વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પૂર્વવર્તી અહોમ સામ્રાજ્યના જનરલ અને વીર યોદ્ધા લાચિત બોરફૂકનની 400મી જ્યંતી પર દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યા હતા. વિજ્ઞાન ભવનમાં આયોજીત લાચિત બોરફૂકનની 400મી જ્યંતી સમાપન સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતનો ઇતિહાસ યોદ્ધાઓ અને વિજયનો ઇતિહાસ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ વીર લચિતની 400મી જ્યંતી પર તેમને યાદ કરતા કહ્યું હતું કે “આજ ભારત પોતાની સંસ્કૃતિના ઐતિહાસિક નાયક-નાયિકાઓને ગર્વથી યાદ કરી રહ્યા છે. ભારીની અમર સંતાનો આપણી અવિરલ પ્રેરણા છે. હું આ પુષ્ણ અવરસ પર લચિનને નમન કરું છું.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે લચિત જેવું સાહસ અને નીડરતા જ અસમની ઓળખ છે. તેમણે કહ્યું કે જો કોઈ તલવારના દમ પર મને ઝુકાવવા માંગે, આપણી શાશ્વ ઓળખને દબાવવા માગે તો આપણને તેનો જવાબ પણ આપતા આવડે છે. પૂર્વોત્તરની ધરતી આ વાતની સાક્ષી છે. વીર લચિતે વીરતા અને સાહસ દેખાડ્યું જે માતૃભૂમિ માટે અગાધ પ્રેમની પરાકાષ્ઠા હતી. લચિ જેવું સાહસ અને નિડરતા જ અસમની ઓળખ છે.
આ પણ વાંચોઃ- જો સત્તામાં આવશું તો દરેક ગુજરાતી પરિવારને 30 હજાર મળશે, લોકોએ કહ્યું – આ થોડુ વધારે થઈ ગયું
પીએમ મોદીએ ભારતના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતનો ઇતિહાસ માત્ર ગુલામીનો ઇતિહાસ નથી. આ યોદ્ધાઓનો ઇતિહાસ છે. ભારતનો ઇતિહાસ જયનો છે. વીરતાનો છે. બલિદાનનો છે. મહાન પરંપરાનો છે. આઝાદી બાદ એ ઇતિહાસ ભણાવવામાં આવ્યો જેનો ગુલામી સમયમાં ષડયંત્ર રચવાાં આવ્યું હતું. આઝાદી પછી જરૂરી હતું કે ગુલામીના એજન્ડાને બદલવામાં આવે પરંતુ આવું ન થયું. ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બરે લચિત દિવસ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ- દિલ્હી પોલીસે વિદેશ મહિલાની હત્યાના આરોપીની કરી ધરપકડ, 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઇનામ કર્યું જાહેર
વડાપ્રધાન મોદીએ પરિવારવાદ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે લચિતનું જીવન આપણને પ્રેરણા આપે છે. આપણે વ્યક્તિગત સ્વાર્થોને નહીં દેશના હિતને પ્રાથમિક્તા આપીએ. તેમનું જીવન પ્રેરણા આપે છે. ઉપર ઉઠી દેશ અંગે વિચારવું. તેમણે કહ્યું કે માત્ર કોઈ પણ સંબંધ દેશથી મોટો હોતો નથી. આજનું ભારત રાષ્ટ્ર પ્રથમના આદર્શને લઇને આગળ વધી રહ્યું છે. આપણી એ જવાબદારી છે કે આપણે આપણા ઇતિહાસની નજરને માત્ર કેટલાક દશકો સુધી સીમિત ન રાખો.