એકનાથ શિંદેના ઘરના ભોજનનું બિલ 2 કરોડથી વધુ, કોંગ્રેસ અને NCPએ પૂછ્યા કડવા સવાલ

Eknath Shinde house Food Expenses : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સરકારી આવાસનના ભોજન બીલનો આંકડો સામે આવતા કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) એ કડવા શબ્દોમાં ખેંચાઈ કરી છે, આ સિવાય સોશિયલ મીડિયા (Social Media) પર મુદ્દો ચર્ચામાં છે.

Eknath Shinde house Food Expenses : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સરકારી આવાસનના ભોજન બીલનો આંકડો સામે આવતા કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) એ કડવા શબ્દોમાં ખેંચાઈ કરી છે, આ સિવાય સોશિયલ મીડિયા (Social Media) પર મુદ્દો ચર્ચામાં છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

એકનાથ શિંદેના ઘરના ભોજનનું બિલ 2 કરોડથી વધુ (ફોટો - એકનાથ શિંદે ટ્વીટર)

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન પર ખાવા-પીવાના ખર્ચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એનસીપી નેતા અને કોંગ્રેસ સહિત તમામ નેતાઓએ આ મામલે મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહારો કર્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો, છેલ્લા ચાર મહિનામાં મુખ્યમંત્રી આવાસ પર ખાવા-પીવા પાછળ 2 કરોડ 38 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેના પર કોંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું છે કે, શું તમે ચામાં સોનાનું પાણી મિક્સ કરતા હતા કે શું?

Advertisment

કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ પ્રહારો કર્યા હતા

મળતી માહિતી મુજબ, સીએમ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન પર છેલ્લા ચાર મહિનામાં ભોજનનું બિલ 2 કરોડ 38 લાખ રૂપિયા આવ્યું છે. તેના પર એનસીપી નેતા અજિત પવારે પૂછ્યું છે કે, વર્ષા બંગલાની ચામાં કયું સોનેરી પાણી મિલાવવામાં આવે છે? બીજી તરફ કોંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂતે લખ્યું છે કે, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન પર 4 મહિનાનું ખાવાનું બિલ 2 કરોડ 38 લાખ રૂપિયા જણાવવામાં આવ્યું છે. સીએમને સવાલ "શું તમે ચામાં સોનાનું પાણી મિક્સ કર્યું?" ભાજપના લોકો, તમે કેટલું ખાધું?

સોશિયલ મીડિયા પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે

@awaaz_dill_ki યુઝરે લખ્યું કે, બજેટમાં મંત્રીઓના ફૂડ બજેટની મર્યાદા પણ નક્કી કરવી જોઈએ. પરંતુ આ માત્ર એક કાલ્પનિક વિચાર છે, તે ક્યારેય કરવામાં આવશે નહીં. તેઓ પગાર અને પેન્શન લેશે અને તેમના ખાવાનો ખર્ચ પણ નહીં કરે. @RavindraBishtUk યુઝરે લખ્યું કે, લાગે છે કે, મુખ્યમંત્રીના ઘરમાં ભોજન માટેનું ટેન્ડર ફડણવીસ પાસે છે. @nileshshekokar યુઝરે લખ્યું કે, શું તમે મશરૂમ ખાવાનું શરૂ કરી દીધું છે?

Advertisment

@RavindraBishtUk યુઝરે લખ્યું કે, એકનાથ શિંદે માટે ન તો CBI કે ED, કારણ કે બિલ CM નિવાસનું છે અને ટેન્ડર ફડણવીસનું હશે. ભાજપના લોકો માટે વડાપ્રધાનનું સૂત્ર છે સારું ખાઓ અને અમને પણ ખવડાવો! @NiralaChandan1 યુઝરે લખ્યું કે, કોઈ પ્રશ્ન નહીં કરે, અમૃતકાલ ચાલી રહ્યો છે. ભાજપ અને તેના સાથી પક્ષો કૌભાંડો કરતા નથી, તેઓ જે પણ ખર્ચ કરે છે તે દેશની સેવામાં ખર્ચાય છે. એક યુઝરે લખ્યું કે, રાયપુર અને વિમાન વગેરેનું બિલ કેટલું હતું? તેમને એ પણ જણાવવા દો કે, શું મુખ્યમંત્રીએ તેમના પગારમાંથી ખર્ચ કર્યો?

આ પણ વાંચો - મહારાષ્ટ્ર પોલિટિક્સ : ઉદ્ધવ ઠાકરે જૂથ પર નરમ પડી રહ્યું છે ભાજપ? શું હોઇ શકે છે કારણ

તમને જણાવી દઈએ કે, અજિતને જવાબ આપતાં સીએમ શિંદેએ કહ્યું કે, દૂર-દૂરથી લોકો સીએમના આવાસ પર આવે છે. તેમને ચા આપવામાં આવે છે, બિરયાની નહીં. તે અમારી સંસ્કૃતિમાં છે કે જ્યારે કોઈ આપણા ઘરે આવે છે, ત્યારે તેને ચા-પાણી આપવામાં આવે છે. શું અમારે આ ન કરવું જોઈએ? અજિત પવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા 6 મહિનામાં મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર પર 50 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અજિત પવારે આરટીઆઈમાંથી મળેલા જવાબને ટાંકીને આ આંકડાઓ પર પોતાનો મુદ્દો આપ્યો છે.

congress દેશ ભાજપ મહારાષ્ટ્ર