સર્વેમાં થયો મોટો ખુલાસો; ભારત છોડીને વિદેશમાં વસવા માંગે છે 100 માંથી 22 અબજોપતિ

સર્વે મુજબ ઓછામાં ઓછા 22 ટકા ધનિક ભારતીયો અહીં રહેવાની સ્થિતિ, વિદેશમાં રહેવાનું સારું જીવન ધોરણ અને અન્ય દેશોમાં સરળ વ્યવસાયિક વાતાવરણ જેવા કારણોસર દેશ છોડવા માંગે છે.

Written by Rakesh Parmar
March 26, 2025 18:40 IST
સર્વેમાં થયો મોટો ખુલાસો; ભારત છોડીને વિદેશમાં વસવા માંગે છે 100 માંથી 22 અબજોપતિ
સર્વેમાં જણાવાયું છે કે તેઓ જીવનધોરણ, આરોગ્યસંભાળ ઉકેલો, શિક્ષણ અથવા જીવનશૈલીમાં સુધારો ઇચ્છે છે. (તસવીર: Freepik)

બુધવારે એક સર્વેમાં થયેલા ચોંકાવનારા ખુલાસાઓની માહિતી સામે આવી. સર્વે મુજબ ઓછામાં ઓછા 22 ટકા ધનિક ભારતીયો અહીં રહેવાની સ્થિતિ, વિદેશમાં રહેવાનું સારું જીવન ધોરણ અને અન્ય દેશોમાં સરળ વ્યવસાયિક વાતાવરણ જેવા કારણોસર દેશ છોડવા માંગે છે. આ સર્વે 150 અતિ-ઉચ્ચ નેટવર્થ લોકો (UHNIs) વચ્ચે કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એવા મનપસંદ સ્થળો છે જ્યાં શ્રીમંત લોકો તેમની ગોલ્ડન વિઝા યોજનાઓને કારણે સ્થાયી થવા માંગે છે.

દેશની અગ્રણી એસેટ મેનેજર કંપની કોટક પ્રાઇવેટ લિમિટેડે કન્સલ્ટન્સી કંપની EY સાથે મળીને આ સર્વે હાથ ધર્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર વર્ષે 25 લાખ ભારતીયો અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે. સર્વેના તારણો જણાવે છે, “સર્વેક્ષણ કરાયેલા પાંચમાંથી એક અતિ-ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિ હાલમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયામાં છે અથવા સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યા છે.” સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમાંથી મોટાભાગના લોકો તેમની ભારતીય નાગરિકતા જાળવી રાખીને તેમની પસંદગીના યજમાન દેશમાં કાયમી ધોરણે રહેવા માંગે છે.

શ્રીમંત ભારતીયો તેમના જીવનધોરણને સુધારવા માટે દેશ છોડવા તૈયાર

સર્વેમાં જણાવાયું છે કે તેઓ જીવનધોરણ, આરોગ્યસંભાળ ઉકેલો, શિક્ષણ અથવા જીવનશૈલીમાં સુધારો ઇચ્છે છે. બે તૃતીયાંશથી વધુ લોકોએ કહ્યું કે વ્યવસાયિક કામગીરીને સુવ્યવસ્થિત કરવી એ તેમની ટોચની પ્રાથમિકતા છે. સ્થળાંતરના નિર્ણયને “ભવિષ્યમાં રોકાણ” તરીકે વર્ણવતા સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમના બાળકોને સારું ઉચ્ચ શિક્ષણ આપવાની ઇચ્છા તેમને આ વિકલ્પ પસંદ કરવા માટે પ્રેરિત કરે છે.

આ પણ વાંચો: 12 વર્ષના છોકરાએ ઘરમાં જ ન્યૂક્લિયર રિએક્ટર બનાવી નાંખ્યું, જાણકારી મળતા જ FBI ત્રાટક્યું

અમર ઉજાલાના અહેવાલ અનુસાર, કોટક મહિન્દ્રા બેંકના અધ્યક્ષ ગૌતમી ગવંકરે જણાવ્યું હતું કે સ્થળાંતરના નિર્ણયને દેશમાંથી મૂડીના બહાર જવા તરીકે જોવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણો લાદવાથી ખાતરી થાય છે કે વ્યક્તિ પોતાનું રહેઠાણ બદલે તો પણ પૈસા બહાર ન જાય.

36-40 અને 61 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં દેશ છોડવાની ઇચ્છા સૌથી વધુ

તેમણે કહ્યું કે ભારતમાં રહેતો ભારતીય નાગરિક દર વર્ષે ફક્ત 250,000 યુએસ ડોલર દેશની બહાર લઈ જઈ શકે છે. જ્યારે બિન-નિવાસી ભારતીય (NRI) ને $1 મિલિયન કાઢવાની છૂટ છે. આ સુનિશ્ચિત કરે છે કે મૂડીનું કોઈ મોટું પલાયન ન થાય. સર્વેમાં જણાવાયું છે કે ઉદ્યોગસાહસિકો અથવા તેમના વારસદારો કરતાં વ્યાવસાયિકો દેશ છોડીને જતા રહે તેવી શક્યતા વધુ હતી. વય જૂથના દ્રષ્ટિકોણથી 36-40 વર્ષ અને 61 વર્ષથી વધુ ઉંમરના લોકો સ્થળાંતર કરવા માટે વધુ વલણ ધરાવે છે.

2023 માં 2.83 લાખ ભારતીયો એવા હતા જેમણે યૂએચએનઆઈની સંજ્ઞા આપવામાં આવી છે. જેમાં પ્રત્યેકની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયાથી વધુ છે અને તેમની કુલ સંપત્તિ 2.83 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સર્વેક્ષણ અનુસાર 2028 સુઘી આ સંખ્યા વધીને 4.3 લાખ થઈ જશે. જેમની પાસે 359 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ