scorecardresearch
Live

Today News Live Updates: એકનાથ શિંદે જૂથે કહ્યું – NCP ગ્રુપ સાથે અજિત પવાર બીજેપીમાં સામેલ થશે તો અમે સરકારમાંથી દૂર થઇ જઇશું

Today Latest news updates, 19 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news updates, latest news updates, today breaking news
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
18:26 (IST) 19 Apr 2023
એકનાથ શિંદે જૂથે કહ્યું – NCP ગ્રુપ સાથે અજિત પવાર બીજેપીમાં સામેલ થશે તો અમે સરકારથી દૂર થઇ જઇશું

મહારાષ્ટ્રમાં એવા સમાચાર હતા કે એનસીપી નેતા અજિત પવાર કેટલાક ધારાસભ્યો સાથે બીજેપી સાથે હાથ મિલાવી શકે છે. જોકે આ સમાચારને અજિત પવારે ફગાવી દીધા હતા. આ મામલે એકનાથ શિંદે જૂથની શિવસેનાનું નિવેદન સામે આવ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે જો અજિત પવાર એનસીપી નેતાઓ સાથે ભાજપમાં સામેલ થશે તો એકનાથ શિંદે નેતૃત્વવાળી શિવસેના મહારાષ્ટ્ર સરકારનો ભાગ રહેશે નહીં.

13:13 (IST) 19 Apr 2023
અતિક અશરફ હત્યા કેસઃ આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાંડ પર મોકલાયા

માફિયા ડોન અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યાના કેસમાં પકડાયેલા શૂટર સન્ની સિંહ, અરુણ મૌર્ય અને લવલેશ તિવારીને ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ સીજીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

08:53 (IST) 19 Apr 2023
યુથ કોંગ્રેસ અધ્યક્ષ અંગકિતા દત્તાએ બીવી શ્રીનિવાસ પર લગાવ્યો ગંભીર આરોપ

અસમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસની અધ્યક્ષ અંગકિતા દત્તાએ પોતાની જ પાર્ટીના નેતા શ્રીનિવાસ બીવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની યુથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવી અને આઇવાઈસીના માસચિવ વર્ધન યાદવ છ મહિનાથી પરેશાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ તેમની સાથે ખોટી રીતે વાત કરી હતી. જેની ફરિયાદ પણ પાર્ટીના નેતૃત્વને પણ કરી ચૂકી છે.

07:53 (IST) 19 Apr 2023
Gujarat News Latest Updates: મહેસાણામાં સુરતથી જોધપુર જતી બસ પલટી

મહેસાણાના નંદાસણ નજીક બસ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુરતથી જોધપુર જતી બસ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 5થી 6 લોકોને ઇજાઓ પહોંચી છે.

07:52 (IST) 19 Apr 2023
Gujarat News Latest Updates: મહેસાણામાં બસ પલટી જતાં બે લોકોના મોત

મહેસાણાના નંદાસણ નજીક બસ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુરતથી જોધપુર જતી બસ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 5થી 6 લોકોને ઇજાઓ પહોંચી છે.

07:46 (IST) 19 Apr 2023
આજનો ઇતિહાસ 19 એપ્રિલ : છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ, આર્યભટ્ટ ઉપગ્રહના પ્રક્ષેપણ સાથે ભારતના અવકાશ યુગની શરૂઆત, વિશ્વ લીવર દિવસ

https://gujarati.indianexpress.com/career/today-history-19-april-chhatrapati-shivaji-maharaj-jayanti-aryabhata-satellite-world-liver-day-know-today-important-events/94729/

Web Title: Live updates breaking news today latest news 19 april 2023 aaj na taja samachar

Best of Express