Today News : બિહારના દાનાપુરમાં ઘરની છત તૂટી પડતાં એક જ પરિવારના 5 લોકોના મોત

Gujarat Latest News Update Today in Gujarati 10 November 2025: બિહારના દાનાપુરમાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનેલા જૂના ઘરની છત પડતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે.

Written by Ankit Patel
Updated : November 10, 2025 23:32 IST
Today News : બિહારના દાનાપુરમાં ઘરની છત તૂટી પડતાં એક જ પરિવારના 5 લોકોના મોત
આજના તાજા સમાચાર - photo- IEGujarati

Today Latest News Update in Gujarati 10 November 2025: બિહારના દાનાપુરમાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનેલા જૂના ઘરની છત પડતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે.મૃતકોની ઓળખ બબલુ ખાન, તેની પત્ની રોશન ખાતૂન, પુત્ર મોહમ્મદ ચાંદ, પુત્રી રૂખશર અને સૌથી નાની પુત્રી ચાંદની તરીકે થઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે રાત્રે લગભગ 10:45 વાગ્યે, પરિવાર રાત્રિભોજન પૂર્ણ કરીને સૂઈ ગયો હતો ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. ઘરની છત એક જ ક્ષણમાં તૂટી પડી. ગભરાટ ફેલાયો. લોકો ઘટનાસ્થળે દોડી ગયા, પરંતુ ફક્ત કાટમાળ જ દેખાતો હતો. આખો પરિવાર તેની નીચે દટાયેલો હતો.

Read More
Live Updates

Delhi Blast : રાજધાની દિલ્હીમાં ક્યારે-ક્યારે થયા બ્લાસ્ટ, જાણો પુરી ટાઇમલાઇન

Delhi Blast History : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. જેમાં 8 લોકોના મોત થયા છે અને એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અને તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે …અહીં વાંચો

પ્રત્યક્ષદર્શીએ દિલ્હી વિસ્ફોટની ભયાનકતા વર્ણવી, 'એવું લાગ્યું કે ધરતી ફાટવાની છે, અમે નજરે મોત જોયું'

Delhi Red Fort Blast : દિલ્હી વિસ્ફોટ પછી લાલ કિલ્લા નજીક દુકાન ચલાવતા આ યુવકે કહ્યું કે હું દુકાનમાં બેઠો હતો ત્યારે અવાજ આવ્યો, વિસ્ફોટ થયો હતો. હું ખુરશી પર બેઠો હતો. અચાનક આટલો જોરદાર વિસ્ફોટ થયો. મેં મારી જિંદગીમાં ક્યારેય આવો વિસ્ફોટ સાંભળ્યો નથી. હું વિસ્ફોટથી ત્રણ વખત પડી ગયો, એવું લાગ્યું કે ધરતી ફાટવાની છે …અહીં વાંચો

Delhi Blast : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, એકનું મોત, ઘણા ઇજાગ્રસ્ત

Delhi Red Fort Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી હતી અને કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ભારે ભીડ હતી. …વધુ માહિતી

પ્રખ્યાત અભિનેતાનું 44 વર્ષની ઉંમરે લીવરની બીમારીથી નિધન, જાણો લીવરને મજબૂત કરવા શું કરવું

Tamil Actor Abhinay Kinger passes away by Liver Infection : પ્રખ્યાત તમિલ ફિલ્મ અભિનેતા અભિનય કિંગરનું સોમવારે સવારે 44 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી લીવરની ગંભીર બીમારીથી પીડાતા હતા …અહીં વાંચો

Exclusive : 15 વર્ષમાં જવાહર લાલ નેહરુ સ્ટેડિયમ પર 961 કરોડ રુપિયાનો ખર્ચ, સરકાર હવે તોડી પાડશે, જાણો કેમ

JLN Stadium Demolish: દિલ્હીનું ઐતિહાસિક જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ હવે ઇતિહાસ બની જશે. આ સ્ટેડિયમમાં છેલ્લા 15 વર્ષમાં 961 કરોડ રુપિયાનો ખર્ચે કરવામાં આવ્યો છે અને તે 1982ની એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનું પણ સાક્ષી બન્યું છે …સંપૂર્ણ વાંચો

રાજકોટમાં ક્રિકેટપ્રેમીઓને આવશે મોજ, અભિષેક શર્મા, તિલક વર્મા સહિત સ્ટાર ક્રિકેટરો જમાવશે રંગ

IND A vs SA A unofficial ODI at Rajkot : ભારત-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચે 13 નવેમ્બરથી ત્રણ મેચની અનઓફિશિયલ વન ડે
શ્રેણી રાજકોટમાં રમાશે. તિલક વર્મા, અભિષેક શર્મા, ઇશાન કિશન સહિત સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે …વધુ માહિતી

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત બગડી, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

રિપોર્ટ અનુસાર તેમની હાલત ગંભીર છે અને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે અભિનેતાને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ડોકટરોની ટીમ તેમની હાલત પર નજર રાખી રહી છે …વધુ વાંચો

ફરીદાબાદમાં જૈશના પોસ્ટર, 350 કિલો એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું, કોણ છે ડૉ. આદિલ અહેમદ રાથર?

who is dr adil ahmad rather : જમ્મુ અને કાશ્મીરના ડૉક્ટર ડૉ. આદિલ અહેમદ રાથર આ કેસમાં માસ્ટરમાઇન્ડ તરીકે ઉભરી આવ્યો છે. થોડા દિવસો પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી હતી. …વધુ માહિતી

Mehsana bharti 2025 : ITIથી લઈને કોલેજ પાસ માટે મહેસાણામાં નોકરીઓ,સરકારના નિયમ પ્રમાણે મળશે પગાર

Mehsana College Recruitment 2025 in gujarati : મહેસાણા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપી છે. …સંપૂર્ણ માહિતી

Today News Live: બેંગલુરુ એરપોર્ટ પર લોકોએ નમાઝ અદા કરી

કર્ણાટક ભાજપના પ્રવક્તા વિજય પ્રસાદે સોશિયલ મીડિયા પર બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેટલાક લોકો નમાઝ અદા કરતા જોવાનો એક વીડિયો શેર કર્યો. તેમણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કેબિનેટ મંત્રી પ્રિયંક ખડગેને પ્રશ્ન કર્યો કે શું તેઓ ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં નમાઝ અદા કરવાની મંજૂરી આપે છે.

ભાજપના પ્રવક્તા વિજય પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 ની અંદર આ કેવી રીતે મંજૂરી છે? માનનીય મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને મંત્રી પ્રિયંક ખડગે, શું તમે આને મંજૂરી આપો છો? શું આ લોકોએ ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ વિસ્તારમાં નમાઝ અદા કરવા માટે પૂર્વ પરવાનગી લીધી હતી?”

Today News Live: રણજી ટ્રોફી મેચમાં હિમાચલ પ્રદેશ માટે વૈભવ અરોરાએ અડધી સદી ફટકારી

મુંબઈમાં રમાયેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન હિમાચલ પ્રદેશ માટે પ્રથમ સેશનમાં વૈભવ અરોરાએ અડધી સદી ફટકારી.

મુંબઈથી કોલકાતા જતી સ્પાઇસ જેટ ફ્લાઈટનું એન્જિન ફેલ થતાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

SpiceJet flight updates: મુંબઈથી કોલકાતા જતી સ્પાઇસ જેટની ફ્લાઈટે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું. પ્રાથમિક માહિતી મુજબ આ વિમાનનું એન્જિન ફેલ થતાં સુરક્ષાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. …બધું જ વાંચો

Kheda bharti 2025 : ખેડા જિલ્લામાં પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક, અહીં વાંચો શું જોઈશે લાયકાત

chakalasi nagarpalika Bharti 2025 : Kheda Bharti અંતર્ગત સીટી મેજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …બધું જ વાંચો

Faridabad RDX : ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરેથી 300 કિલો RDX નો જથ્થો મળ્યો, આતંકવાદી ષડયંત્ર સાથે કનેક્શન

Faridabad RDX recovery news in gujarati : ફરીદાબાદમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડોક્ટરના ઘરેથી 300 કિલો RDX મળી આવ્યું છે, જેમાં અનેક AK-47 રાઈફલ્સ પણ મળી આવી છે. …સંપૂર્ણ માહિતી

Exclusive: 15 રાજ્યોના 596 અધિકારીઓ સામે કાર્યવાહી, અનેક કોન્ટ્રાક્ટરો પણ જવાબદાર, જળ જીવન મિશન યોજનામાં કૌભાંડ!

Jal Jeevan Mission corruption : મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના, જળ જીવન મિશનમાં નાણાકીય ગેરરીતિઓ શોધાયા બાદ, 15 રાજ્યોમાં 596 અધિકારીઓ, 822 કોન્ટ્રાક્ટરો અને 152 તૃતીય-પક્ષ નિરીક્ષણ એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. …બધું જ વાંચો

Today News Live: ટ્રમ્પના ભાષણને એડિટ કરવા પર વિવાદ, બીબીસીના ડિરેક્ટર જનરલ અને ન્યૂઝ ચીફ રાજીનામું

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) દ્વારા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના સંપાદનની ટીકા બાદ, બીબીસીના વડાએ રવિવારે રાજીનામું આપ્યું. બીબીસીએ જણાવ્યું હતું કે ડિરેક્ટર જનરલ ટિમ ડેવી અને ન્યૂઝ સર્વિસ ચીફ ડેબોરાહ ટર્નેસે રવિવારે તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. ટીકાકારો કહે છે કે બીબીસી ડોક્યુમેન્ટરી માટે ભાષણનું સંપાદન જે રીતે કરવામાં આવ્યું હતું તે ગેરમાર્ગે દોરનારું હતું અને કેટલાક ભાગો કાપી નાખવામાં આવ્યા હતા.

આ દરમિયાન, ટ્રમ્પે બીબીસીના ડિરેક્ટર જનરલ અને ન્યૂઝ સર્વિસ ચીફના રાજીનામાનું સ્વાગત કર્યું. યુએસ રાષ્ટ્રપતિએ બંનેની ટીકા કરી, તેમને ખૂબ જ અપ્રમાણિક લોકો ગણાવ્યા.

Today News Live: બિહારના દાનાપુરમાં ઘરની છત તૂટી પડતાં એક જ પરિવારના 5 લોકોના મોત

બિહારના દાનાપુરમાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનેલા જૂના ઘરની છત પડતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે.મૃતકોની ઓળખ બબલુ ખાન, તેની પત્ની રોશન ખાતૂન, પુત્ર મોહમ્મદ ચાંદ, પુત્રી રૂખશર અને સૌથી નાની પુત્રી ચાંદની તરીકે થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે રાત્રે લગભગ 10:45 વાગ્યે, પરિવાર રાત્રિભોજન પૂર્ણ કરીને સૂઈ ગયો હતો ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. ઘરની છત એક જ ક્ષણમાં તૂટી પડી. ગભરાટ ફેલાયો. લોકો ઘટનાસ્થળે દોડી ગયા, પરંતુ ફક્ત કાટમાળ જ દેખાતો હતો. આખો પરિવાર તેની નીચે દટાયેલો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ