નાગપુરમાં RSS હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા વધારી દેવામાં આવી

bomb threat RSS Headquarter Nagpur : નાગપુર સ્થિત એરએસએસ હોડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ છે. તત્કાલિક સુરક્ષા વ્યવસ્થા (Security) વધારી દેવામાં આવી છે, સાથે પોલીસ કનટ્રોલ રૂમમાં ધમકી ભર્યો ફોન કરનારને શોધી કાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

bomb threat RSS Headquarter Nagpur : નાગપુર સ્થિત એરએસએસ હોડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ છે. તત્કાલિક સુરક્ષા વ્યવસ્થા (Security) વધારી દેવામાં આવી છે, સાથે પોલીસ કનટ્રોલ રૂમમાં ધમકી ભર્યો ફોન કરનારને શોધી કાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

આરએસએસ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (ફોટો - જનસત્તા)

RSS Headquarter Nagpur: એક અજાણ્યા વ્યક્તિએ શનિવારે (31 ડિસેમ્બર, 2022) મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયને ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકીને પગલે વિસ્તારમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

Advertisment

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ડીસીપી), ઝોન ત્રણ, ગોરખ ભામરેએ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમને બપોરે 1 વાગ્યે કોલ આવ્યો હતો. એક વ્યક્તિએ મહલ વિસ્તારમાં RSS હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી અને જગ્યાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

ધમકીઓ બાદ પેટ્રોલિંગ વધ્યુંઃ DCP

ડીસીપીએ કહ્યું કે, સાવચેતીના પગલા તરીકે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ફોન કરનારની ઓળખ માટે પોલીસ ફોન નંબરનું લોકેશન ટ્રેસ કરી રહી છે. ધમકીને પગલે RSS મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે નજીકમાં રહેતા લોકોની ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, નાગપુર RSS હેડક્વાર્ટરમાં સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ કડક છે. અહીં સીઆરપીએફની ટુકડી સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે. આ સિવાય નાગપુર પોલીસે આઉટર સર્કલ પર સુરક્ષા કોર્ડન કરી છે. અહીં કોઈપણ પ્રકારની ડ્રોન કે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ છે.

Advertisment

RSSની સ્થાપના 27 સપ્ટેમ્બર, 1925ના રોજ થઈ હતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવારે કરી હતી. આરએસએસની સ્થાપના વિજયાદશમીના દિવસે, 27 સપ્ટેમ્બર 1925ના રોજ, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે કરવામાં આવી હતી. 2025માં આ સંસ્થા 100 વર્ષની થઈ જશે. નાગપુરના અખાડાઓમાંથી બનેલા સંઘે હાલમાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે તેમના ઘરે 17 લોકો સાથેની બેઠકમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. હેડગેવાર સાથે આ બેઠકમાં વિશ્વનાથ કેલકર, ભાઈજી કાવરે, અન્ના સાહને, બાલાજી હુદ્દર, બાપુરાવ ભેડી વગેરે હાજર હતા.

આ પણ વાંચો -

હેડગેવાર નવેમ્બર, 1929માં સરસંઘચાલક તરીકે ચૂંટાયા

સંઘનું નામ શું હશે, તેની પ્રવૃત્તિઓ શું હશે, આ બધું ધીમે ધીમે સમય જતાં નક્કી થતું ગયું. તે સમયે વિચાર માત્ર હિંદુઓને સંગઠિત કરવાનો હતો. સંઘનું 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' નામકરણ પણ 17 એપ્રિલ 1926ના રોજ થયું હતું. તે જ દિવસે હેડગેવારને સર્વસંમતિથી સંઘના વડા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હેડગેવાર સરસંઘચાલક નવેમ્બર 1929માં બન્યા હતા.