Maharashtra: મહારાષ્ટ્રમાં મોજા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, દાઝવાથી 6 લોકોના મોત

Fire breaks out in Maharashtra: મહારાષ્ટ્રમાં છત્રીપતિ સંભાજીનગરમાં મોજા બનાવતી ફેકટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. આગ લાગી ત્યારે ફેક્ટરીની અંદર 15થી 16 વ્યક્તિઓ હતા.

Written by Ajay Saroya
December 31, 2023 09:29 IST
Maharashtra: મહારાષ્ટ્રમાં મોજા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, દાઝવાથી 6 લોકોના મોત
વડોદરા આગ (ફાઈલ ફોટો)

Maharashtra’s Fire breaks out At Chhatrapati Sambhajinagar : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. આ આગમાં દાઝી જવાથી છ લોકોના મોત થયા હતા. સંભાજીનગરમાં મોજા બનાવતી ફેક્ટરીમાં લાગી હતી. આગ લાગવાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે કમનસીબે આગથી દાઝી જતા 6 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ફેક્ટરીમાં રાત્રે આગ લાગી, દાઝી જતા 6 લોકોના મોત

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વલુજ MIDC વિસ્તારમાં એક કારખાનામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર હાજર છે. વલુજ MIDCમાં હેન્ડ ગ્લોવ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં આગ વિશે ફાયર ઓફિસર મોહન મુંગસેએ જણાવ્યું હતું કે, “અમને સવારે 2.15 વાગ્યે કોલ આવ્યો હતો. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આખી ફેક્ટરીમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોએ અમને જણાવ્યું કે અંદર છ લોકો ફસાયા છે. છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.”

આ પણ વાંચો | ભારતમાં આ રાજ્યના રોડ-રસ્તાઓ છે સૌથી વધુ જોખમી અને જીવલેણ, જેના 748 સ્થળોએ થાય છે ભયંકર એક્સિડેન્ટ; બ્લેક સ્પોટ શું છે? જાણો

ફેક્ટરીમાં 15થી 16 લોકો હતા

કામદારોએ જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરી બંધ હતી અને કેટલાક કામદારો અંદર સૂઈ રહ્યા હતા. એક કર્મચારીએ જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડિંગની અંદર 10-15 કર્મચારીઓ સૂતા હતા. કેટલાક લોકો ભાગવામાં સફળ રહ્યા હતા પરંતુ ઓછામાં ઓછા 6 અંદર ફસાયા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ