘનતાને આભારી છે. “કુનોમાં શિકારના આધાર અને ચિત્તાની વિપુલતાનું નવેસરથી મૂલ્યાંકન ચાલી રહ્યું છે,” તેમણે કહ્યું.

ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્રીવાસ્તવે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

નબળી મોનિટરીંગ વ્યવસ્થા

પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બે નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે ટોચના મેનેજમેન્ટ સહિત કુનો સ્ટાફ પાસે ઓછી વૈજ્ઞાનિક તાલીમ છે અને મોટાભાગના મોનિટરિંગ સ્ટાફ અને પશુચિકિત્સકો ખૂબ બિનઅનુભવી છે, જેના પરિણામે ફિલ્ડ મોનિટરિંગ અત્યંત નબળું છે.

તેમાંથી એકે કહ્યું કે – “તેઓ તેમની જીપમાં બેસે છે અને એક્ટિવ રેડિયો સિગ્નલ પ્રાપ્ત કરીને સંતુષ્ટ છે. પરંતુ જ્યારે ચિત્તાને આવી ગંભીર ઇજા હોય, ત્યારે એક્ટિવ સંકેતો સતત એક્ટિવ રહે છે અને તેને કારણે તેમને નજીકથી અથવા જો જરૂરી હોય તો, શારીરિક રીતે પ્રાણીઓનો સંપર્ક કરવો અને તપાસ કરવી જોઈએ.”

અનુભવી વન્યજીવ જીવવિજ્ઞાની ડૉ. રઘુ ચુંદાવતે સમર્થન આપતા, રેડિયો કોલરની ઇજાઓ દેખાવામાં અઠવાડિયા લાગ્યા હશે. “સંકેતોમાં માથું ધ્રુજાવવું, બેચેની, ઊંઘ અથવા આરામ કરવાની અસમર્થતા અને આ તાણથી સર્જાયેલી અન્ય ગૂંચવણોનો સમાવેશ થાય છે. તેમણે મોનિટરિંગ ટીમોને ચેતવણી આપવી જોઈતી હતી.”

સુપ્રીમ કોર્ટ સમક્ષ તેમની રજૂઆતમાં, દક્ષિણ આફ્રિકા અને નામિબિયાના નિષ્ણાતોએ પણ આ પ્રોજેક્ટની ફિલ્ડ ટીમને આ સ્કેલના પ્રોજેક્ટને હેન્ડલ કરવા માટે જરૂરી તાલીમ અને અનુભવનો અભાવ હોવાની ફરિયાદ કરી હતી.

કુનો ટીમ ઇજા થયા બાદ ચિતાઓને મૃત્યુ પામતા અટકાવી શક્યા નહીં. આ પત્રમાં આક્ષેપ કરાયો છે કે, પ્રોજેક્ટના નિષ્ણાતો સાથે સમયસર માહિતી શેર કરવામાં આવી ન હતી. નહીંત્તર કેટલાક મૃત્યુને ટાળી શક્યા હોત.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ