પાસપોર્ટ કાયદો શું છે? કેમ પ્રશાંત ભૂષણે આને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો?

Prashant Bhushan Passport Case : પ્રશાંત ભૂષણ પસપોર્ટ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, વકિલે આ મામલાને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવી પાસપોર્ટ એક્ટની જોગવાઈની બંધારણીય માન્યતાને પડકારી છે.

Written by Kiran Mehta
May 09, 2024 18:15 IST
પાસપોર્ટ કાયદો શું છે? કેમ પ્રશાંત ભૂષણે આને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો?
પ્રશાંત ભૂષણ પાસપોર્ટ કેસ (ફોટો - એકસપ્રેસ)

Prashant Bhushan Passport Case : દેશના જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ દરરોજ કોઈને કોઈ બાબતને લઈને સમાચારોમાં રહે છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. પ્રશાંત ભૂષણે પાસપોર્ટ એક્ટની જોગવાઈની બંધારણીય માન્યતા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગુરુવારે અરજી પરની સુનાવણી ઉનાળાની રજાઓ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભયાનની ખંડપીઠે અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયંત ભૂષણની બિનઉપલબ્ધતાને કારણે મામલો મુલતવી રાખ્યો હતો. કોર્ટમાં ઉનાળુ વેકેશન 20 મેથી શરૂ થઈ રહ્યું છે. હવે આ મામલામાં ફરી સુનાવણી 8મી જુલાઈથી શરૂ થશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની અરજી પર કેન્દ્ર અને ગાઝિયાબાદ ક્ષેત્રીય પાસપોર્ટ ઓફિસને નોટિસ ફટકારી હતી.

ગુનાની વ્યાખ્યા કરવામાં આવી નથી

પાસપોર્ટ કાયદાની વાત કરીએ તો, કલમ 6(2)(F) માં સમાયેલ પ્રતિબંધ 1993 માં જાહેર કરાયેલી સૂચના દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. જે અંગે જણાવાયું હતું કે, જો અરજદાર પાસપોર્ટ સંબંધિત કોર્ટમાંથી એનઓસી રજૂ કરે તો આવી સ્થિતિમાં પાસપોર્ટ ઈશ્યુ થઈ શકે છે. જો NOC માં કોઈ માહિતી આપવામાં નહીં આવે તો પાસપોર્ટ એક વર્ષ માટે આપવામાં આવશે. જ્યારે આ મામલે પ્રશાંત ભૂષણના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ જોગવાઈ ગંભીર ગુના અને ઓછા ગંભીર ગુના વચ્ચેનો સાચો ભેદ બતાવતી નથી. આ સાથે, તે નવા પાસપોર્ટ ધરાવતા લોકો પર પણ સમાન નિયંત્રણો લાદે છે. જે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

આ કારણોસર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો

પ્રશાંત ભૂષણ એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ગાઝિયાબાદ ગયા હતા. જ્યાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ ભૂષણને પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ તરફથી એક વર્ષ માટે પાસપોર્ટ આપવામાં આવી રહ્યો હતો. આવી સ્થિતિમાં પ્રશાંત ભૂષણે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કારણ કે તેમની સામે કોઈ ગંભીર આરોપો નહોતા. પરંતુ ગંભીર ગુનામાં સંડોવાયેલા ગુનેગારની જેમ તેમને પણ એક વર્ષ માટે પાસપોર્ટ આપવામાં આવ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ