Telangana Election 2023: તેલંગાણામાં CM પદ માટે ભાજપ OBC ચહેરા પર દાવ લગાવી શકે છે, જાણો તેની પાછળનું મોટું કારણ

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બંદી સંજયને પણ સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે કેન્દ્રીય નેતૃત્વ તરફથી ફોન આવ્યો હતો. એકાદ-બે દિવસમાં ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી પૂરી શક્યતા છે.

Written by Ankit Patel
October 19, 2023 10:44 IST
Telangana Election 2023: તેલંગાણામાં CM પદ માટે ભાજપ OBC ચહેરા પર દાવ લગાવી શકે છે, જાણો તેની પાછળનું મોટું કારણ
તેલંગાણા વિધાનસભા ચૂંટણી

Telangana Assembly Election 2023 : ભારતીય જનતા પાર્ટી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે OBC (અન્ય પછાત વર્ગ) નેતાને રજૂ કરી શકે છે. જો કે, પાર્ટીની સેન્ટ્રલ સ્ક્રિનિંગ કમિટી પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે તૈયાર છે. આ માહિતી પાર્ટીના નેતાઓ અને મામલાની સાથે જોડાયેલા લોકોએ આપી હતી.

કેન્દ્રીય પર્યટન મંત્રી અને તેલંગાણા ભાજપના અધ્યક્ષ જી કિશન રેડ્ડી અને પાર્ટીના સંસદીય બોર્ડના સભ્ય અને સાંસદ કે લક્ષ્મણ બુધવારે સાંજે કેન્દ્રીય સ્ક્રીનીંગ કમિટી પાસેથી મંજૂરી મેળવવા માટે ઉમેદવારોના લગભગ 40 નામોની યાદી સાથે નવી દિલ્હી જવા રવાના થયા.

આ સમગ્ર ઘટનાથી વાકેફ ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ‘ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બંદી સંજયને પણ સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે કેન્દ્રીય નેતૃત્વ તરફથી ફોન આવ્યો હતો. એકાદ-બે દિવસમાં ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી પૂરી શક્યતા છે.

ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ઓબીસી ચહેરા પર વિચારણા કરે છે

બીજેપી નેતાના જણાવ્યા અનુસાર, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પર વિજય મેળવવા માટે એક OBC નેતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા વિચારી રહ્યું છે. તેમણે કહ્યું, “રાજ્યના નેતાઓને આજે આવા સંકેત મળ્યા છે, પરંતુ તે તરત જ જાણી શકાયું નથી કે ભાજપ હાઈકમાન્ડ કોઈ નામની જાહેરાત કરશે કે પછી માત્ર એટલું જ કહેશે કે જો પાર્ટી સત્તામાં આવશે તો OBC નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.’ ‘

ઓબીસી નેતાઓમાં આ નામો મુખ્ય છે

તેલંગાણા ભાજપના ઓબીસી નેતાઓમાં અગ્રણી સાંસદ કે લક્ષ્મણ છે, જેઓ ભાજપ રાષ્ટ્રીય ઓબીસી મોરચાના પણ વડા છે. પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંડી સંજય અને હુઝુરાબાદના ધારાસભ્ય ઈટાલા રાજેન્દ્રના નામ સામેલ છે.

35 ટકા ઉમેદવારો ઓબીસી હશેઃ ભાજપ

બીજેપીના એક નેતાએ કહ્યું, ‘પાર્ટી માને છે કે પાર્ટીના સીએમ ઉમેદવાર તરીકે ઓબીસી નેતાને જાહેર કરવાથી પાર્ટીને મોટો ફાયદો થશે, કારણ કે આ વર્ગમાંથી કોઈ પણ સંયુક્ત આંધ્ર પ્રદેશ કે તેલંગાણાના મુખ્યમંત્રી નથી બની શક્યું. તેમણે કહ્યું કે પાર્ટીએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે 35% ઉમેદવારો ઓબીસીમાંથી હશે.

દરમિયાન, કિશન રેડ્ડી અને લક્ષ્મણ સહિતના રાજ્ય ભાજપના નેતાઓએ બુધવારે હૈદરાબાદમાં જનસેના પાર્ટીના વડા અને લોકપ્રિય અભિનેતા પવન કલ્યાણ સાથે વાત કરી અને તેલંગાણામાં ભાજપ માટે તેમની પાર્ટીનું સમર્થન માંગ્યું.

30 નવેમ્બરે ચૂંટણી યોજાશે

આંધ્રપ્રદેશમાં હાલમાં બંને પક્ષોનું ગઠબંધન છે. જનસેના તેલંગાણામાં 32 બેઠકો પર ચૂંટણી લડવા માટે ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. પવન કલ્યાણને ટાંકીને જનસેના પાર્ટીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે અમારી પાર્ટીમાં ચર્ચા કરીશું અને ભાજપને સમર્થન આપવા અંગે નિર્ણય લઈશું.” તમને જણાવી દઈએ કે, તેલંગાણા વિધાનસભાની 119 સીટો પર 30 નવેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ