scorecardresearch

પ્રવાસી ભારતીય દિવસ : શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે?

Pravasi Bharatiya Diwas :પ્રવાસી ભારતીય દિવસ (Pravasi Bharatiya Diwas) તરીકે 9 જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ તારીખે મહાત્મા ગાંધી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. અને પીએમ મોદી (PM Modi) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિવિધ રાજકારણીઓ દ્વારા તેમને ઘણીવાર સૌથી પ્રખ્યાત એનઆરઆઈના પ્રથમ બિન-નિવાસી ભારતીય તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

Prime Minister Narendra Modi with Madhya Pradesh Governor Mangubhai C Patel, External Affairs Minister S Jaishankar, Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan and other dignitaries during the 17th Pravasi Bharatiya Divas convention, in Indore on Monday. (Photo: PTI)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ સી પટેલ, વિદેશ મંત્રી એસ જયશંકર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને અન્ય મહાનુભાવો સાથે. (તસવીરઃ પીટીઆઈ)

 Rishika Singh : બિન-નિવાસી ભારતીયો (NRIs) માટેનો દિવસ અથવા પ્રવાસી ભારતીય દિવસ (PBD) ની આ 17 મી આવૃત્તિ છે, જે દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, તે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશના ઈન્દોરમાં કાર્યક્રમો સાથે ચિહ્નિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત 8 જાન્યુઆરીએ યુવા પ્રવાસી ભારતીય દિવસે યોજાઈ હતી. સોમવારે, કાર્યક્રમના ઉદઘાટન દિવસે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય વક્તવ્ય આપશે.

વિદેશ મંત્રી એસ જયશંકર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સભાને સંબોધશે તેવી અપેક્ષા છે. મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાનારી ઘટનાના સંદર્ભમાં પ્રવાસન માટે પણ વેગ આપવામાં આવી રહ્યું છે.

પ્રવાસી ભારતીય દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ભારતીય ડાયસ્પોરા પરની એક ઉચ્ચ-સ્તરીય સમિતિમાં ન્યાયશાસ્ત્રી અને સંસદસભ્ય એલએમ સિંઘવીની આગેવાની હેઠળ જાન્યુઆરી 2002માં ભલામણ કરી હતી કે સરકારે વિદેશી ભારતીયોના તેમના મૂળ સ્થાન અને એકબીજા સાથેના જોડાણો અને સંબંધો અને મજબૂત કરવા જોઈએ.

આ પણ વાંચો: joshimath sinking News : જોશીમઠમાં વર્ષો પહેલા જ ખતરાની ઘંટી વાગી હતી

સમિતિએ ભલામણ કરી હતી કે ભારત અને તેના વિદેશી ભારતીય સમુદાય વચ્ચે નેટવર્કિંગ માટે ફોકલ પોઇન્ટ તરીકે ઊભરી આવે તે માટે અને ભારતીય ડાયસ્પોરા ની વાર્તાઓને યાદ કરવા માટે યોગ્ય સ્થળ તરીકે પ્રવાસી ભારતીય ભવનની સ્થાપના કરવી જોઈએ. સરકાર દ્વારા કમ્યુનિટીને માન્યતા આપવા માટે એક દિવસનો વિચાર આમાંથી આવ્યો હતો, અને 2003માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

પ્રવાસી ભારતીય દિવસ તરીકે 9 જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ તારીખે મહાત્મા ગાંધી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. વર્ષોથી, પીએમ મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિવિધ રાજકારણીઓ દ્વારા તેમને ઘણીવાર સૌથી પ્રખ્યાત એનઆરઆઈના પ્રથમ બિન-નિવાસી ભારતીય તરીકે વર્ણવવામાં આવ્યા છે. 2015 થી ગાંધીજી પરત ફર્યાનું શતાબ્દી વર્ષ, દર 2 વર્ષે એક વખત બેઠક યોજવા માટે ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો હતો. પેંડેમીક પછી આ પ્રથમ વ્યક્તિગત બેઠક હશે.

આ વર્ષની થીમ છે, “ડાયાસ્પોરા : અમૃત કાળમાં ભારતની માટે પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો”,તેની પ્રેસ રિલીઝ મુજબ, લગભગ 70 વિવિધ દેશોમાંથી 3,500 થી વધુ ડાયસ્પોરા સભ્યોએ PBD સંમેલન માટે નોંધણી કરાવી છે, સ્પેશ્યલ ગેસ્ટ ઓફ ઓનર સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપરસાદ સંતોખી છે અને મુખ્ય મહેમાન ડો. મોહમ્મદ ઈરફાન અલી, ગયાનાના પ્રમુખ છે.

પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર

કાર્યક્રમઆ ભાગરૂપે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર નામનો એવોર્ડ આપવામાં આવે છે. ઓફીસીઅલ વેબસાઈટ અનુસાર, ” તે બિન-નિવાસી ભારતીય, ભારતીય મૂળની વ્યક્તિને આપવમાં આવતું સર્વોચ્ચ સન્માન છે અથવા તેમના દ્વારા સ્થાપિત અને સંચાલિત સંસ્થા અથવા સંસ્થા દ્વારા વ્યક્તિને આપવમાં આવતું સર્વોચ્ચ સન્માન છે.

આ પુરસ્કાર વિદેશમાં ભારત વિશે વધુ સારી સમજ ઉભી કરવા, ભારતના સ્ત્રોતને સમર્થન આપવા અને સ્થાનિક ભારતીય સમુદાયના કલ્યાણ માટે કામ કરવા માટે ભારતીય ડાયસ્પોરાના યોગદાનને યાદ કરવા માટે છે.

આ પણ વાંચો: માત્ર ગુજરાત નહીં, દરેક રાજ્યોને પોતાના બાળકની જેમ જોવે વડાપ્રધાનઃ મહારાષ્ટ્રના મોટા પ્રોજેક્ટ લઇ લેવા પર બોલ્યા MNS ચીફ રાજ ઠાકરે

મંત્રાલય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ” એક જ્યુરી કમ એવોર્ડ કમિટી, જેમાં ઉપપ્રમુખ તરીકે ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી ઉપાધ્યક્ષ તરીકે અને જીવનના વિવિધ ક્ષેત્રોના અન્ય પ્રતિષ્ઠિત સભ્યોએ નામાંકન પર વિચાર કર્યો અને સર્વસંમતિથી પુરસ્કારોની પસંદગી કરી હતી.

આ વર્ષે, તે ઑસ્ટ્રેલિયા, ઇથોપિયા, ઇઝરાયેલ, જાપાન અને અન્ય જેવા દેશોમાં સ્થિત 27 લોકોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ગયાનાના પ્રમુખ ડો. મોહમ્મદ ઈરફાન અલીને પણ પુરસ્કાર આપવામાં આવશે.

એવોર્ડ મેળવનારાઓની યાદીમાં ડો. દર્શન સિંહ ઢાલીવાલ, જે યુ.એસ બેસ્ડ NRI છે તેમને ત્રણ ફાર્મ કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો માટે લંગરનું આયોજન કરવામાં તેમની સંડોવણી બદલ, ઓક્ટોબર 23-23,2021 ની રાત્રીએ દિલ્લીના IGI એરપોર્ટ પાછા મોકલ્યા હતા. તેમણે ઈન્ડિન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ” આ એવોર્ડ લેવા માટે, હું ખુબજ ખુશ અને ઉત્સુક છું”.

વર્ષ 2023 પ્રવાસી ભારતીય દિવસ માટે શું આયોજન કરવામાં આવ્યું છે?

સલામત,કાનૂની, સુવ્યવસ્થિત અને કુશળ સ્થાનાંતરના મહત્વને રેખાંકિત કરવા માટે એક સ્મારક ટપાલ ટિકિટ ‘ સુરક્ષિત જાયે’, પ્રશિક્ષિત જાયે’ ભાર પાડવામાં આવશે. “આઝાદી કા અમૃત મહોત્સવ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ડાયસ્પોરાનું યોગદાન ” થીમ પર આ કાર્યક્રમ માટે પ્રથમવાર ડિજિટલ પ્રદર્શન યોજાશે. આ માટે વડાપ્રધાન ઈન્દોરમાં ટેમ્પરરી ઉદ્ઘાટન કરશે.

5 વિષયોનું પૂર્ણ સત્ર પણ થશે:

યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં ‘ઇનોવેશન્સ અને નવી ટેક્નોલોજીમાં ડાયસ્પોરા યુવાનોની ભૂમિકા’ પર પ્રથમ પૂર્ણાહુતી થશે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને વિદેશ રાજ્ય મંત્રી ડો. રાજકુમાર રંજન સિંહની સહ-અધ્યક્ષતામાં ‘અમૃત કાલ: વિઝન @2047માં ભારતીય હેલ્થકેર ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા’ પર બીજી પૂર્ણાહુતિ થશે.

વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીની અધ્યક્ષતામાં, ‘ભારતનો સોફ્ટ પાવરનો ઉપયોગ – હસ્તકલા, ભોજન અને સર્જનાત્મકતા દ્વારા ગુડવિલ’ વિષય પર ત્રીજી પૂર્ણાહુતિ હશે.

ભારતીય કર્મચારીઓની વૈશ્વિક મોબિલિટી સક્ષમ કરવી, ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા’ વિષય પર શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી, ધર્મેદ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ચોથી પૂર્ણાહુતિ થશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્ર નિર્માણ માટે સર્વસમાવેશક અભિગમ તરફ ડાયસ્પોરા સાહસિકો’ પર પાંચમી પૂર્ણાહુતિ હશે.

Web Title: Pravasi bharatiya diwas 2023 celebrated theme chief guest pm modi speech indore s jaishankar shivraj singh chouhan

Best of Express