Indian Army: ભારતીય સેનાના બહાદુર અધિકારી, જેમને પ્રમોશન આપી બનાવ્યા ફિલ્ડ માર્શલ

Indian Army Field Marshals: ભારતીય સેના પોતાની અનુશાસન માટે જાણીતી છે. શિસ્તનો આ પાઠ જનરલ કરિયપ્પાએ તેમને શીખવ્યો હતો, જ્યારે સામ માણેકશાની યુદ્ધ કળાએ શત્રુને પોતાની જાળમાં ફસાવી દેવાનું શીખવ્યું હતું. ભારતીય સેનાના બંને અધિકારીઓને ફિલ્ડ માર્શલમાં બઢતી આપવામાં આવી હતી.

Written by Ajay Saroya
May 22, 2025 15:55 IST
Indian Army: ભારતીય સેનાના બહાદુર અધિકારી, જેમને પ્રમોશન આપી બનાવ્યા ફિલ્ડ માર્શલ
Indian Army Field Marshals: ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ સામ માણેકશા અને કોડંડેરા એમ કરિયપ્પા. (Photo: Jansatta)

Indian Army Field Marshals: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપવામાં આવી છે. અસીમ મુનીર પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ તરીકે બઢતી મેળવનાર આર્મી ઓફિસર બની ગયા છે. ભારતીય સેનાના માત્ર બે અધિકારીઓને અત્યાર સુધી ફિલ્ડ માર્શલ તરીકે બઢતી આપવામાં આવી છે.

આવો જાણીએ ભારતીય સેનામાં ફિલ્ડ માર્શલ તરીકે પ્રમોટ કરવામાં આવેલા સામ માણેકશા અને કોડંડેરા એમ.કરિયપ્પાની કહાની, જેમને 5 સ્ટારથી નવાજવામાં આવ્યા છે.

ફિલ્ડ માર્શલ સામ માણેકશાએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સેનાનું અસાધારણ નેતૃત્વ કરનાર સામ માણેકશાએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું હતું. ભારતની આ જીતથી પાકિસ્તાન ન માત્ર નબળું પડ્યું પરંતુ તેને બે ભાગમાં વહેંચી દીધું – પાકિસ્તાન અને બાંગ્લાદેશ. સામ માણેકશાને ભારતીય સેનાના પ્રથમ ફિલ્ડ માર્શલના યુદ્ધ પછીના રેન્કમાં બઢતી આપવામાં આવી હતી અને તેમના ખભા પર ફાઇવ સ્ટાર આપવામાં આવ્યો હતો.

સમગ્ર દેશમાં સામ માણેકશાને ‘સામ બહાદુર’ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 1914માં અમૃતસરના પારસી પરિવારમાં થયો હતો. 1986માં નાગાલેન્ડ અને મિઝોરમમાં બળવાને ડામવામાં સામ માણેકશાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જે બાદ ભારત સરકાર દ્વારા તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાનના બોસ હતા ફિલ્ડ માર્શલ કોડંડેરા એમ. કરિયપ્પા

ભારત આઝાદ થયું તેના થોડા સમય બાદ જ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો. તે સમયે કેએમ કરિયપ્પા ભારતીય સરહદની પશ્ચિમ દિશામાં સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. કરિઅપ્પાને સ્વતંત્ર ભારતમાં 15 જાન્યુઆરીએ ભારતીય સેનાના વડા બનાવવામાં આવ્યા હતા. આ પહેલા આ પદ પર એક બ્રિટિશ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી. 15 જાન્યુઆરીના રોજ એક ભારતીયએ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેની જવાબદારી સંભાળી હતી. આ કારણે દર વર્ષે 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે.

1953માં સેનામાંથી નિવૃત્ત થયા બાદ ભારત સરકાર તરફથી કેએમ કરિયપ્પાને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રાજદૂત બનાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પોતાના અનુભવોના આધારે ત્યાંના સેનાને ફરીથી સંગઠિત કરવામાં મદદ કરી હતી. જે પછી તેમને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર, મેન્શન ઇન ડિસ્પેચ એન્ડ લીજન ઓફ મેરિટ જેવા આંતરરાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 1986માં કરિયપ્પાને ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપી હતી. જે બાદ તેના ખભા પર એક ફાઈવ સ્ટાર મૂકવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ આર્મી ચીફ જનરલ અયુબ ખાન આઝાદી પહેલા ભારતીય સેનાનો ભાગ હતા. ભારતીય સેનામાં હતા ત્યારે તેમણે જનરલ કરિયપ્પાના જુનિયર તરીકે કામ કર્યું હતું. 1965ના ભારત-પાક યુદ્ધ સમયે અયુબ ખાન રાષ્ટ્રપતિ હતા. ત્યારે જનરલ કરિઅપ્પાના પુત્ર કેસી નંદા કરિઅપ્પાએ ભારતીય વાયુસેનામાં ફરજ બજાવતાં પાકિસ્તાન પર કહેર વરસાવ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ