today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ચીન અને તાઇવાન વચ્ચે સતત વધી રહેલા વિવાદ વચ્ચે આ ક્ષેત્રમાં યુદ્ધની આશંકા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવી રહેલા સમાચાર પ્રમાણે ચીન નોર્થ તાઇવાનના એરસ્પેસને બંધ કરવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન 16થી 18 એપ્રિલ સુધી તાઇવાન પર હવાઇ પ્રતિંબંધ લગાવશે. તેનાથી આ ક્ષેત્રની આસપાસ ઉડાનો બાધિત થશે.
રાજ્યમાં તલાટીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. તલાટીની પરીક્ષા હવે 7 મે 2023ના રોજ લેવાશે, મંત્રી ઋષિકેશ પટેલ આ જાહેરાત કરી છે. પહેલા 30 એપ્રિલે લેવાવાની વાત હતી. જોકે પરીક્ષા કેન્દ્રો ન મળતા હવે 7 મે ના રોજ પરીક્ષા યોજાશે.
બિહારની રાજધાની પટના સ્થિત લોક નાયક જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકીભર્યા કોલ મળ્યા બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડને તાત્કાલિક બોલાવી હતી. હાલ બોમ્બ સ્ક્વોડની ટીમ એરપોર્ટ પર તપાસમાં લાગેલી છે. જો કે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને હાલમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. આવી સ્થિતિમાં ફ્લાઇટ્સ પણ તેમના નિર્ધારિત સમયથી અહીં ઉડાન ભરી રહી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન કેશબ મહિન્દ્રાનું બુધવારે 99 વર્ષની જૈફ વયે નિધન થયું છે. INSPACeના અધ્યક્ષ પવન કે ગોયનકાએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ અંગે પુષ્ટી કરી હતી. તેમણે કેશબ મહિન્દ્રાને શ્રદ્ધાંજલી આપી હતી.
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં કોરોના વાયરસના 7830 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત નીપજ્યા છે.
થોડા મહિનાઓ પહેલા મોરબીમાં થયેલી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાએ સુપરસીડ કરાઈ, 52 નગરસેવકોને ઘર ભેગા કરાયા છે. શહેરી વિકાસ વિભાગે બેજવાબદારી ભર્યું વલણ દાખવવા બદલ 52 નગરસેવકોને ઘર ભેગા કર્યા છે. હાઇકોર્ટના ડાયરેક્શન બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો.
મ્યાંમારમાં સેનાએ પોતાના નાગરિકોના ટોળા ઉર હવાઇ હુમલો કર્યો હતો. મંગળવારે કરેલા હવાઇ હુમલામાં 100થી વધારે લોકો માર્યા ગયા છે. આ લોકો સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જમા થયા હતા.
ગુજરાતમાં આકરા ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. બીજી તરફ વરસાદની પણ આગાહી થઈ હતી. આવી કાલે એટલે કે 13 એપ્રિલના રોજ કેટલાક જિલ્લામાં માવઠું પણ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં ઉનાળો આકરો થયો છે. રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. અમદાવાદમાં 14 અને 15 એપ્રિલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગુજરાતમાં પાટણ શહેર 41.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.
શિક્ષણ વિભાગની આજે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. જ્ઞાનસેતુ શાળાઓ મામલે કેટલાક શૈક્ષણિક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. જેના પગલે શિક્ષણ વિભાગે સમિતિ રચી હતી. જોકે, આજે મહત્વની બેઠક યોજાશે
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે, બિહારના અરરિયા વિસ્તારમાં સવારે 5.35 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
https://twitter.com/NCS_Earthquake/status/1645945457829617665?