Fatehpur Sanke Attack case, ફતેહપુર સાપ ડંખ કેસ : ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં 24 વર્ષના વિકાસને સતત સાપે ડંખ માર્યો છે અને આ મામલાએ આખા દેશને ચોંકાવી દીધો છે અને હાલ તેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ચિંતાની વાત એ છે કે ફતેહપુરમાં 40 દિવસમાં વિકાસને સાત વખત સાપે દંશ માર્યો છે, તેથી જ હવે CMOએ ફતેપુર સાપ ડંખ કેસ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ફતેપુર સાપ ડંખ કેસ અંગે સીએમઓએ શું કહ્યું?
આ ઘટના અંગે ફતેહપુરના સીએમઓ ડો. રાજીવ નયન ગીરીએ કહ્યું છે કે આ વાત સાચી છે કે આ બાબત મારા ધ્યાન પર આવી છે. ગઈકાલે જ્યારે હું ડીએમ ઓફિસમાં બેઠો હતો ત્યારે મીટિંગ દરમિયાન પીડિતા અંગે ડીએમને આવેદન આપવામાં આવ્યું હતું. તે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે યુવકને 5 થી 6 વખત સાપે ડંખ માર્યો હતો, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સાતમી વખત પણ સાપે આ યુવકને ડંખ માર્યો છે. નવાઈની વાત એ છે કે સાપ દર શનિવાર-રવિવારે ડંખ મારતો હતો, પરંતુ આ વખતે તેણે પ્રથમ ડંખ માર્યો છે.
સીએમઓએ પોતાના નિવેદનમાં એ વાત પર પણ ભાર મૂક્યો છે કે પીડિત પરિવાર દર વખતે સાપના ડંખ પછી ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં જાય છે, તેથી પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વિકાસને દર વખતે એક જ હોસ્પિટલમાં કેમ લઈ જવામાં આવતો હતો?
આ પણ વાંચોઃ- હવામાન સમાચાર : આજે દ. ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ
શા માટે ફતેપુર સાપ ડંખ કેસ આશ્ચર્યજનક છે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફતેપુર સાપ ડંખ કેસ મામલો સામે આવ્યા બાદ મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી ચુકી છે, તેનો વિગતવાર તપાસ રિપોર્ટ પણ 2 થી 3 દિવસમાં આવવાનો છે. CMOનું એવું પણ માનવું છે કે જો વિકાસને સાત વખત સાપ કરડ્યો હોય તો તેના શરીર પર સાત નિશાન હોવા જોઈએ. આવી સ્થિતિમાં એક ટીમ પોતે હોસ્પિટલ જઈને વિકાસને મળવા જઈ રહી છે. જો કે આ સમગ્ર મામલે ફતેહપુર ડીએફઓ રામાનુજ ત્રિપાઠીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે એક જ સાપે વારંવાર ડંખ માર્યો છે કે પછી સાત અલગ-અલગ સાપે વિકાસને ડંખ માર્યો છે. હાલમાં, સાપને પકડીને જંગલમાં છોડી દેવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જ્યારે વિકાસની વહેલી તકે સારવાર થવી જોઈએ.





