Today Latest News Update in Gujarati 15 November 2025: બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી ઘટના બની. શનિવારે સવારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા. અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ 13માં બની છે.
માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડીએસપી પશ્ચિમ સુચિત્રા કુમારીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં આગ લાગી હતી. એક જ પરિવારના પાંચ સભ્યો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.





