scorecardresearch

શું દલિત, ખ્રિસ્તીઓ અને મુસલમાનોને અનામતનો લાભ મળવો જોઇએ? RSS કરશે ચર્ચા

Qutoa System: સંઘ પરિવાર પરંપરાગત રીતે ધર્માંતરિત દલિતોને અનામતનો લાભ આપવાનો વિરોધ કરે છે. તેણે ધર્માંતરિત આદિવાસીઓને અનામત નકારવાની માંગને પણ સમર્થન આપ્યું છે.

આરક્ષણ
જે સમુદાયના લોકોએ ઇસ્લામ અને ઇસાઇ ધર્મ અપનાવ્યો છે તેને અનામતનો લાભ મળવો જોઇએ કે નહીં તે વિષય પર ચર્ચા થશે.

કે.જી. બાલકૃષ્ણન સમિતિએ દલિત મુસલમાનો અને ઇસાય ધર્મના લોકો માટે કોટાના મુદ્દાની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જન સંચાર વિંગ વિશ્વ સંવાદ કેન્દ્ર નોઇડામાં અનુસૂચિતજાતિ (SC) ના લોકો સંબંધિત વિષયો પર ચર્ચા કરવા માટે બે દિવસીય સંમેલન યોજવા માટે તૈયાર છે. જેમાં જે સમુદાયના લોકોએ ઇસ્લામ અને ઇસાઇ ધર્મ અપનાવ્યો છે તેને અનામતનો લાભ મળવો જોઇએ કે નહીં તે વિષય પર ચર્ચા થશે.

RSSનું આ બે દિવસીય સંમેલન 4 માર્ચે યોજાશે. જે ગૈતમ બુદ્ધ યુનિવર્સિટી, ગ્રેટર નોઇડામાં સહયોગતી કરવામાં આવી રહ્યુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ન્યાયઘીશો, શિક્ષણવિદો,સંશોધન વિદ્વાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત કેટલાક ભૂતપૂર્વ રાજદ્વારીઓ પણ ભાગ લેશે.

કાર્યક્રમના સંયોજક પ્રવેશ ચૌધરીએ મંગળવારે (28 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે, “સચ્ચર સમિતિ, રંગનાથ મિશ્રા આયોગ અને તેની ભલામણો પછી, દેશમાં અનુસૂચિત જાતિના ભાઈઓમાં એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે, શું ધર્માંતરિત ખ્રિસ્તીઓ અને મુસ્લમાનોને અનામત મળવું જોઈએ કે નહીં.

આ પણ વાંચો: Weather Update: ગુજરાતમાં માવઠાંના અણસાર, દિલ્હી- એનસીઆરમાં પણ વાતાવરણમાં પલટો

આ અંગે સમાજમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે, ધર્માંતરિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને હિંદુ ધર્મમાંથી ધર્માંતર કર્યા પછી પણ તેમની સામાજિક સ્થિતિમાં કોઈ ફેરફાર દેખાતો નથી. બીજી તરફ, દેશનો બહુમતી સમાજનું માનવું છે કે, જે અનુસૂચિત જાતિઓનો ધર્મ હિંદુ ધર્મ છે, તેમને તમામ સુવિધાઓ મળવી જોઈએ. બંધારણ દ્વારા આપવામાં આવેલા પ્રતિનિધિત્વ અને અનામત.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ચૌધરીએ કહ્યું કે, બાલકૃષ્ણન કમિટીના કે.જી. બાલકૃષ્ણન ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ છે – આ મુદ્દાની તપાસ કરતી વખતે ચર્ચા કરવી મહત્વપૂર્ણ હતી. તેમણે એમ પણ કહ્યું કે, આ ચર્ચાઓમાંથી જે પણ બહાર આવશે તે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

Web Title: Rss discucss dalit christians muslims get quota benefits

Best of Express