રાહુલ ગાંધી અમેઠી પરત ફરશે! 2024ની તૈયારીઓ શરૂ, 5000 લોકો સુધી ગિફ્ટ સાથે પહોંચ્યો ખાસ મેસેજ

Lok Sabha Election 2024 : ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને આ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીમાં રાહુલ ગાંધીની હાર કોંગ્રેસને વારંવાર કાંટાની જેમ ખૂંચી રહી છે

Written by Ashish Goyal
November 16, 2023 16:02 IST
રાહુલ ગાંધી અમેઠી પરત ફરશે! 2024ની તૈયારીઓ શરૂ, 5000 લોકો સુધી ગિફ્ટ સાથે પહોંચ્યો ખાસ મેસેજ
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો - પ્રવિણ ખન્ના, એક્સપ્રેસ)

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ને હજુ સમય છે પરંતુ ગાંધી પરિવારે પોતાના ગઢ અમેઠીમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને આ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીમાં રાહુલ ગાંધીની હાર કોંગ્રેસને વારંવાર કાંટાની જેમ ખૂંચી રહી છે. હવે કોંગ્રેસે ફરી એકવાર ગઢ પાછો જીતવા માટે ઘરે-ઘરે દસ્તક આપવાનું શરૂ કરી દીધું છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર અમેઠીની જનતા સુધી પહોંચવા માટે દીવાળીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. અમેઠીમાં દિવાળીના અવસર પર કોંગ્રેસ પાર્ટી તરફથી લગભગ 5000 કાર્યકર્તાઓના ઘરે મિઠાઈ અને ગિફ્ટ મોકલવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મોકલવામાં આવેલી ગિફ્ટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની તસવીરવાળી કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ છે. આ પેકેટમાં લોકોની દિવાળીની શુભેચ્છાઓ પર પણ સંદેશ આપવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર પર સામાન્ય લોકો પોતાના નજીકના અને પ્રિયજનોને ભેટ પણ આપે છે પરંતુ કોંગ્રેસના આ પ્રયાસને લોકસભા ચૂંટણી 2024 માટે એક ખાસ પ્રયાસ તરીકે જોઈ શકાય છે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે યુપી કોંગ્રેસ અધ્યક્ષ પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પહેલીવાર છે જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ભેટ અમેઠીના લોકોના ઘરે પહોંચી છે. આ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના દિગ્ગજોએ આ જૂનો કિલ્લો ફરી જીતવાનું મન બનાવી લીધું છે.

આ પણ વાંચો – ભાજપને મોટો ફટકો! 25 વર્ષ સાથે રહેલા નેતાએ પાર્ટી છોડી, સીએમ ગેહલોતે કોંગ્રેસમાં સ્વાગત કર્યું

કોંગ્રેસ પાર્ટી દ્વારા મોકલવામાં આવેલા ગિફ્ટ પેકમાં મીઠાઈ ઉપરાંત પેન્ટ-શર્ટના કપડાં, દીવા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગિફ્ટ દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમેઠી સાથે પોતાના પરિવારના ભાવનાત્મક સંબંધોને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. એવું નથી કે માત્ર ગાંધી પરિવારે જ દીવાળીના માધ્યમથી લોકો સાથે પોતાના સંબંધોને ફરીથી જોડવાનો પ્રયાસ કર્યો છે. વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ દિવાળીના પ્રસંગે લોકોને ગિફ્ટ મોકલી છે. સ્મૃતિ ઇરાની તરફથી લોકોને મોબાઇલ ફોન, વોલ ક્લોક, ટિફિન, માટીના દીવા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ