ગોપાલ કટેસિયા | લોકસભા ચૂંટણી 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના દ્વારકામાં અંડરવોટર દ્વારકા નગરી જઈ પ્રાર્થના કરી હતી. રવિવારે PM મોદી પૌરાણિક ડૂબી ગયેલા શહેર દ્વારકામાં પાણીની અંદર ભગવાન કૃષ્ણની પૂજા કરતા હોવાની તસવીરો અને વીડિયો સમાચારમાં આવ્યા હતા. પરંતુ, બીજી તરફ તેમની સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાત દરમિયાન આહીર જ્ઞાતિ સુધી પહોંચવાના તેમના પ્રયાસો પર કોઈનું ધ્યાન નથી ગયું.
વડાપ્રધાનની મુલાકાત પૌરાણીક શહેર માટે સબમરીન ટુરિઝનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ સાથે કરેલા કરાર કર્યા પછી જ આવી છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે દ્વારકા શહેરને બેટ દ્વારકા ટાપુ સાથે જોડતા સુદર્શન સેતુ સહિત રૂ. 4800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદીએ આહીર સમાજની મહિલાઓની પ્રશંસા કરી હતી
તેમના સંબોધન પહેલા પીએમ મોદીએ ભગવાન કૃષ્ણનું આહ્વાન કર્યું હતું અને આહીર સમાજની મહિલાઓની પ્રશંસા કરી હતી. આહિરો હિન્દી પટ્ટામાં યાદવોના સમકક્ષ છે, જેઓ પોતાને ભગવાન શ્રીકૃષ્ણના વંશજ તરીકે જુએ છે. આહિરાણીઓ (આહિર મહિલાઓ) ની સરખામણી ઓવરના (તેમના નજીકના અને પ્રિયજનોના માથા પરથી ચિંતાઓ દૂર કરે છે), દુર કરનારી માતાઓ સાથે કરી પીએમ મોદીએ ગયા વર્ષે 23 અને 24 ડિસેમ્બરના રોજ 37,000 આહિર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા ‘મહા રાસ’નો ઉલ્લેખ કર્યો હતો. જે ઉષાની યાદમાં કરવામાં આવ્યો હતો, જેઓ ભગવાન કૃષ્ણની પુત્રવધૂ માનવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં રોડ શો પણ યોજ્યો હતો, જ્યાં તેમણે જામનગર લોકસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતા આહીર સમુદાયનો આભાર માન્યો હતો. આ બેઠક એક સમયે કોંગ્રેસના વિક્રમ માડમ પાસે હતી. 2014 માં આ સીટ તેમની ભત્રીજી અને ભાજપના ઉમેદવાર પૂનમ માડમે આંચકી લીધી હતી, 2019 માં પણ તેમણે આ જીત જાળવી રાખી હતી.
1976 પછી ખંભાળિયા વિધાનસભા બેઠક પર કોઈ બિન આહીર જીત્યું નથી
લોકસભા ક્ષેત્રની સાત વિધાનસભા બેઠકો પૈકી બે, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, ખંભાળીયા, દ્વારકા અને જામજોધપુરમાં આહીર ધારાસભ્યો છે. 1976 પછી ખંભાલીયા વિધાનસભા બેઠક પર કોઈ બિન આહીર જીત્યા નથી. તો, સથવાડા (દલવાડી) સમુદાયનો બીજો સૌથી મોટો નંબર છે અને તે OBC કેટેગરીમાં પણ આવે છે. તેઓ ભાજપના વફાદાર સમર્થક હોવાનું મનાય છે. તો બ્રાહ્મણો, દ્વારકા અને ઓખાના શહેરી મતદારો અને અન્ય નાના જ્ઞાતિ જૂથો સાથે, ભાજપને વિજેતા બનવાનું સંયોજન મળ્યું છે. જો કે દ્વારકા બેઠક પર આહીરો કોંગ્રેસને સમર્થન આપે છે.
જો કે, તેમનું માનવું છે કે, પીએમ મોદીની આઉટરીચ ચોક્કસપણે આહિર સમુદાય સાથે જોડાણ બનાવશે. ગરબા કાર્યક્રમમાં આશરે 45,000 આહીર મહિલાઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ તેમના પરિવારજનોના વખાણ કરીને તેમને પ્રભાવિત કર્યા છે.
આ પણ વાંચો – Dwarka History: જાણો દ્વારકા નગરનું રહસ્ય અને ઈતિહાસ, પીએમ મોદીએ સ્કૂબા ડાઈવિંગ કરી આપી નવી ઓળખ
આ સીટ ઓબીસી પ્રભુત્વ ધરાવતી માનવામાં આવે છે
ત્યારે ગુજરાતની જામનગર લોકસભા બેઠક પાટીદારોના પ્રભાવ હેઠળ હોવા છતાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો અહીંથી આહીરોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પાર્ટી આ સીટને ઓબીસી વર્ચસ્વ ધરાવતી માને છે. પૌરાણિક દ્વારકા શહેરમાં પીએમ મોદીની ડૂબકીના સંકેતમાં, ભાજપ પણ મોટા પાયે યાદવ મત મેળવવાનું પણ લક્ષ્ય રાખી શકે છે. અગાઉ, પાર્ટીએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આશ્ચર્યજનક પસંદગી તરીકે મોહન યાદવને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા હતા.





