મરાઠા અનામત આપવા રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર, ‘કુણબી’ નો દરજ્જો મળશે

Maratha Quota Protest : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ચાલી રહેલી માંગમાં, ખાસ કરીને કુણબી સમુદાયને મરાઠા જાતિનો દરજ્જો આપવાના સંદર્ભમાં હૈદરાબાદ ગેઝેટ મુખ્ય ભૂમિકા ભજવે છે

Written by Ashish Goyal
Updated : September 02, 2025 19:22 IST
મરાઠા અનામત આપવા રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર, ‘કુણબી’ નો દરજ્જો મળશે
મુંબઈમાં મરાઠા અનામત માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારી નેતા મનોજ જરાંગે (Express photo by Akash Patil)

Maratha Quota Protest : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરાઠા અનામત માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારી નેતા મનોજ જરાંગેની માંગણી સ્વીકારવામાં આવી છે. સરકારે હૈદરાબાદ ગેઝેટ બહાર પાડશે. આનો અર્થ એ છે કે મરાઠા સમુદાયના લોકોને ‘કુણબી’ જાતિનો દરજ્જો મળશે. રાજ્યમાં કુણબી જાતિ પહેલાથી જ OBC માં સમાવિષ્ટ છે. સરકારના આ નિર્ણયથી મરાઠાઓને અનામત મેળવવાનો માર્ગ મોકળો થયો છે.

મુંબઈના આઝાદ મેદાન ખાતે પહોંચેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓના એક પ્રતિનિધિમંડળે મનોજ જરાંગેને ખાતરી આપી હતી કે સરકાર હૈદરાબાદ ગેઝેટના અમલીકરણ માટે સરકારી આદેશ (જીઆર) જારી કરશે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓએ કહ્યું હતું કે એક્ઝિક્યુટિવ ઓર્ડર એક કલાકમાં જારી કરવામાં આવશે, જ્યારે બાકીના ત્રણ ગેઝેટ્સને લાગુ કરવામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગશે.

મનોજ જરાંગે કહ્યું – આપણે જીતી ગયા છીએ

મહારાષ્ટ્રના મંત્રીઓના આશ્વાસન બાદ જરાંગેએ પોતાના સમર્થકોને કહ્યું કે આપણે જીતી ગયા છીએ. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામતની માંગ સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરશે તો હું આજે રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈથી નીકળી જઈશ. તેમણે મહારાષ્ટ્ર સરકારને મરાઠા સમુદાયને કુનબીનો ભાગ જાહેર કરતો સરકારી આદેશ જારી કરવા માટે બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ચાલી રહેલી માંગમાં, ખાસ કરીને કુણબી સમુદાયને મરાઠા જાતિનો દરજ્જો આપવાના સંદર્ભમાં હૈદરાબાદ ગેઝેટ મુખ્ય ભૂમિકા ભજવે છે.

કુણબી મહારાષ્ટ્રમાં માન્ય OBC શ્રેણી છે

નિઝામની સરકાર દ્વારા જારી કરાયેલ 1918ના હૈદરાબાદ ગેઝેટમાં અમુક સમુદાયોનો સમાવેશ થાય છે, જેમાં હૈદરાબાદ રાજ્ય (હવે મહારાષ્ટ્રનો મરાઠાવાડા પ્રદેશ) ના મરાઠા સમુદાયના ઘણા લોકોનો સમાવેશ થાય છે – કુણબી તરીકે, જે મહારાષ્ટ્રમાં માન્ય અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણી છે.

આ પણ વાંચો – પીએમ મોદી થયા ભાવુક, કહ્યું – આ ગાળો ફક્ત મારી માતાનું નહીં પરંતુ દરેક માતાનું અપમાન છે

હૈદરાબાદ રાજ્યમાં, મરાઠા સમુદાયની નોંધપાત્ર હાજરી હતી, વહીવટી સત્તા અને રોજગાર બંનેમાં તેમનું પ્રતિનિધિત્વ હતું. આ વાતને માન્યતા આપતા, નિઝામ સરકારે સત્તાવાર રીતે સમુદાયને કુણબી તરીકે વર્ગીકૃત કર્યો અને ઔપચારિક આદેશ દ્વારા તેમને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપી.

આ હુકમ હૈદરાબાદ રાજ્યના સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયો હતો, તેથી જ તેને “હૈદરાબાદ ગેઝેટ” તરીકે ઓળખવામાં આવ્યું. આ દસ્તાવેજ માન્ય રહે છે અને અસંખ્ય ચાલી રહેલા કાનૂની કેસોમાં સંદર્ભ તરીકે સ્વીકારવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટેની અગાઉની માંગણીઓ દરમિયાન પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ