Today Latest News Live Update in Gujarati 12 November 2025: અભિનેતા ગોવિંદાની તબિયત કથળી હતી અને તેઓ બેભાન થઈ ગયા હોવાના અહેવાલ આવ્યા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બપોર સુધીમાં ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગોવિંદા બહાર આવ્યા અને મીડિયાને તબિયત વિશે અપડેટ શેર કરી હતી. ગોવિંદાએ કહ્યું કે મેં ઘણી મહેનત કરી હતી, જેના કારણે હું થાકી ગયો હતો. વધુ પડતી કસરત કરવી મુશ્કેલ છે. હું મારી પર્સનાલિટીને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે યોગ-પ્રાણાયામ વધુ સારું છે. ડૉક્ટરે મને દવાઓ આપી છે.





