Maharashtra Politics, મહારાષ્ટ્ર રાજકારણ શુક્રવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી. હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં એક વરિષ્ઠ પોલીસકર્મીની કેબિનની અંદર ગોળીબાર થયો હતો જ્યાં બંને નેતાઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે ભેગા થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે બંને નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો વચ્ચે ઝઘડો થયો અને ગણેશ ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં શિવસેનાના ધારાસભ્ય રાહુલ પાટીલ પણ ઘાયલ થયા છે.

મહારાષ્ટ્ર રાજકારણ : શું છે સમગ્ર મામલો?
ઈન્ડિયા ટુડે અનુસાર, આ મામલો બંને પક્ષો વચ્ચે દલીલબાજી બાદ પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે ગણેશ ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં શિવસેનાના ધારાસભ્ય રાહુલ પાટીલ પણ ઘાયલ થયા હતા. ઘાયલ શિવસેનાના બંને નેતાઓ હાલ થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજકારણ ગરમાયું હતું.
મહારાષ્ટ્ર રાજકારણ : ગણપત ગાયકવાડની ધરપકડ
દરમિયાન, ગણપત ગાયકવાડની ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે વપરાયેલી બંદૂક પણ જપ્ત કરી લીધી છે. મહેશ ગાયકવાડને અગાઉ ઉલ્હાસનગરની મીરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તેમની હાલત નાજુક બનતા તેમને રાત્રે 11 વાગ્યે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.





