લોકસભા ચૂંટણી 2024 : ભાજપ મેનકા ગાંધી, વરુણ અને બ્રિજભૂષણને રિપિટ કરશે? યુપીની આ 27 બેઠકો પર સસ્પેન્સ યથાવત

Lok Sabha Election 2024 BJP Candidate List For UP : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે પ્રથમ યાદીમાં 195 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં ઉત્તર પ્રદેશની 51 બેઠક છે. ભાજપના આંતરિક સુત્રોનું કહેવુ છે કે, યુપીમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં ક્રોસ વોટિંગ કરનાર સપા નેતા મનોજ પાંડેને રાયબરેલીથી ટિકિટ મળી શકે છે.

Written by Ajay Saroya
March 03, 2024 13:59 IST
લોકસભા ચૂંટણી 2024 : ભાજપ મેનકા ગાંધી, વરુણ અને બ્રિજભૂષણને રિપિટ કરશે? યુપીની આ 27 બેઠકો પર સસ્પેન્સ યથાવત
લોકસભા ચૂંટણી 2024ની ભાજપની પ્રથમ 195 ઉમેદવારની પ્રથમ યાદીમાં મનેકા ગાંધી, વરુણ ગાંધી અને બ્રિજભૂષણ સિંહનું નામ નથી. (Photo - @varungandhi80)/@BrijBhushanMP)

Lok Sabha Election 2024 BJP Candidate List For UP : ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં ઉત્તર પ્રદેશમાં 51 બેઠકો છે, એટલે કે દેશના સૌથી મોટા રાજ્યની કુલ લોકસભા બેઠકોમાંથી અડધાથી વધુ (80) પર ભાજપે ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉભા રાખી દીધા છે.

નોંધનિય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 78 બેઠકો પર ચૂંટણી લડી હતી. બે બેઠક (મિર્ઝાપુર અને રોબર્ટ્સગંજ) સાથી પક્ષ ‘અપના દળ (સોનેલાલ)’ માટે છોડી દીધી હતી. બંને પર અનુપ્રિયા પટેલની આગેવાની હેઠળના અપના દળ (એસ) એ જીત હાંસલ કરી હતી.

બ્રિજ ભૂષણ સિંહની ટિકિટ રદ થશે?

તાજેતરની યાદીમાં આ બે બેઠકોનો કોઈ ઉલ્લેખ નથી. આવી સ્થિતિમાં અપના દળ (એસ)ને ફરીથી મિર્ઝાપુર અને રોબર્ટસગંજની બેઠકો મળી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જે 27 બેઠકો પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી નથી તેમાંથી એક લોકપ્રિય બેઠક કૈસરગંજ છે. ભાજપના બ્રિજભૂષણ શરણ સિંહ હાલમાં કેસરગંજથી સાંસદ છે.

શનિવારે ભાજપે કેસરગંજ સંસદીય મતવિસ્તારની નજીકની બેઠકો, બારાબંકી, ફૈઝાબાદ, ગોંડા અને શ્રાવસ્તી માટે ઉમેદવારોની જાહેરાત કરી, પરંતુ કેસરગંજને બાકાત રાખ્યું છે.

Gujarat | Loksabha Election 2024
લોકસભા ચૂંટણી 2024 ગુજરાત ભાજપ ઉમેદવાર (ફાઈલ ફોટો)

ગયા વર્ષે, મહિલા કુસ્તીબાજો દ્વારા બ્રિજભૂષણ પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને કારણે દેશભરમાં હોબાળો થયો હતો. તેની સામે બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એક એફઆઈઆર છ મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધવામાં આવી હતી. બીજી એફઆઈઆર સગીર કુસ્તીબાજ અને તેના પિતાની ફરિયાદ પર નોંધવામાં આવી હતી.

કોંગ્રેસના ગઢ રાયબરેલી બેઠક પર સંકટ!

સોનિયા ગાંધી કોંગ્રેસના ગઢ ગણાતા રાયબરેલીથી ચૂંટણી નહીં લડે. છેલ્લી ચૂંટણીઓમાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં માત્ર આ બેઠક જીતવામાં સફળ રહી હતી. સોનિયા ગાંધીએ આ હાઈ-પ્રોફાઈલ સીટ છોડ્યા બાદ ભાજપના ટોચના નેતાઓ ઉમેદવારોના નામ પર વિચારણા કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપ રાયબરેલી બેઠક એવા મજબૂત ઉમેદવારની શોધમાં છે. જેની જીતની પ્રબળ સંભાવના છે.

ભાજપના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, યુપીમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં ક્રોસ વોટિંગ કરનાર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેને રાયબરેલીથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

આરએલડીને કઈ બેઠક મળશે?

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે હજુ સુધી બાગપતથી ઉમેદવારની જાહેરાત કરી નથી, જ્યાં પાર્ટીના સત્યપાલ સિંહ 2014 અને 2019માં જીત્યા હતા. સૂત્રોનું કહેવું છે કે ભાજપ આ સીટ તેના નવા સહયોગી રાષ્ટ્રીય લોકદળ (RLD)ને આપી શકે છે.

એક ભાજપ નેતાએ કહ્યું, મુઝફ્ફરનગર થી કેન્દ્રીય મંત્રી રાજીવ કુમાર બાલિયાનને ચૂંટણી મેદાનમાં ઉતારી એવો સંદેશ આપ્યો છે કે, તે પશ્ચિમ યુપીમાં પોતાના જાટ નેતાઓનો પ્રભાવ બનાવી રાખશે અને જાટ મત માટે આરએલડી પર નિર્ભર રહેશે નહીં.

બાલિયાને 2019માં આરએલડીના સ્થાપક પાક અજીત સિંહને 6,526 મતોથી હરાવ્યા હતા. ભાજપ એ ફરી એકવાર હેમા માલિનીને જાટ બહુલ બેઠક મથુરાથી મેદાનમાં ઉતાર્યા છે. સીટ વહેંચણીમાં આરએલડીને વધુ એક સીટ મળે તેવી શક્યતા છે, તે બિજનૌર છે. ભાજપે પણ સપાના ગઢ ગણાતા મૈનપુરીમાંથી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી, જ્યાં ભાજપ ક્યારેય જીત્યું નથી.

PM Narendra Modi | PM Modi | BJP | BJP Leaders
PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Photo – PMO)

મેનકા ગાંધી અને વરુણ ગાંધીનું શું થશે?

ઘોસી અને ગાઝીપુરમાં ભાજપ 2019માં બસપા સામે હારી ગયું હતું. આ બેઠકોના નામ પણ યાદીમાં નથી. એવી શક્યતા છે કે સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ને આમાંથી એક બેઠક મળે.

આ યાદીમાં અન્ય બે બેઠકો આશ્ચર્યજનક રીતે ગાયબ છે – પીલીભીત અને સુલતાનપુર. આઠ વખત સાંસદ બનેલા મેનકા સંજય ગાંધી સુલતાનપુરના વર્તમાન સાંસદ છે અને તેમના પુત્ર વરુણ ગાંધી ત્રણ વખતના સાંસદ છે જે પીલીભીતનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : 2019માં મોદી લહેર છતાં ભાજપ આ 4 બેઠક જીતી શકી નહી, હવે નવા ઉમેદવાર પર લગાવ્યો દાવ

ભાજપે સપાના ગઢ બદાયુમાં પણ ઉમેદવારોની જાહેરાત કરી નથી, જ્યાં પૂર્વ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મૌર્ય વર્તમાન સાંસદ છે. બાકીની બેઠકો જ્યાં ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે તેમાં સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, ફિરોઝાબાદ, બરેલી, કાનપુર, કૌશામ્બી, ફૂલપુર, અલ્હાબાદ, બહરાઈચ, દેવરિયા, બલિયા, મછલીશહર અને ભદોહીનો સમાવેશ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ