ISRO 2024 Mission : ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, લોન્ચ કર્યો પ્રથમ XPoSat સેટેલાઇટ

ISRO સોમવાર, જાન્યુઆરી 1, 2024 ના રોજ તેનો પ્રથમ એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ લોન્ચ કરશે. આ ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન હશે. અગાઉ 2021 માં નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલેરીમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ચ કર્યું હતું.

Written by Ankit Patel
Updated : January 01, 2024 10:17 IST
ISRO 2024 Mission : ISRO એ ફરી રચ્યો ઈતિહાસ,  લોન્ચ કર્યો પ્રથમ XPoSat સેટેલાઇટ
ઇસરો ફાઇલ તસવીર

ISRO 2024 Mission, XPoSat Mission Launch : નવા વર્ષના પહેલા દિવસે ISRO એક મોટો ચમત્કાર કર્યો છે. ISRO સોમવાર, જાન્યુઆરી 1, 2024 ના રોજ તેનો પ્રથમ એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. આ ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન હતું. અગાઉ 2021 માં નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલેરીમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ચ કર્યું હતું. તે મિશન પછી, આ વિશ્વમાં આ પ્રકારનું બીજું મિશન છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મિશન પર ટકેલી છે. આ મિશન એટલા માટે પણ ખાસ છે કારણ કે તે એક્સ-રે સ્ત્રોતના રહસ્યો શોધવા અને ‘બ્લેક હોલ્સ’ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં એક્સપોઝેટને મદદ કરશે.

ક્યારે લોન્ચ થશે?

ઈસરોના જણાવ્યા અનુસાર, XPoSat મિશન 1 જાન્યુઆરીએ સવારે 9:10 વાગ્યે ઈસરોના વિશ્વસનીય પ્રક્ષેપણ વાહન PSLV થી લોન્ચ કર્યો હતો. આ મિશન સુપરનોવા વિસ્ફોટ જેવા બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યોને બહાર કાઢવામાં મદદ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકાશ અને ઊર્જાના સ્ત્રોતોને ઉકેલવાનો રહેશે. આ ઉપગ્રહને પૃથ્વીથી 650 કિમીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઇટ લગભગ 5 વર્ષ સુધી કામ કરશે. તેમાંના બે પેલોડ્સ બેંગલુરુ સ્થિત રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RRI) અને ISROના UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) ખાતે વિકસાવવામાં આવ્યા છે.

ઈસરોએ 2023માં ઈતિહાસ રચ્યો હતો

ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો હતો. 42 દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ભારત આમ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી. આ પછી ભારતે 2 સપ્ટેમ્બરે તેનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 લોન્ચ કર્યું.

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. લેગ્રેન્જ પોઈન્ટ જ્યાં આદિત્ય અવકાશયાન જઈ રહ્યું છે. ત્યાં આસપાસ કોઈ ગ્રહ નથી. 15 લાખ કિલોમીટરનું અંતર હોવા છતાં આદિત્ય અવકાશયાન પૃથ્વીની નજીક જ રહેવાનું છે. તમને જણાવી દઈએ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ 15 કરોડ કિલોમીટર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ