Manipur violence મણિપુર હિંસા : મણિપુરમાં કુકી – મેઇતેઇનો વિવાદ સમાપ્ત થશે, સીએમ એન બિરેન સિંહે પ્રસ્તાવ રજૂ કર્યો

Manipur kuki meitei violence : મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ગૃહ મંત્રાલય મેઇતેઈ અને કુકી બંને સમુદાયના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરી રહ્યું છે

Written by Ajay Saroya
August 27, 2023 10:50 IST
Manipur violence મણિપુર હિંસા : મણિપુરમાં કુકી – મેઇતેઇનો વિવાદ સમાપ્ત થશે, સીએમ એન બિરેન સિંહે પ્રસ્તાવ રજૂ કર્યો
નવી દિલ્હીમાં સંસદના બજેટ સત્રના બીજા ભાગ દરમિયાન સંસદ ભવન સંકુલમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ. (Express photo)

Manipur CM N Biren Singh proposed solution of kuki meitei conflict : મણિપુરમાં ચાલી રહેલા જાતીય હિંસાનું રાજકીય સમાધાન શોધવાની દિશામાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ આપ્યો છે. જે મુજબ તેઓ રાજ્યમાં હાલની હિલ કાઉન્સિલોને વધુ સ્વાયત્તતા આપવા તૈયાર છે, પરંતુ પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કરશે નહીં.

સંઘર્ષની શરૂઆતથી જ કુકી સમુદાય તેમના સમુદાયને નાબૂદ કરવામાં રાજ્ય સરકાર પણ સામેલ હોવાના આરોપ લગાવીને અલગ વહીવટીતંત્રની માંગ કરી રહ્યા છે. મણિપુરના સીએમ એન બિરેન સિંઘની નજીકના સુત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અલગ વહીવટની માંગ, ભલે કુકી કઇ પણ સ્વરૂપમાં માંગણી કરી રહ્યા હોય, સરકાર અથવા રાજ્યની બાકીની જનતાને સ્વીકાર્ય નથી. જો કે, અમે પહાડી આદિવાસીઓની ચિંતાઓને દૂર કરવા તૈયાર છીએ. અમે દરખાસ્ત કરી છે કે પહાડી ક્ષેત્રોના વહીવટમાં તેમને વધારે સ્વતંત્રતા અને અંકુશો સોંપીને હિલ કાઉન્સિલોની સ્વાયત્તતામાં વધારો કરવામાં આવે. અમને આશા છે કે કુકી સમુદાય આ પ્રસ્તાવ સ્વીકારશે અને સંઘર્ષનો અંત લાવશે.”

ગૃહ મંત્રાલયની મેઇતેઇ અને કુકી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ

ગૃહ મંત્રાલય મણિપુરમાં ચાલી રહેલી હિંસાનો ઉકેલ શોધવા માટે મેઇતેઇ અને કુકી બંને સમુદાયોના પ્રતિનિધિ જૂથો સાથે વાટાઘાટો કરી રહ્યું છે. સંઘર્ષની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં આવી એક ડઝનથી વધુ બેઠકો યોજાઇ છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે તે પેકી અમુક બેઠકોમાં હાજરી આપી ચૂક્યા છે.

મણિપુર હિંસામાં 160 લોકોનો મોત

પૂર્વોત્તરના કેન્દ્રના પ્રભારી એકે મિશ્રા સરકાર સાથે સસ્પેન્શન ઓફ ઓપરેશન (SoO) કરાર હેઠળ કુકી બળવાખોર જૂથો સાથે અલગથી વાટાઘાટો કરી રહ્યા છે. ગુરુવારે, બિરેન સિંહે મણિપુરની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરી, જ્યાં ગત 3 મેના રોજ હિંસા શરૂ થઈ ત્યારબાદથી 160 થી વધુ લોકોના મોત થયા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ