7 july, Gujarat National world daily News latest update: ઓડિશા ટ્રેન અકસ્માત કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઇએ શુક્રવારે ત્રણ રેલવે અધિકારીઓની ધરપકડ કરી છે. વરિષ્ઠ એન્જિનિયર અરુણ કુમાર મહંત, સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમિર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની સીબીઆઇએ ધરપકડ કરી છે. આ ત્રણેય અધિકારીઓ સામે આઈપીસીની કલમ 304 અને 201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા ત્રણેય અધિકારીઓની હવે સીબીઆઈ પૂછપરછ કરશે. આ દુર્ઘટનામાં 292 લોકોના મોત થયા હતા.