ઓપરેશન સિંદૂર પર સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું – પાકિસ્તાનના ડ્રોન ભારતીય સૈન્યને નુકસાન પહોંચાડી શક્યા નથી

Operation Sindoor : સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું કે ભારત તે આયાતી વિશિષ્ટ તકનીકો પર નિર્ભર ન રહી શકે જે આપણા આક્રમક અને રક્ષાત્મક કામગીરી માટે મહત્વપૂર્ણ છે. વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ભારતની તૈયારીઓને કમજોર કરે છે

Written by Ashish Goyal
Updated : July 16, 2025 19:09 IST
ઓપરેશન સિંદૂર પર સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું – પાકિસ્તાનના ડ્રોન ભારતીય સૈન્યને નુકસાન પહોંચાડી શક્યા નથી
સીડીએસ અનિલ ચૌહાણ (Express Photo by Arul Horizon)

Operation Sindoor: ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના અને સૈન્ય ઉપકરણોને થયેલા નુકસાન વિશે વાત કરતા સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું કે પાકિસ્તાનના કોઈ પણ ડ્રોનથી ભારતીય સેનાને કોઈ નુકસાન થયું નથી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે બુધવારે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સામે પાકિસ્તાન દ્વારા તૈનાત કરવામાં આવેલા કોઈપણ નિઃશસ્ત્ર ડ્રોન અને દારૂગોળોથી ભારતીય સૈન્ય અથવા નાગરિક માળખાને કોઈ નુકસાન થયું નથી.

તેમણે કહ્યું કે તેમાંથી મોટા ભાગનાને કાઇનેટિક અને નોન-કાઇનેટિક સાધનોનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યા હતા. માણેકશા સેન્ટરમાં એક વર્કશોપમાં વક્તવ્ય આપતા જનરલ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરે દર્શાવ્યું છે કે સ્વદેશી રીતે વિકસિત માનવરહિત હવાઈ પ્રણાલીઓ (યુએએસ) અને કાઉન્ટર-અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ (સી-યુએએસ) આપણા પ્રદેશ અને આપણી જરૂરિયાતો માટે મહત્વપૂર્ણ છે.

ભારત આયાતી ટેકનોલોજી પર નિર્ભર ન રહી શકે

સીડીએસે કહ્યું કે ભારત તે આયાતી વિશિષ્ટ તકનીકો પર નિર્ભર ન રહી શકે જે આપણા આક્રમક અને રક્ષાત્મક કામગીરી માટે મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ભારતની તૈયારીઓને કમજોર કરે છે, ઉત્પાદન વધારવાની તેની ક્ષમતાને મર્યાદિત કરે છે અને ચોવીસ કલાક ઉપલબ્ધતા માટે મહત્ત્વપૂર્ણ ઘટકોની અછતનું કારણ બને છે.

આ પણ વાંચો – એર ઇન્ડિયા પ્લેન ક્રેશ : AAIB પ્રાથમિક રિપોર્ટ જાહેર, થોડી વિગતો આપી, ઘણી છુપાવી!

જનરલ ચૌહાણે એમ પણ કહ્યું હતું કે તાજેતરના વૈશ્વિક સંઘર્ષોએ એ બતાવ્યું છે કે કેવી રીતે ડ્રોન સંતુલનને અસમાન રીતે બદલી શકે છે. તેમણે કહ્યું હતું કે યુએવી અને સી-યુએએસમાં સ્વનિર્ભરતા ભારત માટે વ્યૂહાત્મક જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે ડ્રોન યુદ્ધ મોટા પ્લેટફોર્મને કમજોર બનાવી રહ્યું છે અને સૈન્યને હવાઈ સિદ્ધાંતો સી-યુએએસના વિકાસ પર ફરીથી વિચાર કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે.

સશસ્ત્ર દળો પર નુકસાનની કોઈ અસર પડતી નથી: સીડીએસ અનિલ ચૌહાણ

ગયા મહિનાની શરૂઆતમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પૂણેની એક યુનિવર્સિટીમાં તેમના ભાષણમાં ઓપરેશન સિંદૂર પર કહ્યું હતું કે પ્રોફેશનલ સૈન્ય દળો પર નુકસાનની કોઇ અસર પડતી નથી. અમે માનકો વધાર્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ