“જો નકશામાં દેખાવું હોય તો આતંકવાદ છોડી દો,” આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી

ભારતીય આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે જો તે આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે, તો તેને નકશા પરથી ભૂંસી નાખવામાં આવી શકે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વખતે ભારતીય સેના પાકિસ્તાન સામે કોઈ સંયમ રાખશે નહીં.

Written by Rakesh Parmar
October 03, 2025 17:40 IST
“જો નકશામાં દેખાવું હોય તો આતંકવાદ છોડી દો,” આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી
આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. (તસવીર: સોશિયલ મીડિયા)

Army Chief Warning to Pakistan News: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામે ભારતનું વલણ અત્યંત કડક બન્યું છે, જે આર્મી ચીફના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે ગંગાનગરના ઘડસાણા ગામોની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન નકશા પર રહેવા માંગે છે તો તેણે આતંકવાદને પ્રાયોજિત કરવાનું બંધ કરવું પડશે.

ભારતીય આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે જો તે આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે, તો તેને નકશા પરથી ભૂંસી નાખવામાં આવી શકે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વખતે ભારતીય સેના પાકિસ્તાન સામે કોઈ સંયમ રાખશે નહીં.

ઓપરેશન સિંદૂર 2.0 ટૂંક સમયમાં શરૂ થશે

ભારતીય આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે તો ભારત ઓપરેશન સિંદૂરનો બીજો તબક્કો શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર 1.0 દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

આ પણ વાંચો: શું તમે વિશ્વની પહેલી AI અભિનેત્રી જોઈ છે? તેની અદભુત સુંદરતા જોઈને લોકો દંગ રહી ગયા

ઓપરેશન સિંદૂરની સફળતાઓની યાદી

ભારતીય આર્મી જનરલે જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં આશરે 100 પાકિસ્તાની સૈનિકો અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય સેનાના કર્મચારીઓ અને સ્થાનિક લોકોને જાય છે. આ ઓપરેશનનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું અને તે મહિલાઓને સમર્પિત હતું.

આતંકવાદની પ્રાયોજકતા સમાપ્ત થવી જોઈએ

સેના પ્રમુખ જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થશે તો અમે એવું કંઈક કરીશું જે પાકિસ્તાનને પુનર્વિચાર કરવા મજબૂર કરશે કે તે વિશ્વના નકશા પર દેખાવા માંગે છે કે નહીં. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો અંત આવવો જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ