Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીમાં ‘મોદી ગેરંટી’ કેમ ભજવશે મહત્વની ભૂમિકા, ભાજપે શું બનાવ્યો પ્લાન?

Lok Sabha Elections 2024 : તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર અભિયાન પર નજર કરીએ તો સમજી શકાશે કે પાર્ટીએ 'મોદી ગેરંટી'નો મુદ્દો સંપૂર્ણપણે આગળ રાખ્યો હતો

Written by Ashish Goyal
December 24, 2023 18:01 IST
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીમાં ‘મોદી ગેરંટી’ કેમ ભજવશે મહત્વની ભૂમિકા, ભાજપે શું બનાવ્યો પ્લાન?
પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા (તસવીર - બીજેપી ટ્વિટર)

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે અલગ-અલગ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ પોતાના રાષ્ટ્રીય પદાધિકારીઓની મેરેથોન બેઠક યોજી રહી છે ત્યારે કોંગ્રેસે પણ શનિવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીની મેરેથોન બેઠકોનો ભાગ બની રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે બેઠકના અંત સુધી હાજર રહ્યા હતા. આ બેઠકનું જોર એ હતું કે જ્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થશે અને પાર્ટી સતત ત્રીજી વખત સત્તામાં પાછા ફરવા માટે મોદીની લોકપ્રિયતાના આધારે મત માંગે છે ત્યારે પાર્ટીનો મુખ્ય મુદ્દો અને એક લાઇન ‘મોદી કી ગેરંટી’ હશે.

‘મોદીની ગેરંટી’ ના નામે ચૂંટણી લડાશે

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર અભિયાન પર નજર કરીએ તો સમજી શકાશે કે પાર્ટીએ ‘મોદી ગેરંટી’નો મુદ્દો સંપૂર્ણપણે આગળ રાખ્યો હતો. ઉદાહરણ તરીકે જો છત્તીસગઢના ઘોષણાપત્ર પર નજર નાખીએ તો ભાજપે ટોચના 20 વચનોમાં મોદીની ગેરંટીને મુખ્ય સ્થાને મૂકી હતી. મોદીની ગેરંટીમાં વિવાહિત મહિલાઓ માટે વાર્ષિક 12,000 રૂપિયા, સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ ભરવી, ગરીબો માટે આવાસ યોજનાનો લાભ અને મફત આરોગ્ય સેવાનો સમાવેશ થાય છે. આવા ઘણા વચનો મોદી ગેરંટી હેઠળ મૂકવામાં આવ્યા હતા. આવું જ કંઈક રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણી માટે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – નીતિશ કુમાર પોતે સંભાળશે JDUની કમાન! લલન અને લાલુની નિકટતાથી બિહારના સીએમ નારાજ

ત્રણ મોટા રાજ્યોમાં જીતનો શ્રેય – મોદીની ગેરંટી

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવ્યા બાદ ભાજપે પોતાની સફળતાનો શ્રેય મોદી ગેરન્ટીને આપ્યો છે. જેને આગળ વધારતા પાર્ટી સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાઢી રહી છે. આ અંગે પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે જ્યાં અન્ય લોકો પાસેથી અપેક્ષા ઘટે છે ત્યાંથી જ મોદીની ગેરંટી શરૂ થાય છે. એટલે જ મોદીની ગેરંટીવાળી ગાડી હિટ બની છે.

કેમ મોદી ગેરંટીને સામે રાખી રહ્યું છે ભાજપ?

હવે સવાલ એ પણ થાય છે કે ભાજપે ‘ગેરંટી’ શબ્દનો આટલો જોરશોરથી ઉપયોગ કેમ શરૂ કરી દીધો છે? માનવામાં આવી રહ્યું છે કે આ કોંગ્રેસની કાઉન્ટર લાઇન છે, જ્યાં ખાસ કરીને રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણી દરમિયાન ‘ગેરંટી’ રજૂ કરી અને પોતાના દરેક વાયદામાં તેને જોડી દીધી હતી. કોંગ્રેસે હિમાચલ, તેલંગાણા, કર્ણાટકમાં આવા અનેક વાયદાઓ કર્યા અને ગેરંટી આપવાની વાત કરી હતી. કોંગ્રેસને તેનો ઘણો ફાયદો પણ થયો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ