ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને કહ્યું કોઈ પૂર્ણવિરામ નથી; Operation Sindoor

ભારતીય નૌકાદળના વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને કહ્યું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે અમે દરેક જહાજ પર નજર રાખી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે તેઓ શું કરી રહ્યા છે, તેઓ શું કરવાના છે, ક્યારે આવે છે, ક્યારે જાય છે, અમે બધું જાણીએ છીએ

Written by Ashish Goyal
Updated : October 31, 2025 18:17 IST
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને કહ્યું કોઈ પૂર્ણવિરામ નથી; Operation Sindoor
ભારતીય નૌકાદળના વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને ઓપરેશન સિંદૂરને લઈને એક મોટું નિવેદન આપ્યું (તસવીર - એએનઆઈ)

operation sindoor : ભારતીય નૌકાદળના વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને ઓપરેશન સિંદૂરને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ભારતનો સંદેશ સ્પષ્ટ છે કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. તેની સાથે સાથે અન્ય દેશો સાથે પણ આપણી વાતચીત ચાલી રહી છે, અમારો અભ્યાસ અને અમારી યોજનાઓ પણ ચાલી રહી છે. તેના પર કોઈ પૂર્ણવિરામ નથી.

વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને કહ્યું કે, અમે ઓપરેશન સિંદૂર માટે તૈયાર છીએ. અમે અમારી બાકીની યોજનાઓ સાથે ચાલુ રાખીશું. તે ખૂબ જ સરળ સંદેશ છે. હિંદ મહાસાગરની સ્થિતિ પર વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને કહ્યું હતું કે હિંદ મહાસાગરમાં આ ક્ષેત્રમાં બહારી દેશોની સતત હાજરી બનેલી છે. તે પહેલા પણ હતું અને હવે તે વધી રહ્યું છે. કોઈપણ સમયે આ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 40 થી 50 થી વધુ વિદેશી જહાજો કાર્યરત હોય છે.

‘દરેક જહાજ પર અમારી નજર’

તેમણે કહ્યું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે અમે દરેક જહાજ પર નજર રાખી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે તેઓ શું કરી રહ્યા છે, તેઓ શું કરવાના છે, ક્યારે આવે છે, ક્યારે જાય છે, અમે બધું જાણીએ છીએ.

‘દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર’

વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને મીડિયાને જણાવ્યું હતું કે ચોક્કસપણે પડકારો છે. તમે જોયું જ હશે કે મેડાગાસ્કરમાં શું થયું. પરંતુ સત્ય એ છે કે હિંદ મહાસાગરએ વિશ્વમાં માલ અને તેલ પરિવહન માટેનો મુખ્ય માર્ગ છે અને તે હકીકત બદલાતી નથી. આ સાથે ઘણા પ્રકારની વિવિધ પારંપરિક અને બિન-પારંપરિક પડકારો આવે છે – જેમ કે ચાંચિયાગીરી, માનવ તસ્કરી, ડ્રગની દાણચોરી વગેરે. અમે આ તમામ પડકારોથી સંપૂર્ણ રીતે વાકેફ છીએ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને કરપ્શન બિહારમાં રાજદના જંગલરાજની ઓળખ

આ વર્ષે ભારતીય નૌકાદળે 10 નવા જહાજો અને એક સબમરીનનો સમાવેશ કર્યો છે. ડિસેમ્બરના અંત સુધીમાં અમે આશા રાખીએ છીએ કે વધુ 4 જહાજો મળશે. આવતા વર્ષે 19 નવા જહાજોને નૌકાદળમાં સામેલ કરવાની યોજના છે, જેમાંથી મોટાભાગના ડિસેમ્બર સુધીમાં સેવામાં આવશે. આવતા વર્ષે લગભગ 13 જહાજો નૌકાદળને સોંપવામાં આવે તેવી સંભાવના છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ