રાજનાથ સિંહના નિવેદન પર કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીની ટિપ્પણી – સેના એક્ત્ર કરો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ભારતમાં સામેલ કરો

Rashid Alvi Comments On Rajnath Singh Statement : ભાજપ નેતા રાજનાથ સિંહના સિંઘ પ્રદેશના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી કહ્યું કે, સેનાને એકત્ર કરો અને ભારતમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ કરો. ”

Written by Ajay Saroya
November 24, 2025 12:53 IST
રાજનાથ સિંહના નિવેદન પર કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીની ટિપ્પણી – સેના એક્ત્ર કરો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ભારતમાં સામેલ કરો
Raashid Alvi : રાશિદ અલ્વી, કોંગ્રેસ નેતા. (Photo: @alvi_raashid)

Raashid Alvi Comments On Rajnath Singh Statement : કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ ભાજપ નેતા અને દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન પર એક પ્રતિક્રિયા આપી છે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું હતું કે, સરહદો બદલાઈ શકે છે અને સિંધ ફરીથી ભારત સાથે જોડાઈ શકે છે. રાજનાથ સિંહે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ભારત સાથેના સંબંધો અંગેના શબ્દોને યાદ કર્યા. હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીનું નિવેદન તેમની ટિપ્પણી અંગે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે શા માટે માત્ર સિંધ જ સમગ્ર પાકિસ્તાનને ભારતમાં સામેલ કરવું જોઈએ.

રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન પર કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, માત્ર સિંધ કેમ? આખું પાકિસ્તાન લઇ લો. જ્યારે આરએસએસ પ્રમુખ વારંવાર કહે છે કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ભારતનો ભાગ છે, તો આપણે માત્ર સિંધ વિશે જ શા માટે વાત કરીએ? સેનાને એકત્ર કરો અને ભારતમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ કરો. ”

રાજનાથ સિંહે સિંધ વિશે શું કહ્યું?

રક્ષામંત્રીએ રવિવારે સિંધી સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, અડવાણી એ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના હિન્દુઓ હજી પણ સિંધના ભારતથી અલગ થવાને સ્વીકારી શકતા નથી. ’’

રાજનાથ સિંહે કહ્યું હતું કે, આ અડવાણીનું નિવેદન છે. આજે સિંધની ભૂમિ ભલે ભારતનો ભાગ ન હોય, પરંતુ સભ્યતાની દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનો ભાગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે, સીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે આવતીકાલે સિંધ ભારતમાં પરત આવી જાય. સિંધુ નદીને પવિત્ર માનતા આપણા સિંધના લોકો હંમેશા આપણા પોતાના રહેશે. ભલે તેઓ ક્યાંય પણ રહે,તેઓ હંમેશા આપણા રહેશે.

રાજનાથ સિંહના નિવેદન પર પાકિસ્તાનની પ્રતિક્રિયા

બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની તાજેતરની ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાને તેને ભ્રામક, વિસ્તરણવાદી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન ભારતના સંરક્ષણ પ્રધાન દ્વારા પાકિસ્તાનના સિંધ પ્રાંત વિશે કરવામાં આવેલી ગેરમાર્ગે દોરનારા અને ટિપ્પણીઓની સખત નિંદા કરે છે. આવા નિવેદનો વિસ્તરણવાદી હિન્દુત્વની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે જે સ્થાપિત વાસ્તવિકતાઓને પડકારવા માંગે છે અને આંતરરાષ્ટ્રીય કાયદા, માન્યતા પ્રાપ્ત સરહદો અને રાજ્યોની સાર્વભૌમત્વનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરે છે. પાકિસ્તાને ભારતીય નેતાઓને વિનંતી કરી હતી કે તેઓ તણાવ વધારી શકે તેવા રેટરિકથી દૂર રહે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ