scorecardresearch

મણિપુરમાં હિંસા : મેઇતેઇ, કુકી. નાગા સમુદાય વચ્ચેનો સંઘર્ષ; વિકાસનો અભાવ અને વર્ચસ્વની લડાઇ

Manipur violence : મણુિપુરમાં કુકી અને મેઇતેઇ સમુદાય વચ્ચે હાલ ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 52 લોકો માર્યા ગયા.

Manipur violence
ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા બોલાવવામાં આવેલી 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન બુધવારે આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ આગની ઘટના સ્થળે લોકો. (પીટીઆઈ ફોટો)

ઉત્તરપૂર્વમાં હિંસા કોઇ નવી વાત નથી. ભારતના કેટલાક સૌથી જૂના અલગતાવાદી આંદોલનો સાથે, સાત દાયકાઓ બાદ પણ હિસા ભભૂકી રહી છે અને તેણે વર્ષોથી અસંખ્ય ભયાનકતા જોઈ છે. જો કે છેલ્લા 20 વર્ષોમાં ઉત્તરપૂર્વમાં સંઘર્ષ ઘટી રહ્યો છે અને ઘણા રાજ્યોમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે.

મણિપુર મોટે ભાગે લાંબો અને શાંતિપૂર્ણ વિસ્તાર હતો જ્યાં હવે સ્થિતિ વણસી રહી છે. હાલમાં પણ હિંસક અથડામણોએ રાજ્યને ભીંસમાં લીધુ છે અને છેલ્લી ગણતરી અનુસાર 50 થી વધુ લોકો માર્યા ગયા છે. ઘરો અને દુકાનો તોડી પાડવામાં આવી છે, ચર્ચોને આગ લગાડવામાં આવી છે, ઘણા લોકો ઘરો છોડીને ભાગી ગયા છે, ઘણાએ શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે અન્ય લોકો તેમના ઘરોમાં છુપાયેલા છે. છેલ્લા 30 વર્ષમાં રાજ્યમાં વંશીય સમુદાયો વચ્ચે આ પ્રકારની પ્રથમ અથડામણ નથી.

આ ધરતી પર છેલ્લી હિંસા 1992માં થઈ હતી, જ્યારે નાગા હિતોનું પ્રતિનિધિત્વ કરતી NSCN (IM) અને મણિપુરના મોરેહ નગરમાં કુકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જે ભારત-મ્યાનમાર સરહદ પર સ્થિત છે અને દવાઓ, બર્માના સાગ અને હથિયારો નાદાણચોરી માટે કુખ્યાત છે.

Manipur violence, Manipur tribal protests, imphal violence
મણીપુરમાં હિંસા (express photo)

આ હિંસા બળવાખોર જૂથ NSCN (IM) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જોકે નાગાઓ આને વધારી અને ઝડપથી મણિપુરના બે મુખ્ય આદિવાસી સમુદાયો વચ્ચેની વંશીય હિંસામાં ફેરવાઈ ગઈ અને સમગ્ર રાજ્યમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. આ હિંસામાં 100થી વધુ કુકી જાતીના લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે અને સેંકડો ગામડાઓમાંથી એક લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ત્યારથી નાગા અને કુકી જાતીના લોકો વસે છે તેવા ગામીણ વિસ્તારોમાં નાનીમોટી અથડામણો થઈ રહી છે.

વર્ષ 1992ની જેમ જ્યારે NSCN (IM)ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, અને તાજેતરમાં પાછલા અઠવાડિયે થયેલી અથડામણમાં કુકી-ઝોમી બળવાખોર જૂથો સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આકસ્મિક રીતે તાજેતરમાં આ જૂથો સાથેના તેના સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ કરારને છીનવી લીધો, તેની પાછળ એવી દલીલ કરાઇ છે કે તેઓ મ્યાનમાર સાથેની સરહદ પારથી ઘૂસણખોરીને મંજૂરી આપી રહ્યા છે. જો કે, કુકી-ઝુમી જૂથોએ આ હિંસક હિંસામાં ભૂમિકાનો ઇનકાર કર્યો છે અને રાજ્યના અહેવાલો પણ સૂચવે છે કે આ વખતે અથડામણમાં સામાન્ય લોકો ભોગ બન્યા છે.

બીજો એક તફાવત છે. 1992થી મણિપુરમાં અન્ય હિંસક વિરોધ પ્રદર્શનો થયા છે, જેમ કે વર્ષ 2015માં પ્રભાવશાળી મેઇટેસે “ઘૂસણખોરો” ને તપાસવા હેતુ રાજ્ય માટે આંતરિક લાઇન પરમિટની માંગણી કરવામાં આવી હતી, જેના પરિણામે 10 દિવસનો કરફ્યું લાદવમાં આવ્યું હતું. ત્યારબાદ ચુરાચંદપુરમાં પ્રત્યારોધ જોવા મળ્યો હતો, જેમાં કથિત પોલીસ ગોળીબારમાં નવ લોકોના મોત થયા.

વિવેચકો આ વખતની હિંસાને ચિંતાજનક ગણાવી રહ્યા છે. હિંસ નાગા-કુકી અથડામણ દરમિયાન, મણિપુરના શક્તિશાળી નાગરિક સમાજ સંગઠનો યુદ્ધ કરનાર જૂથો સુધી પહોંચી ગઇ હતી. હવે પડોશીઓ જ પડોશીઓ પર હુમલો કરી રહ્યા છે અને હવે બહુમતી વસ્તી ધરાવતા વસાહતો પર હુમલો કરે છે.

આ પણ વાંચોઃ મણિપુર હિંસા: મૃત્યુઆંક વધીને 52 થયો! કેમ ભડકી છે હિંસા? શું છે માંગ?

આ વખતની હિંસક અથડામણની કોઇએ આગેવાની લીધી નથી. મણિપુરી સમાજમાં – સમુદાયો અને જનજાતિઓમાં – એક સમયે મુખ્ય સ્થાન ધરાવતા નાગરિક સમાજ સંગઠનો તેમજ વિદ્યાર્થી સંસ્થાઓ ગેરહાજર છે. જ્યારે વિદ્યાર્થી સંસ્થાઓની ભૂમિકા પ્રશ્નાર્થ હેઠળ છે, હકીકતમાં, બંને બાજુએ આક્રોષ છે.

કુકી-ઝોમી અને નાગા જાતીઓમાં તેમના જિલ્લાઓના ઓછા વિકાસ અંગે નારાજગી છે. રાજ્યના મોટાભાગનું બજેટ ઇમ્ફાલ ઘાટીમાં ખર્ચવામાં આવે છે; રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની માળખાકીય સુવિધાઓનો અભાવ છે અને અહીંયા 40 ધારાસભ્યો સાથે રાજ્યના વહીવટમાં મેઈટીસનું વર્ચસ્વ છે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Web Title: Manipur violence meitei kuki naga communities conflict

Best of Express