Pakistan Occupied Kashmir Violence: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પરિસ્થિત બગડી રહી છે. પીઓકેની જનતાએ આઝાદીની માંગ સાથે આંદોલન શરૂ કરી દીધું છે. વધતી મોંઘવારી, કમરતોડ ટેક્સ, મોંઘી વીજળીથી લોકો પરેશાન છે. આંદોલનને રોકવા માટે પોલીસને ટીયર ગેસના સેલ, લાઠીચાર્જ અને કલમ 144 લાગુ કરવી પડી છે. વિરોધ પ્રદર્શન અને હિંસક ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, શનિવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં જબરદસ્ત હડતાળ કરવામાં આવી હતી. તમામ દુકાનો અને વ્યવસાયિક મથકો અને શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. છેલ્લા બે દિવસથી સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
પાકિસ્તાની સેના પર નિર્દેશ લોકો પર ફાયરિંગનો આરોપ
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર પીઓકે એક્ટિવિસ્ટ અમજદ અયુબ મિર્ઝાએ કહ્યું કે પાકિસ્તાની સેના નિશસ્ત્ર નાગરિકો પર ફાયરિંગ કરી રહી છે અને અથડામણમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ હિંસામાં એક પોલીસ સ્ટેશન અધિકારીનું મોત નીપજ્યું હતું, જેને દેખાવકારોએ કથિત રીતે માર મારીને મારી નાખ્યો હતો.
સ્થાનિક કાર્યકર્તાઓએ કહ્યું – પરિસ્થિતિ સતત બગડી રહી છે
મિર્ઝાએ ભારત સરકારે હસ્તક્ષેપ કરવાની આહ્વાન કરતા કહ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે અને કેન્દ્ર અલગ રહી શકે નહીં. પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. તે ખરેખર પહેલેથી જ હાથમાંથી નીકળી ગયું છે. અને ભારતે હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રિત કરવું જોઈએ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતના આ કબજા હેઠળના પ્રદેશની સ્વતંત્રતા માટે મદદ કરવી જોઈએ અને તેને સુવિધા આપવી જોઈએ.
સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા
જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમિટી (જેકેજેએએસી)ના આહ્વાન પર શુક્રવારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં બંધ અને ચક્કાજામની હડતાલ દરમિયાન પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે ઘરની અંદર રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ડોન અખબારના અહેવાલ મુજબ દેખાવકારોએ મસ્જિદો પર પણ પથ્થરમારો કર્યો હતો.
પીઓકેમાં સમહાની, સેહંસા, મીરપુર, રાવલકોટ, ખુઇરાટ્ટા, તત્તાપાણી, હટ્ટીયાન બાલામાં વધુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. મુઝફ્ફરાબાદ અને મીરપુર પ્રાંતના વિવિધ ક્ષેત્રોમાં રાતોરાત પોલીસ દરોડામાં તેના ઘણા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ જેકેજેએસીએ શુક્રવારે હડતાલની હાકલ કરી હતી. સમિતિએ ગયા મહિને હડતાલની ઘોષણા કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકો વિરોધ પ્રદર્શન કરશે અને 11 મેના રોજ મુઝફ્ફરાબાદ તરફ લાંબી કૂચ કરશે.
આ પણ વાંચો | ચીને પાકિસ્તાન માટે હેંગર ક્લાસ સબમરીન બનાવી, જાણો ભારતની કલવરી સબમરીન કરતા કેટલી ખતરનાક છે
પાકિસ્તાન ના કબજા હેઠળના કાશ્મીરને લઈને પણ ભારતમાં ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પીઓકેને અલગ કરવા માટે આપણે યુદ્ધ નહીં લડવું પડે. ત્યાંના લોકો પોતે જ અમારી સાથે જોડાવાની પહેલ કરશે. પીઓકેના નાગરિકો પાકિસ્તાનમાં જે પ્રકારની સ્થિતિ છે તેનાથી ખરાબ રીતે પરેશાન છે અને તેઓ હવે તે સહન કરી શકતા નથી.





