ISRO Chandrayaan 3 Launch : ચંદ્રયાન 3 ગત વખત કરતા 30 ટકા ઓછા ખર્ચમાં મોકલ્યું, જાણો સાથે શું લઇ જઇ રહ્યું છે

Chandrayaan 3 Launch : ચંદ્રયાન-3 મિશનની સફળતા ભારત માટે મોટી જીત હશે, કારણ કે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું આ પ્રથમ મિશન હશે

Written by Ashish Goyal
Updated : July 20, 2023 12:51 IST
ISRO Chandrayaan 3 Launch : ચંદ્રયાન 3 ગત વખત કરતા 30 ટકા ઓછા ખર્ચમાં મોકલ્યું, જાણો સાથે શું લઇ જઇ રહ્યું છે
Chanrayaan 3 mission moon launch photos: ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ

Chandrayaan 3 Launch : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) 14 જુલાઈના રોજ પોતાના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3ને લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી બપોરે 2.35 વાગ્યે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ વખતે આ મિશન પર ગત વખત કરતા 30 ટકા ઓછો ખર્ચ થયો છે. વાસ્તવમાં ચંદ્રયાન 2 દરમિયાન જે ઓર્બિટર મોકલવામાં આવ્યું હતું તે આજે પણ ચંદ્રના ઓર્બિટરમાં ફરી રહ્યું છે. આથી ચંદ્રયાન 3 સાથે ઓર્બિટર મોકલવામાં આવી રહ્યું નથી.

ચંદ્રયાન-3 અગાઉના ઓર્બિટરનો ઉપયોગ કરશે. જેનાથી ઓર્બિટર પરનો તમામ ખર્ચ બચી ગયો છે. ઇસરોએ પણ મોટાભાગની ટેકનોલોજી પોતે જ વિકસાવી છે. દેખીતી રીતે જ ઇન-હાઉસ ટેકનોલોજીના ઉપયોગને કારણે આ મિશનનો ખર્ચ પણ વધુ ઘટ્યો છે.

ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3ને લગભગ 615 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવ્યું છે. જાન્યુઆરી 2020 ના એક રિપોર્ટમાં ઇસરોના અધ્યક્ષને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે મિશન માટે લેન્ડર રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો ખર્ચ આશરે 250 કરોડ રૂપિયા થશે, જ્યારે લોન્ચનો ખર્ચ 365 કરોડ રૂપિયાનો થશે.

આ પણ વાંચો – ઇસરોનું ચંદ્રયાન 3 કેટલા દિવસમાં ચંદ્ર પર પહોંચશે, ચંદ્રની ઉંમર કેટલી છે અને પૃથ્વીથી કેટલો દૂર છે? જાણો

ચંદ્રયાન-3નો હેતુ શું છે?

ચંદ્રયાન 2 વર્ષ 2019માં સફળ રહ્યું ન હતું. મિશન દરમિયાન લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું ન હતું. આ વખતે તે લેન્ડર્સની ટેક્નોલોજીમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3નો મુખ્ય હેતુ ચંદ્ર પર ખનીજ, પાણી વગેરે શોધવાનો છે. સંશોધનનું આ કામ ચંદ્રયાન સાથે જતા રોબોટ દ્વારા કરવામાં આવશે, જેને રોવર કહેવામાં આવે છે. આ મિશનનો લાભ ભવિષ્યમાં તે સમયે મળશે જ્યારે ચંદ્ર પર કોલોનિયો સ્થાપવાનો પ્રયાસ થશે.

મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 મિશન આ વર્ષની સૌથી રાહ જોવાતી ઘટનાઓમાંની એક છે. તેની સફળતા સાથે જ ભારત અમેરિકા, સોવિયત સંઘ અને ચીન બાદ ચોથો એવો દેશ બની જશે જેણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હોય. ચંદ્રયાન-2019 મિશન 2માં નિષ્ફળ ગયા બાદ ભારતનું આ બીજું મિશન છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા ભારત માટે મોટી જીત હશે, કારણ કે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું આ પ્રથમ મિશન હશે.

ચંદ્રયાન 2ની નિષ્ફળતાથી શીખ્યા પાઠ

ચંદ્રયાન-3ની નિષ્ફળતા બાદ ઇસરોએ ચંદ્રયાન-3ને વિકસિત કર્યું હતું. ચંદ્રયાન 3નો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી અને ઉપગ્રહનો અભ્યાસ કરવાનો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્રયાન-3માં પહેલાના મિશનમાંથી શીખીને ભૂલોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈસરોએ ચંદ્રયાન-3 માટે ઘણી નવી ટેકનોલોજી વિકસાવી છે. આ સાથે જૂની ટેક્નોલોજીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે રિ-પ્રોગ્રામિંગ, કોમ્યુનિકેશન સિસ્ટમમાં સુધારો, તાપમાન નિયંત્રણ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે.

ચંદ્રયાન 3 સાથે શું શું લઇ જઇ રહ્યું છે

ચંદ્રયાન 3 આ સાત વસ્તુઓને પોતાની સાથે ચાંદની સપાટી પર લઇને જશે

-મૂન બાઉન્ડ હાઇપરસેંસિટિવ આયનોસ્ફીયર અને એટમોસ્ફિયર (રંભા)ની રેડિયો એનાટોમી-ચંદ્રનું સરફેસ થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ (ચેસ્ટ)-ચંદ્ર ભૂકંપીય ગતિવિધિ માટે ઉપકરણ (આઈએલએસએ)-લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરે (એલઆરએ) રોવર-અલ્ફા કણ એક્સ-રે સ્પેકટ્રોમીટર (એપીએક્સએસ)-લેઝર પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (એલઆઈબીએસ) પ્રણોદન મોડ્યુલ-નિવાસયોગ્યગ્રહ પૃથ્વી (શેપ)ની સ્પેક્ટ્રો ધ્રુવીયમિતિ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ