NCERT પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નખાયા: મુઘલ કાળ, ગુજરાત રમખાણ, ગાંધીજીની હત્યા બાદ RSS પર પ્રતિબંધ સાથે જોડાયેલા કેટલાક ભાગ

NCERT textbooks deleted Sentences : એનસીઈઆરટી દ્વારા ધોરણ 12 ના પાઠ્યપુસ્તક, પોલીટિકલ સાયન્સમાંથી ગાંધીજીની હત્યા (Gandhiji Murder) સંબંધિત કેટલાક વાક્ય, આરએસએસ (RSS) પર પ્રતિબંધ, મુગલ યુગ, ગાંધી પ્રત્યે હિન્દુ ઉગ્રવાદી અણગમો જેવા કેટલાક હિસ્સાઓ હટાવી દેવામાં આવ્યા.

Updated : April 05, 2023 13:25 IST
NCERT પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નખાયા: મુઘલ કાળ, ગુજરાત રમખાણ, ગાંધીજીની હત્યા બાદ RSS પર પ્રતિબંધ સાથે જોડાયેલા કેટલાક ભાગ
NCERT પાઠ્યપુસ્તકોમાંથી કેટલાક વાક્યો કાઢી નખાયા

રીતિકા ચોપરા : નવા શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ આ અઠવાડિયે શાળામાં પાછા ફરશે. જો કે, આ વખતે તેઓને 2014માં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ સૌથી મોટા ફેરફારો સાથે નવા સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકો મળશે. 2002ના ગુજરાત રમખાણોના તમામ સંદર્ભો સુધારવાથી, મુઘલ કાળ અને જાતિ પ્રણાલી પરના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. NCERTના નવા પાઠ્યપુસ્તકોમાંથી વિરોધ અને સામાજિક ચળવળોના પ્રકરણો પણ હટાવી દેવામાં આવ્યા છે.

શૈક્ષણિક સત્ર 2023-24 માટે બજારમાં નવા પુસ્તકો

આ ફેરફારો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ફેરફારોનું પરિણામ છે, જેના હેઠળ NCERT નો હેતુ કોવિડ દરમિયાન વિદ્યાર્થીઓને થયેલી મુશ્કેલી માટે કોર્સ લોડ ઘટાડવાનો છે. જો કે NCERTએ ગયા વર્ષે પાઠ્યપુસ્તકોમાં થયેલા તમામ ફેરફારોની યાદી બહાર પાડી હતી, પરંતુ શૈક્ષણિક સત્ર શરૂ થવાને કારણે આ ફેરફારોનો અમલ થઈ શક્યો ન હતો. આવી સ્થિતિમાં, શૈક્ષણિક સત્ર 2023-24 માટે નવી સામગ્રી સાથે પુનઃમુદ્રિત પુસ્તકો તાજેતરમાં બજારમાં આવ્યા છે.

મુઘલ કાળ અને મુસ્લિમ શાસકોની સામગ્રીમાં કાપ મૂકાયો

પાઠ્યપુસ્તકોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુઘલ કાળ અને ભારતના મુસ્લિમ શાસકો પરની સામગ્રીને ટ્રિમ કરવામાં આવી છે. દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય પરના કેટલાક પૃષ્ઠો, જેમાં મામલુક, તુઘલક, ખિલજી અને લોદીઓ સહિત અનેક રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું, તેને ધોરણ 7ના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. હુમાયુ, શાહજહાં, બાબર, અકબર, જહાંગીર અને ઔરંગઝેબ જેવા મુઘલ સમ્રાટોની સિદ્ધિઓની વિગત આપતા બે પાના સહિત મુઘલ સામ્રાજ્ય પરના ધોરણ 7ના પાઠ્યપુસ્તકના પ્રકરણને પણ કાપવામાં આવ્યું છે.

કટોકટી સંબંધિત ભાગો દૂર કરવામાં આવ્યા છે

ધોરણ 12ના ઈતિહાસના પાઠ્યપુસ્તકમાંથી કિંગ્સ એન્ડ ક્રોનિકલ્સ: ધ મુગલ કોર્ટ્સ (ભારતીય ઈતિહાસમાં વિષયો-ભાગ II) પ્રકરણ કાઢી નાખવામાં આવ્યું છે. વર્ગ 7ના ઈતિહાસની પાઠ્યપુસ્તક અવર પાસ્ટ – II માં, અફઘાનિસ્તાનના ગઝનીના મહમૂદના બીજા પ્રકરણમાં એક સંદર્ભ છે, જેણે ઉપખંડ પર આક્રમણ કર્યું હતું અને સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. સૌથી પહેલા ગઝનીના નામ પરથી ‘સુલતાન’ નામ હટાવી દેવામાં આવ્યું છે. આ સાથે ઈમરજન્સીની કઠોર અસરો સાથે કામ કરતા ભાગોમાં કાપ મુકવામાં આવ્યો છે. 2002ના ગુજરાત રમખાણોના તમામ સંદર્ભો તમામ NCERT સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

  • તેઓ (ગાંધી)ને નાપસંદ કરતા હતા જેઓ હિંદુ પ્રતિશોધ ઇચ્છતા હતા અથવા જેઓ ઇચ્છતા હતા કે, ભારત હિંદુઓ માટે દેશ બને, જેમ પાકિસ્તાન મુસ્લિમો માટે હતું.
  • હિંદુ-મુસ્લિમ એકતા માટેના તેમના નિર્ધારિત પ્રયાસે હિંદુ ઉગ્રવાદીઓને એટલા ગુસ્સે કર્યા કે, તેઓએ ગાંધીજીની હત્યાના અનેક પ્રયાસો કર્યા.
  • ગાંધીજીના મૃત્યુની દેશની સાંપ્રદાયિક પરિસ્થિતિ પર લગભગ જાદુઈ અસર પડી. ભારત સરકારે સાંપ્રદાયિક નફરત ફેલાવતી સંસ્થાઓ પર કડક કાર્યવાહી કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાઓ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ વાક્યો, જે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને 15 વર્ષથી તેમના પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમના ભાગ રૂપે શીખવવામાં આવતા હતા, તે હવે NCERT પાઠ્યપુસ્તકોમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને “પુણેના બ્રાહ્મણ” અને “એક કટ્ટરપંથી હિંદુ અખબારના સંપાદક તરીકે ઓળખવામાં આવ્યા હતા, જેમણે ગાંધીને ‘મુસ્લિમોના તુષ્ટિકરણ’ તરીકે વખોડ્યા હતા”, પાઠ્યપુસ્તકમાંથી ધોરણ 12 ઇતિહાસ

ધોરણ 6-12 માટેના સામાજિક વિજ્ઞાનના પુસ્તકોમાંથી ગુજરાત રમખાણોના સંદર્ભમાં NCERT ધોરણ 12ના પાઠોમાં ગાંધીજીની હત્યા અંગેની મહત્વની હટાવેલી આ પંક્તિઓ છે.

નોંધનીય છે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ગયા વર્ષે જૂનમાં સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલ “રેશનલાઈઝ્ડ કન્ટેન્ટ લિસ્ટ”માં ઉપરોક્ત ડિલીટનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

જો કે, ઉપરોક્ત વાક્યો અને સંદર્ભો તાજેતરમાં બજારમાં આવેલા નવા પાઠ્યપુસ્તકો (તર્કસંગત સામગ્રી સાથે)માંથી ગાયબ છે, ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પુનઃમુદ્રિત પુસ્તકોની તપાસમાં આ બહાર આવ્યું છે.

ગયા વર્ષે, કોવિડ-19 મહામારીથી પ્રભાવિત થયેલા વિદ્યાર્થીઓને ભણવામાં “ઝડપી સુધારાઓ” કરવામાં મદદ કરવા માટે NCERT એ તમામ વિષયો માટેના પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવ્યા હતા. ફેરફારોની જાહેરાત એક પુસ્તિકા દ્વારા કરવામાં આવી હતી, જે કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી અને ઔપચારિક રીતે તમામ શાળાઓ સાથે શેર કરવામાં આવી હતી. સમયની અછતને લીધે પાઠ્યપુસ્તકો (તર્કસંગત સામગ્રી સાથે) ગયા વર્ષે પુનઃમુદ્રિત થયા ન હતા. જો કે, નવા પુસ્તકો હવે બજારમાં આવ્યા છે અને નવા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ઉપલબ્ધ છે.

ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી ડિલીટ કરેલી લીટીઓ

મહાત્મા ગાંધીની હત્યા સંબંધિત ફેરફારો જૂન 2022 માં બહાર પાડવામાં આવેલા સત્તાવાર NCERT દસ્તાવેજમાં શા માટે દર્શાવવામાં આવ્યાં નથી, પરંતુ પુનઃમુદ્રિત પાઠ્યપુસ્તકોમાં સીધા જ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે તે અંગે પૂછવામાં આવતા, NCERTના ડિરેક્ટર ડીએસ સકલાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વખતે “ત્યાં કંઈ નવું નથી”. “તર્કીકરણ ગયા વર્ષે થયું હતું. અમે આ વખતે કંઈ નવું કર્યું નથી.” તેમના સાથીદાર અને NCERTની સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશનલ ટેક્નોલોજીના વડા, એપી બેહેરાએ જણાવ્યું હતું કે, “અવલોકનને કારણે કેટલીક બાબતો ટેબલમાંથી બહાર રહી ગઈ હશે, પરંતુ આ વર્ષે કોઈ નવા ફેરફારો કરવામાં આવ્યા નથી. આ બધું ગયા વર્ષે થયું હતું.”

આ વર્ષે પુનઃમુદ્રિત પાઠ્યપુસ્તકોમાં રજૂ કરાયેલા કેટલાક સૌથી વધુ સ્પષ્ટ ફેરફારોને ધ્યાનમાં લો કે, જે જૂન 2022 માં પ્રકાશિત NCERT ની “તર્કસંગત સામગ્રી સૂચિ” માંથી ખૂટે છે:

  • NCERT પાઠ્યપુસ્તકોમાં ગુજરાત રમખાણોનો ત્રીજો અને અંતિમ સંદર્ભ ધોરણ 11 ના સમાજશાસ્ત્રની પાઠ્યપુસ્તક ‘અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી’માંથી કાઢી નાખવામાં આવ્યો છે. NCERT એ એક ફકરો દૂર કર્યો છે, જેમાં વર્ગ, ધર્મ અને વંશીયતા વારંવાર રહેણાંક વિસ્તારોને અલગ કરવા તરફ દોરી જાય છે તે વિશે વાત કરે છે અને પછી તે 2002 માં ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાને ટાંકીને સમજાવે છે કે, કેવી રીતે સાંપ્રદાયિક હિંસા યહુદી વસ્તીને આગળ વધારે છે.

કાઢી નાખવામાં આવેલા ફકરામાં લખ્યું છે: “શહેરોમાં લોકો ક્યાં અને કેવી રીતે જીવશે તે એક પ્રશ્ન છે, જે સામાજિક-સાંસ્કૃતિક ઓળખ દ્વારા પણ ફિલ્ટર થયેલ છે. વિશ્વભરના શહેરોમાં રહેણાંક વિસ્તારો લગભગ હંમેશા વર્ગ દ્વારા અલગ પાડવામાં આવે છે, અને ઘણી વખત જાતિ, વંશીયતા, ધર્મ અને આવા અન્ય ચલો દ્વારા પણ અલગ પાડવામાં આવે છે. આવી ઓળખ વચ્ચેનો તણાવ એ આ અલગતાના દાખલાઓનું કારણ અને પરિણામ પણ છે. ઉદાહરણ તરીકે, ભારતમાં, ધાર્મિક સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક તણાવ, સામાન્ય રીતે હિંદુ અને મુસ્લિમ, મિશ્ર પડોશીઓને એક-સમુદાયમાં રૂપાંતરિત કરવાથી પરિણમે છે. આ બદલામાં સાંપ્રદાયિક હિંસા માટે ચોક્કસ અવકાશી પેટર્ન પ્રદાન કરે છે, જે ફરીથી ‘ઘેટ્ટોઇઝેશન’ની પ્રક્રિયા તરફ દોરી જાય છે. ભારતના ઘણા શહેરોમાં આવું બન્યું છે, તાજેતરમાં ગુજરાતમાં 2002ના રમખાણો પછી.

Book: Politics In India Since Independence

ઉપરોક્ત ફકરો દૂર કરવા સાથે, ધોરણ 6 થી 12 માટેના તમામ સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકોમાંથી ગુજરાત રમખાણોના તમામ સંદર્ભો દૂર કરવામાં આવ્યા છે.

કાઉન્સિલે ધોરણ 12ના રાજકીય વિજ્ઞાનના પાઠ્યપુસ્તક ‘પોલિટિક્સ ઇન ઈન્ડિયા સિન ઈન્ડિપેન્ડન્સ’ અને ધોરણ 12ના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તક ‘ઈન્ડિયન સોસાયટી’માંથી ગુજરાતના રમખાણોના બે સંદર્ભો દૂર કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગયા વર્ષે જૂનમાં.

  • ધોરણ 12 પોલિટિકલ સાયન્સના પાઠયપુસ્તક ‘પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન ઇન્ડિપેન્ડન્સ’ના પ્રથમ પ્રકરણમાં, NCERT એ વાકયો દૂર કર્યા છે કે, કેવી રીતે હિંદુ ઉગ્રવાદીઓ ખાસ કરીને મહાત્મા ગાંધીને નાપસંદ કરતા હતા અને તેમની હત્યાના અનેક પ્રયાસો કર્યા હતા. તેનો ઉલ્લેખ ‘મહાત્મા ગાંધીનું બલિદાન’ ઉપશીર્ષક હેઠળ કરવામાં આવ્યું હતું.

“એવા લોકો ગાંધીને ના પસંદ કરતા હતા જેઓ ખાસ કરીને હિંદુ બદલો ઇચ્છતા હતા અથવા જેઓ ઇચ્છતા હતા કે ભારત હિંદુઓ માટે દેશ બને, જેમ પાકિસ્તાન મુસ્લિમો માટે હતું. તેમણે ગાંધીજી પર મુસ્લિમો અને પાકિસ્તાનના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો. ગાંધીજીને લાગ્યું કે, આ લોકો ગેરમાર્ગે દોરાયા છે. તેમને ખાતરી હતી કે, ભારતને માત્ર હિંદુઓનો દેશ બનાવવાનો કોઈપણ પ્રયાસ ભારતનો નાશ કરશે. હિંદુ-મુસ્લિમ એકતા માટેની તેમની તીવ્ર ઇચ્છાએ હિંદુ ઉગ્રવાદીઓને એટલા ઉશ્કેર્યા કે, તેઓએ ગાંધીજીની હત્યાના અનેક પ્રયાસો કર્યા,” હટાવેલી લાઈનોમાં લખ્યું છે.

NCERTએ ગાંધીજીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સરકારના પ્રતિબંધનો સંદર્ભ પણ હટાવી દીધો છે.

કાઢી નાખવામાં આવેલા વાક્યોમાં લખવામાં આવ્યું હતું કે, “ગાંધીજીના મૃત્યુની દેશની સાંપ્રદાયિક પરિસ્થિતિ પર લગભગ જાદુઈ પ્રભાવ પાડ્યો હતો. વિભાજન સાથે સંકળાયેલો ગુસ્સો અને હિંસા અચાનક શમી ગઈ. ભારત સરકારે સાંપ્રદાયિક નફરત ફેલાવતી સંસ્થાઓ પર કડક કાર્યવાહી કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાઓ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાંપ્રદાયિક રાજનીતિએ તેનું આકર્ષણ ગુમાવવાનું શરૂ કર્યું.”

જો કે, ‘મહાત્મા ગાંધીનું બલિદાન’ શીર્ષક હેઠળની બાકીની સામગ્રીમાં 15 ઓગસ્ટ, 1947ના રોજ ગાંધીની કોલકાતાની મુલાકાતનો ઉલ્લેખ છે, જે તે સમયના હિંદુ-મુસ્લિમ રમખાણોને અને હિંદુઓ અને મુસલમાનોને હિંસા છોડવા માટે સમજાવવાના પ્રયાસોનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ હિંસા તે પ્રયત્નોથી વિખેરાઈ ગઈ હતી, તેમની હત્યાનું પણ ટૂંકમાં વર્ણન કરે છે.

“છેવટે, 30 જાન્યુઆરી 1948 ના રોજ, આવા જ એક ઉગ્રવાદી, નાથુરામ વિનાયક ગોડસે, દિલ્હીમાં તેમની સાંજની પ્રાર્થના દરમિયાન ગાંધીજીની નજીક પહોંચ્યા અને તેમના પર ત્રણ ગોળીબાર કર્યા, જેમાં તેમનું તુરંત મોત થઈ ગયું.”

  • ‘ભારતીય ઇતિહાસ ભાગ III માં થીમ્સ’ નામના ધોરણ 12ના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી, કાઉન્સિલે ગોડસેનો “બ્રાહ્મણ” સંદર્ભ કાઢી નાખ્યો છે અને તે “ઉગ્રવાદી હિન્દુ અખબારના સંપાદક” હતા.

ગાંધીની હત્યા સંબંધિત ફકરો “મહાત્મા ગાંધી અને રાષ્ટ્રવાદી ચળવળ” શીર્ષકના પ્રકરણમાં પહેલા વાંચવામાં આવતો હતો: “30 જાન્યુઆરીની સાંજે તેમની દૈનિક પ્રાર્થના સભામાં, ગાંધીજીને એક યુવાને ગોળી મારી હતી. હત્યારાએ જેણે પાછળથી આત્મસમર્પણ કર્યું હતું, તે પુણેના એક બ્રાહ્મણ હતા, જેમનું નામ નાથુરામ ગોડસે હતુ, જે એક ઉગ્રવાદી હિંદુ અખબારના સંપાદક હતા, જેમણે ગાંધીજીને ‘મુસલમાનોના તુષ્ટિકરણકર્તા’ કહ્યા હતા.

આ પણ વાંચોગુજરાતના ખાનગી પોર્ટમાં મોટી સંખ્યામાં ચાઈનીઝની હાજરી, સુબ્રમણ્યમ સ્વામીએ કોને નિશાન બનાવ્યું?

સુધારેલ ફકરો હવે વંચાય છે: “30 જાન્યુઆરીની સાંજે તેમની દૈનિક પ્રાર્થના સભામાં, ગાંધીજીને એક યુવાને ગોળી મારી હતી. બાદમાં આત્મસમર્પણ કરનાર હત્યારો નાથુરામ ગોડસે હતો.

(અનુવાદ-ભાવાનુવાદ – કિરણ મહેતા)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ