Cheetah Deaths : ચિત્તા પ્રોજેક્ટને લઈને વિદેશી નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી, "અમને અંધારામાં રાખ્યા"

Cheetah Deaths : મે મહિનામાં સ્થપાયેલી, ચિત્તા સ્ટીયરિંગ કમિટિનું નેતૃત્વ પ્રોજેક્ટ ટાઇગરના ભૂતપૂર્વ વડા ડૉ. રાજેશ ગોપાલ કરે છે, અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. પી.આર. સિંહાનો અને WII વૈજ્ઞાનિક કમર કુરેશી અને અમદાવાદ સ્થિત સામાજિક કાર્યકર મિત્તલ પટેલ સમાવેશ થાય છે.

Cheetah Deaths : મે મહિનામાં સ્થપાયેલી, ચિત્તા સ્ટીયરિંગ કમિટિનું નેતૃત્વ પ્રોજેક્ટ ટાઇગરના ભૂતપૂર્વ વડા ડૉ. રાજેશ ગોપાલ કરે છે, અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. પી.આર. સિંહાનો અને WII વૈજ્ઞાનિક કમર કુરેશી અને અમદાવાદ સ્થિત સામાજિક કાર્યકર મિત્તલ પટેલ સમાવેશ થાય છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
cheetah (file Photo)

ચિત્તા (ફાઇલ ફોટો)

Jay Mazoomdaar : દક્ષિણ આફ્રિકન અને નામીબિયાના નિષ્ણાતો,રાષ્ટ્રીય ચિત્તા પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીના તમામ સભ્યો, જેના દ્વારા ગયા સપ્ટેમ્બરથી 20 ચિત્તાઓને ભારતમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને પ્રોજેક્ટના સંચાલન પર ચિત્તાને અંધારામાં રાખવા અંગે તેમની વેદના અને "ગંભીર ચિંતાઓ" વ્યક્ત કરી છે.

Advertisment

વેદના વ્યક્ત કરતા એક્સપર્ટે જણાવ્યું હતું કે,વધુ યોગ્ય" અને સમયસર "પશુચિકિત્સા સંભાળ" દ્વારા અને પ્રાણીઓની વધુ સારી દેખરેખ રાખવામાં આવી હોટ તો ચિત્તાના કેટલાક મૃત્યુ અટકાવી શકાયા હોત!

ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે, 17 સપ્ટેમ્બરના રોજ તેમના દ્વારા નામિબિયાના આઠ ચિત્તાઓના પ્રથમ સેટને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા અને અન્ય 12 ચિત્તાઓ આ ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાથી છોડવામાં આવ્યા હતા. 11 માર્ચે પ્રથમ બે ચિત્તાઓને જંગલમાં છોડવામાં આવ્યા ત્યારથી, કુનોમાં પાંચ પુખ્ત વયના અને ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા છે.

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર, સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2020 માં ચિતા પ્રોજેક્ટ પર 2013 માં લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવી લીધો હતો. કોર્ટ પ્રોજેક્ટ પર દેખરેખ રાખવાનું ચાલુ રાખ્યું છે.

Advertisment

15 જુલાઈના રોજ, દક્ષિણ આફ્રિકાના નર ચિત્તાઓ તેજસ અને સૂરજના રેડિયો કોલરની ઈજાને કારણે મૃત્યુ થયાના થોડા દિવસો પછી, દક્ષિણ આફ્રિકાના વેટરનરી વાઈલ્ડલાઈફ નિષ્ણાત ડૉ. એડ્રિયન ટોર્ડિફે તેમના સાથીદારો વતી એક પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા : ચિત્તા નિષ્ણાત વિન્સેન્ટ વાન ડેર મર્વે અને વન્યજીવન પશુચિકિત્સકો ડૉ. એન્ડી ફ્રેઝર અને ડૉ. માઇક ટોફ્ટ.

તે જ સમયે, નામીબિયાના ચિતા સંરક્ષણ ભંડોળના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. લૌરી માર્કર દ્વારા સુપ્રીમ કોર્ટને અન્ય એક પત્ર સંબોધવામાં આવ્યો હતો, જેમાં ટોર્ડિફના પત્રમાં સમાન મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે પત્રમાં શું માંગ્યું છે, ત્યારે માર્કરને ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, "નિષ્ણાતો સાથે વધુ સારી વાતચીત, નિષ્ણાતો પર વિશ્વાસ રાખવાની જરૂર છે, વધુ સારું નિરીક્ષણ (નિરીક્ષણ) અને નિષ્ણાતો સાથે નિયમિતપણે અહેવાલો શેર કરો."

ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા રીવ્યુ કરાયેલ SA નિષ્ણાતોના પત્રમાં, પ્રોજેક્ટના વર્તમાન સંચાલનમાં હતું કે, " કોઈ વૈજ્ઞાનિક ટ્રેનિંગ નથી" કેવી રીતે વિદેશી નિષ્ણાતોના "અભિપ્રાયો"ને "અવગણવામાં આવે છે, શા માટે તેઓએ "માહિતી માટે ભીખ માંગવી પડી" અને કેવી રીતે તેઓ પ્રોજેક્ટ માટે "માત્ર વિન્ડો ડ્રેસિંગ" બની ગયા હતા.સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વાન ડેર મર્વે અને ફ્રેઝરે ત્યારથી પોતાને પત્રથી અલગ કરી દીધા છે.

પરંતુ, જ્યારે ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે વાન ડેર મર્વે કહ્યું કે તેઓ "તેઓ સંકળાયેલા નથી" અને ટોર્ડિફે કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.

ટોર્ડિફના પત્રમાં જણાવાયું છે કે, “કુનો તરફથી ચિત્તાઓ અને તેમની સંભાળ અંગે બહુ ઓછી માહિતી મળી છે. તેમ છતાં અમે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો તરીકે ચિતા પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીમાં સૂચિબદ્ધ છીએ, તેમ છતાં અમે ક્યારેય તેમના દ્વારા સલાહ લીધી નથી અથવા તેમની કોઈપણ મીટિંગમાં આમંત્રિત કર્યા નથી.''

આના પરિણામો કેવી રીતે આવ્યા તે સમજાવવા માટે, નિષ્ણાતોએ વિગતવાર માહિતી આપી કે કુનો ક્ષેત્રની ટીમે કેવી રીતે ખોટી રીતે માની લીધું કે 11 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે તેની ગરદનના પાછળના ભાગે ઘા સાથે જોવામાં આવેલ નર ચિત્તાને માદા ચિત્તા દ્વારા ઈજા થઈ હતી જે ગંભીર ઇજા હતી.

પત્રમાં જણાવાયું હતું કે,“કુનોના સ્ટાફે ઇજાગ્રસ્ત નર ચિત્તાને છોડી દીધો, માદા ચિત્તાને શોધવાનું નક્કી કર્યું. તે દરમિયાન નર ચિત્તાની સ્થિતિ વધુ બગડતી ગઈ હતી, અને કોઈ સારવાર ન મળતાં બપોરે 2 વાગ્યે તેનું મૃત્યુ થઈ ગયું હતું.''

તેઓએ લખ્યું કે, "ગરદન પરની ચામડીની બળતરા અથવા ફોટામાં સ્પષ્ટપણે દેખાતા મેગોટ્સની વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી, તેઓ રેડિયો કોલર સમસ્યાનું નિદાન ત્યારે જ કરી શકે જ્યારે તેઓને વિડિઓ ક્લિપ પ્રાપ્ત થઈ હોય અને 14 જુલાઈના રોજ વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું હતું.''

જો તેઓને ફોટોઝ બતાવવામાં આવ્યા હોત અથવા "ઘા" નું વર્ણન હોય, તો તેઓએ અધિકારીઓને ચેતવણી આપી હોત કે અન્ય પ્રાણીઓ માટે જોખમ ઓછું થાય. તેઓએ લખ્યું કે,"તેના બદલે, અમને મોટાભાગે પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને શું થયું હતું તે સમજવા માટે માહિતીની ભીખ માંગવી પડી હતી.''

પ્રોજેક્ટની નિષ્ફળતા આવનારા ઘણા વર્ષો સુધી સમાન પ્રયાસોને નિરુત્સાહિત કરશે તે વાતને હાઇલાઇટ કરીને, નિષ્ણાતોએ SC ને "ક્લિનિકલ તારણો આપતા અને રીઅલ-ટાઇમ શેરિંગને સક્ષમ કરવા કહ્યું છે જેથી દરેક પ્રાણીની સારવાર કેવી રીતે કરવી તે અંગે સામૂહિક નિર્ણય લઈ શકાય." અને તેઓને સંચાલન સમિતિની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ કરવામાં આવે.

કુનોને 27 માર્ચના રોજ પ્રથમ ચિત્તાની દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે નામિબિયન આયાત, સાશાનું કિડનીની બિમારીથી મૃત્યુ થયું હતું.દક્ષિણ આફ્રિકાના નર ચિત્તા ઉદયનું 24 એપ્રિલના રોજ અજ્ઞાત કારણોસર અવસાન થયું હતું.

9 મેના રોજ, દક્ષિણ આફ્રિકાની એક માદા ચિત્તા, દક્ષા, સમાગમના પ્રયાસ દરમિયાન બે નર ચિતાઓ સાથે "હિંસક ક્રિયાપ્રતિક્રિયા" ને પગલે મૃત્યુ પામી હતી. નામિબિયન માદા જ્વાલાને જન્મેલા ત્રણ બચ્ચા મહિનાના અંતમાં ડિહાઇડ્રેશન અને નબળાઈને કારણે મૃત્યુ પામ્યા હતા.

ટોર્ડિફના પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગયા વર્ષે પ્રોજેક્ટના આર્કિટેક્ટ ગણાતા ડૉ. વાય.વી. ઝાલાને "નિવૃત્તિ લેવાની ફરજ પાડવામાં આવી હતી" ત્યારથી નિષ્ણાતોને દૂર કરવામાં આવ્યા હતા.

ઑક્ટોબરમાં, ધ ઇન્ડિયન એક્સપ્રેસે સૌપ્રથમ જાણ કરી હતી કે કેવી રીતે ઝાલા, જાણીતા જીવવિજ્ઞાની અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડીન, જેઓ 13 વર્ષથી વધુ સમયથી ચિતા પ્રોજેક્ટમાં આગળ હતા, અને નામીબિયાથી પ્રાણીઓની પ્રથમ બેચને એસ્કોર્ટ કરી હતી.

એવું જાણવા મળ્યું છે કે પર્યાવરણ મંત્રાલયે ટૂંક સમયમાં બે પત્રો ચિતા સ્ટીયરિંગ કમિટી સમક્ષ “વિગતવાર ચર્ચાઓ” માટે મૂકવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ બ્રેકિંગ ન્યૂઝ