scorecardresearch

ભારત, પાકિસ્તાનમાં ‘લાખો’ લોકો પર ખતરો મંડરાઈ રહ્યો! ગ્લેસિયર સરોવરના જોખમ વિશે શું કહે છે નવો અભ્યાસ

glacial lakes : ગ્લોબલ વોર્મિંગ (global warming) ને પગલે બરફના પહાડ (snow mountain) પીગળતા અનેક ગ્લેસિયલ લેક બની રહ્યા છે, જો આ લેકનો બાંધ ભૂકંપ, હિમપ્રપાત કે કોઈ અન્ય કુદરતી ઘટનાને પગલે તૂટી જાય તો નીચેના વિસ્તારોમાં પૂર (flood) નો ખતરો થાય છે, ભારત (India) પાકિસ્તાન (Pakistan) ના અનેક વિસ્તારમાં લાખો લોકો આવા વિસ્તારોના રહેવાસી છે.

ભારત, પાકિસ્તાનમાં ‘લાખો’ લોકો પર ખતરો મંડરાઈ રહ્યો! ગ્લેસિયર સરોવરના જોખમ વિશે શું કહે છે નવો અભ્યાસ
ગ્લેશિયલ લેક ભારત પાકિસ્તાનના લાખો લોકો માટે ખતરો (ફોટો એક્સપ્રેસ ફાઈલ)

અલિંદ ચૌહાણ : એક નવા અભ્યાસ મુજબ વિશ્વભરમાં લગભગ 15 મિલિયન (એક કરોડ 50 લાખ) લોકો હિમનદી સરોવરોમાંથી અચાનક અને જીવલેણ પૂરના જોખમનો સામનો કરી શકે છે, જે ગ્લોબલ વોર્મિંગને કારણે આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અસરગ્રસ્તોમાંથી અડધાથી વધુ ચાર દેશોમાં રહે છે: ભારત, પાકિસ્તાન, પેરુ અને ચીન.

જર્નલ નેચરમાં પ્રકાશિત, ‘ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટથી પૂર આવવાથી વૈશ્વિક સ્તરે લાખો જીવનને ખતરો છે’, આ અભ્યાસ કેરોલિન ટેલર, રશેલ કાર અને યુનિવર્સિટી ઓફ ન્યુકેસલ (યુકે)ના સ્ટુઅર્ટ ડનિંગ, નોર્થમ્બ્રિયા યુનિવર્સિટી (યુકે) ના મેથ્યુ વેસ્ટોબી, યુનિવર્સિટી ઓફ કેન્ટરબરી (યુકે)ના ટોમ રોબિન્સન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

હિમનદીઓના સંકોચનથી હિમનદી સરોવરો બને છે. એકવાર તેમાંથી પાણી છૂટે ત્યારે, તે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું કારણ બની શકે છે. તેને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ અથવા GLOF તરીકે ઓળખવામાં આવે છે. જો કે GLOF હિમયુગથી બની રહ્યું છે, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે જોખમ અનેકગણું વધી ગયું છે, તાજેતરના અભ્યાસના સંશોધકોએ આ જણાવ્યું હતું.

GLOFs વિનાશક સાબિત થઈ શકે છે કારણ કે તે મોટે ભાગે થોડી ચેતવણી સાથે આવે છે અને પરિણામે મિલકત, માળખાકીય સુવિધાઓ અને ખેતીની જમીનનો મોટા પાયે વિનાશ થાય છે. તેઓ સેંકડો લોકોના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, પેપરના સહ-લેખક ટોમ રોબિન્સને જણાવ્યું હતું કે, “આબોહવા ગરમ થવાનું ચાલુ રાખતાં ગ્લેશિયર્સ પીગળીને મોટા અને વધુ અસંખ્ય સરોવરો બનાવશે. તો, તળાવો GLOF ‘ટ્રિગર’ના સંપર્કમાં આવવાની સંભાવના છે, જેમ કે મોટા ભૂસ્ખલન અથવા બરફનો હિમપ્રપાત તળાવમાં પ્રવેશે છે, અને પાણીને વિસ્થાપિત કરે છે અને તળાવનો કુદરતી બંધ નિષ્ફળ જાય છે, અને તે છલકાઈ જાય છે.

“તેથી, જે તળાવો હાલમાં તો ચિંતાજનક નથી તે ભવિષ્યમાં ચિંતાનો વિષય બની શકે છે અને તે સંપૂર્ણપણે નવા અને સંભવિત જોખમી તળાવો બની શકે છે.”

2020ના અભ્યાસ મુજબ, 1990 થી વિશ્વભરમાં હિમનદી સરોવરોની સંખ્યા અને કુલ વિસ્તાર લગભગ 50 ટકા વધ્યો છે, તેમ ધ વોશિંગ્ટન પોસ્ટે પણ આ અંગે અહેવાલ આપ્યો છે.

નવા અભ્યાસના તારણો શું છે?

GLOFs થી સૌથી વધુ જોખમ ધરાવતા પ્રદેશો અને સમુદાયોને ઓળખવા માટે, સંશોધકોએ વૈશ્વિક વસ્તીના નમૂનાઓ અને વસ્તી મેટ્રિક્સની શ્રેણી સાથે, હિમનદી તળાવોના વિવિધ સ્થાનો અને કદ પરના હાલના ઉપગ્રહ-પ્રાપ્ત ડેટાનો ઉપયોગ કર્યો.

રોબિન્સને ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે એક અનુમાન લગાવ્યું છે કે, જો એક અથવા વધુ સરોવરો ઉપરની તરફ નિષ્ફળ જાય તો, હિમનદી તળાવના 50 કિમીની અંદર અને હિમનદી તળાવમાંથી નીકળતી નદીના એક કિમીની આસપાસ રહેતી કોઈપણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થઈ શકે છે”.

વધુમાં, સંશોધકોએ આ વિસ્તારોમાં માનવ વિકાસ અને ભ્રષ્ટાચારના સ્તરો પર પણ ધ્યાન આપ્યું હતું, જેથી તે નિર્ધારિત કરવામાં આવે કે સ્થાનિક સમુદાયો પૂર માટે કેટલા સંવેદનશીલ હોઈ શકે છે.

અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ, કાગળનો અંદાજ છે કે, 15 મિલિયન (1 કરોડ 50 લાખ) લોકો હિમનદી તળાવોના 50 કિમીના જોખમી ક્ષેત્રમાં રહે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હાઇ માઉન્ટેન એશિયા (HMA) માં વસતી – હિંદુ કુશથી પૂર્વી હિમાલય સુધી વિસ્તરેલો વિસ્તાર – સૌથી વધુ ખુલ્લો છે અને સરેરાશ હિમનદી તળાવોની સૌથી નજીક રહે છે, જેમાં લગભગ 10 લાખ લોકો રહે છે.

રોબિન્સને જણાવ્યું હતું કે, “ભારત અને પાકિસ્તાન વૈશ્વિક સ્તરે GLOF ના સંપર્કમાં આવેલા કુલ લોકોની સંખ્યાના લગભગ એક તૃતીયાંશ છે – ભારતમાં લગભગ 30 લાખ લોકો અને પાકિસ્તાનમાં લગભગ 20 લાખ લોકો” હીમ નદી સરોવરના સંભવીત ખતરાના વિસ્તારમાં રહે છે.”

અભ્યાસમાં બીજા રસપ્રદ તારણો એ છે કે, હિમનદી પૂરના જોખમો ફક્ત પ્રદેશમાં હિમનદી તળાવોના કદ અને સંખ્યા પર આધારિત નથી. આ વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા, જોખમી ક્ષેત્રની તેમની નિકટતા તેમજ સામાજિક નબળાઈનું સ્તર પણ મહત્વનું છે.

ઉદાહરણ તરીકે, ગ્રીનલેન્ડ અને કેનેડા જેવા પ્રદેશો કે જ્યાં મોટી સંખ્યામાં હિમનદી સરોવરો છે, પરંતુ ત્યાં બહુ ઓછા લોકો રહે છે, જેઓ તેમની ઓછી વસ્તી અને ભ્રષ્ટાચારનું સ્તર ઓછુ હોવાના કારણે GLOFની ચપેટમાં ઓછા લોકો આવી શકે છે.

“જ્યારે ભારત અને પાકિસ્તાન આ પ્રદેશોમાં હિમનદી સરોવરોની સંખ્યા અને કદ પેસિફિક નોર્થવેસ્ટ અથવા તિબેટ જેવા સ્થાનો જેટલા મોટા નથી, તે સંપૂર્ણ વસ્તી અને હકીકત એ છે કે તેઓ અત્યંત સંવેદનશીલ છે એટલે કે પાકિસ્તાન અને ભારતને વૈશ્વિક સ્તરે સૌથી વધુ GLOF ખતરાઓ છે. હકીકતમાં, અમારા અભ્યાસમાં વિશ્વમાં સૌથી ખતરનાક જળગ્રહણ પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા છે,” રોબિન્સને સમજાવ્યું.

વૈજ્ઞાનિકો માટે સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે પેરુ જોખમ સ્તરની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. તેઓ દર્શાવે છે કે છેલ્લા બે દાયકામાં, આબોહવા પરિવર્તનને કારણે, હાઇ-પર્વત એશિયામાં 37 ટકાની સરખામણીમાં, એન્ડીઝમાં હિમનદી તળાવોમાં 93 ટકાનો વધારો થયો છે. તેમ છતાં આ ક્ષેત્રમાં અગાઉના મોટાભાગના અભ્યાસોએ એન્ડીઝને બદલે હિમાલય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તાજેતરના પેપરમાં જણાવાયું છે.

ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ અથવા GLOFs બરાબર શું છે?

ગ્લેશિયર સરોવરો એ પાણીના મોટા પિંડ છે જે પીગળતા ગ્લેશિયરની સામે, ઉપર અથવા નીચે બેસે છે. જેમ જેમ તેઓ કદમાં મોટા થાય છે તેમ તેમ તે વધુ ખતરનાક બની જાય છે કારણ કે, હિમનદી તળાવો મોટાભાગે અસ્થિર બરફ અથવા છૂટક ખડકો અને કાટમાળથી બનેલા કાંપથી પ્રભાવિત થાય છે. જો તેમની આજુબાજુની સીમા તૂટી જાય, તો વિશાળ માત્રામાં પાણી પર્વતો પરથી નીચે વહી જાય છે, જે નીચાણવાળા વિસ્તારોમાં પૂર લાવી શકે છે. તેને ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ અથવા GLOF કહેવામાં આવે છે.

રોબિન્સને જણાવ્યું હતું કે, ભૂકંપ અને હિમપ્રપાત સહિત અનેક કારણોથી GLOF ટ્રિગર થઈ શકે છે

તેમણે જણાવ્યું હતું, “આ સરોવરો ઘણીવાર ઢાળવાળા, પર્વતીય વિસ્તારોમાં પણ જોવા મળે છે, જેનો અર્થ છે કે, ભૂસ્ખલન અથવા બરફ હિમપ્રપાત ક્યારેક સીધા તળાવોમાં પડી શકે છે અને પાણીને વિસ્થાપિત કરી શકે છે, જેના કારણે તે કુદરતી બંધની ઉપર થઈ નીચેની તરફ અચાનક આવી શકે છે અને પૂર આવે છે”.

2013 માં, ઉત્તરાખંડના કેદારનાથમાં આવી જ એક ઘટના બની હતી જ્યારે આ પ્રદેશમાં ચૌરાબારી તાલ ગ્લેશિયર તળાવને કારણે GLOF સાથે અચાનક પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા.

GLOF ને કેવી રીતે રોકી શકાય?

રોબિન્સનના મતે, GLOFsનું જોખમ ઘટાડવું જટિલ છે અને કોઈ ઉકેલ તેના માટે કામ કરશે નહીં

તેમણે કહ્યું, “આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવું અને તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવું એ એક મોટી બાબત છે કારણ કે આ હિમનદી સરોવરોના વિકાસને ધીમું કરવામાં મદદ કરશે, પરંતુ કમનસીબે બરફના નુકશાનની ચોક્કસ માત્રા પહેલેથી જ ‘લોક અપ’ છે – જો આપણે આજે તમામ ઉત્સર્જન બંધ કરીએ, તો GLOF નું જોખમ ઘણા દાયકાઓ સુધી વધતું રહેશે.”

આ પણ વાંચોવેધર ન્યૂઝ : હવામાન વિભાગ કેવી રીતે આગાહી કરે છે? શા માટે આગાહી સંપૂર્ણપણે સાચી નથી પડતી

રોબિન્સને વધુમાં સમજાવ્યું કે, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સરકારો તેમજ સમુદાયો સાથે કામ કરીને અસરકારક ઉકેલો શોધવાની જરૂર છે. આમાં સ્થાનિક સ્તરે કામ કરવું અને સંવેદનશીલ વસ્તી માટે યોગ્ય ઉકેલો શોધવાનો સમાવેશ થાય છે.

ગ્લેશિયલ લેક કેવી રીતે બને?

ગ્લેશિયલ લેક ગ્લોબલ વોર્મિંગને પગલે બરફ પીંગળે અથવા હિમપ્રપાત બાદ બરફના કારણે પહાડ પર જ તળાવ બને તેને ગ્લેશિયલ લેક કહી શકાય.

Web Title: Millions of people in india pakistan at risk what new study says about glacial lake risk

Best of Express