માત્ર કોંગ્રેસનો મુદ્દો બનીને રહી ગયો અદાણી વિવાદ, ઈન્ડિયા ગઠબંધનમાં પડવા લાગી તિરાડ

શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોઈ મુદ્દા પર એક પણ વખત યોગ્ય રીતે ચર્ચા થઈ નથી. કોંગ્રેસ દ્વારા અદાણી વિવાદ સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. જેના કારણે દરેક સત્રને મુલતવી રાખવું પડ્યું છે. હવે આ સમગ્ર હંગામામાં એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે ઈન્ડિયા ગઠબંધન એક નથી.

Written by Rakesh Parmar
Updated : December 01, 2024 23:31 IST
માત્ર કોંગ્રેસનો મુદ્દો બનીને રહી ગયો અદાણી વિવાદ, ઈન્ડિયા ગઠબંધનમાં પડવા લાગી તિરાડ
શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોઈ મુદ્દા પર એક પણ વખત યોગ્ય રીતે ચર્ચા થઈ નથી. (તસવીર: Jansatta)

શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોઈ મુદ્દા પર એક પણ વખત યોગ્ય રીતે ચર્ચા થઈ નથી. કોંગ્રેસ દ્વારા અદાણી વિવાદ સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. જેના કારણે દરેક સત્રને મુલતવી રાખવું પડ્યું છે. હવે આ સમગ્ર હંગામામાં એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે ઈન્ડિયા ગઠબંધન એક નથી. દરેક પક્ષ અદાણીનો મુદ્દો ઉઠાવવામાં રસ દાખવતો નથી. ટીએમસી હોય કે શરદ પવાર જૂથ, દરેકને પોતપોતાના મુદ્દા છે, પરંતુ કોંગ્રેસના કારણે બધાએ પાછળ હટવું પડ્યું છે.

મોટી વાત એ છે કે કોંગ્રેસના જ ઘણા સાંસદો હવે હાઈકમાન્ડની આ રણનીતિથી ખુશ દેખાતા નથી. તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે દેશની જનતાએ તેમને વોટ આપીને ગૃહમાં મોકલ્યા છે, આવી સ્થિતિમાં તેમના મુદ્દા ઉઠાવવા જરૂરી છે. જો આ રીતે વિરોધ કરીને ગૃહને કામકાજ કરતા અટકાવવામાં આવશે તો મતદારો માટે જવાબ આપવો મુશ્કેલ બનશે. કોંગ્રેસના કેટલાક સાંસદોએ તો ત્યાં સુધી કહ્યું છે કે રાજ્યસભાના અમુક પસંદગીના નેતાઓ જ સમગ્ર કોંગ્રેસની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. લોકસભામાં જે પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેની રૂપરેખા ત્યાં તૈયાર કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના કેટલાક સાંસદોએ તો હવે એવું પણ કહેવાનું શરૂ કરી દીધું છે કે પ્રિયંકા ગાંધીના લોકસભામાં પ્રવેશ સાથે રણનીતિમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. તેમના મતે પ્રિયંકા વધુ વ્યવહારુ છે તે વાયનાડમાં પણ જાહેર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી, તેથી તેની પ્રાથમિકતા અહીં પણ જોઈ શકાય છે. હવે સમજવા જેવી વાત એ છે કે કોંગ્રેસના અનેક સાંસદોમાં ગુસ્સો છે પરંતુ રાહુલ ગાંધીની વિરુદ્ધ જવાની કોઈનામાં હિંમત નથી.

આ પણ વાંચો: મોદી સરકારના મંત્રીએ કહી દીધુ એકનાથ શિંદે નારાજ છે કે નહીં, ફડણવીસને લઈ કહી મોટી વાત

હવે એ વાત જાણીતી છે કે રાહુલ ગાંધીને અદાણીનો મુદ્દો સૌથી વધુ પ્રિય લાગે છે તેઓ તેના આધારે ચૂંટણી લડે છે અને સીધો પીએમ મોદી પર નિશાન સાધે છે. સંસદમાં પણ તેઓ આ મુદ્દાના આધારે કેન્દ્રને સંપૂર્ણપણે અલગ કરવા માંગે છે. પરંતુ હવે જ્યારે કેટલાય દિવસોથી ગૃહનું કામકાજ ચાલી શક્યું નથી ત્યારે કોંગ્રેસના સાંસદો એવું માનવા લાગ્યા છે કે આ રીતે સંસદને ખોરવી નાખવી યોગ્ય નથી. આવી સ્થિતિમાં સરકારની જવાબદારી નક્કી કરવી વધુ મુશ્કેલ બની જશે.

હાલમાં એક તરફ TMC બેરોજગારી, મોંઘવારી, બંગાળ સરકાર દ્વારા પ્રાપ્ત ભંડોળ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. જ્યારે એસપી સંભલ જેવા મુદ્દાઓને વધુ ઉઠાવવા માંગે છે. હવે તમામ વિરોધ પક્ષો એકસાથે દેખાતા ન હોવાથી સોમવારે સવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. તે બેઠકમાં ઈન્ડિયા એલાયન્સના તમામ ફ્લોર લીડર્સ ભાગ લેશે, જેમાં એ નક્કી કરવામાં આવશે કે ગૃહમાં કઈ રણનીતિ અપનાવવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ