250 રૂપિયાનું નુકસાન થયું તો યુવકે કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ કરી દીધો, જાણો સમગ્ર મામલો

બિહારના એક દૂધ વેચનાર વ્યક્તિએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એક વિચિત્ર કેસ દાખલ કર્યો છે. યુવકનો આરોપ છે કે રાહુલ ગાંધીનું નિવેદન સાંભળીને તે એટલો બધો ચોંકી ગયો કે દૂધ ભરેલી ડોલ તેના હાથમાંથી સરકી ગઈ.

Written by Rakesh Parmar
January 21, 2025 22:29 IST
250 રૂપિયાનું નુકસાન થયું તો યુવકે કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ કરી દીધો, જાણો સમગ્ર મામલો
રાહુલ ગાંધી ફાઇલ તસવીર - jansatta

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કારણે બિહારના એક યુવકને 250 રૂપિયાનું નુકસાન થયું. જે બાદ તેણે આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો છે. બિહારના એક દૂધ વેચનાર વ્યક્તિએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એક વિચિત્ર કેસ દાખલ કર્યો છે. યુવકનો આરોપ છે કે રાહુલ ગાંધીનું નિવેદન સાંભળીને તે એટલો બધો ચોંકી ગયો કે દૂધ ભરેલી ડોલ તેના હાથમાંથી સરકી ગઈ.

આ યુવક બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી મુકેશ કુમાર છે. તેણે રોસડા કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી છે. ફરિયાદી મુકેશે દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે રાહુલ ગાંધીની ‘ભારતીય રાજ્ય સામે લડાઈ’ ટિપ્પણી સાંભળીને તે ચોંકી ગયો હતો. મુકેશે કહ્યું, “મને એટલો આઘાત લાગ્યો કે મારી 5 લિટર દૂધ ભરેલી ડોલ, જેની કિંમત 50 રૂપિયા પ્રતિ લિટર હતી, મારા હાથમાંથી સરકી ગઈ.” આ રીતે મને કુલ 250 રૂપિયાનું નુકસાન થયું.

રાહુલ ગાંધી પર રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગ

ત્યારબાદ મુકેશે સમસ્તીપુરની રોસડા સબ-ડિવિઝનલ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં રાહુલ ગાંધી પર રાજદ્રોહ અને અન્ય ફોજદારી કલમો હેઠળ કેસ ચલાવવાની માંગ કરવામાં આવી છે. મુકેશનું કહેવું છે કે રાહુલનું નિવેદન ભારતીય સાર્વભૌમત્વને જોખમમાં મૂકતું હતું અને તેની રાષ્ટ્રીય સુરક્ષા પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. તેમણે કોંગ્રેસના સાંસદની ટિપ્પણીને દેશદ્રોહી ગણાવી કારણ કે તેમના મતે આ ટિપ્પણીઓ ભારતીય રાજ્યની કાયદેસરતાને પડકારતી હતી. કોર્ટ આ કેસની સુનાવણી 17 ફેબ્રુઆરી 2025 ના રોજ કરશે.

આ પણ વાંચો: સુરતમાં આઠમાં ધોરણની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી, પિતાએ કહ્યું- ‘ફી ન ભરી એટલે મારી દીકરીને ક્લાસની બહાર ઉભી રાખી’

મુકેશ કુમાર કહે છે કે રાહુલ ગાંધીના ભાષણથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. કોર્ટે આ સમગ્ર મામલા પર ધ્યાન આપવું જોઈએ. ફરિયાદીએ કહ્યું કે જો કોઈ દેશ વિરુદ્ધ કોઈ ખોટી ટિપ્પણી કરશે તો ચોક્કસપણે દરેકની ભાવનાઓને ઠેસ પહોંચશે. દેશના એક જવાબદાર નાગરિક હોવાને કારણે, તેઓ તે નિવેદનથી નાખુશ હતા અને તેથી તેમણે કોર્ટનો સંપર્ક કર્યો છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

ખરેખરમાં 15 જાન્યુઆરી, 2025 ના રોજ રાહુલ ગાંધીએ દિલ્હીના ઇન્દિરા ભવનમાં કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસ કાર્યકરોની એક સભાને સંબોધિત કરી હતી. રાહુલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભાજપ અને આરએસએસે આપણા દેશની તમામ સંસ્થાઓ પર નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે. હવે આપણી લડાઈ ફક્ત ભાજપ અને આરએસએસ સામે નથી પણ ‘ઈન્ડિયન સ્ટેટ’ સામે પણ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ